Book Title: Samayik
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 40
________________ ૪૯૨ જિનતત્ત્વ એટલે શ્રાવક શુદ્ધ ભાવથી સામાયિક જો કાચ જંગલમાં કરે તો શિકારીઓનો શિકાર કરવાનો ભાવ શાંત થઈ જાય છે અને હિંસક પશુઓનો કૂરભાવ પણ શાન્ત થઈ જાય છે. “શ્રી કપૂરપ્રકર ગ્રંથમાં સામાયિકનું માહાત્મ દર્શાવતાં કહેવાયું છે કે - सामायिकं द्विघटिकं चिरकर्मभेदि, चंद्रावतंसकवदुच्चधियोऽत्रं किंतु। स्पर्शऽपि सत्यमुदकं मलिनत्वनाशि, घोरं तमो हरति वा कृत एव दीप। [બે ઘડીનું સામાયિક પણ ચંદ્રાવસક રાજાની જેમ ઘણા કાળનાં સંચેલાં કર્મનો ભેદનારું થાય છે. તો પછી ઘણી વાર કરવાથી ઊંચી બુદ્ધિવાળાને કર્મનો નાશ થાય તેમાં શું આશ્ચર્ય ? વાત સાચી છે કે સ્પર્શ કરવા માત્રથી પાણીથી મલિનતાનો નાશ થાય છે અને અંધકાર હોય તો દિવો તેનું હરણ કરે છે.' સામાયિકનો મહિમા દર્શાવતાં શ્રીમદ્ રાજચંદ્ર લખ્યું છે કે : “સામાયિક આત્મશક્તિનો પ્રકાશ કરે છે, સમ્યગુદર્શનનો ઉદય કરે છે, શુદ્ધ સમાધિભાવમાં પ્રવેશ કરાવે છે, નિર્જરાનો અમૂલ્ય લાભ અપાવે છે, રાગદ્વેષથી મધ્યસ્થ બુદ્ધિ કરે છે.' સામાયિકનો આવો પરમ મહિમા હોવાથી કહેવાય છે કે દેવો પણ પોતાના દેવપણામાં સામાયિકની ઝંખના સેવતા હોય છે. જુઓ : सामाइयसामग्गिं देवा विचितंति हिययमज्झम्मि। जइ हुइ मुहुतमेगं वा अम्ह देवत्तणं सहलं ।। દિવો પોતાના હૃદયમાં સામાયિકની સામગ્રીનો (તેવી અનુકૂળતાનો) વિચાર કરે છે અને એવી ભાવના ભાવે છે કે જો અમને એક મુહૂર્ત માત્ર પણ સામાયિક મળી જાય તો અમારું દેવપણું સફળ થઈ જાય સામાયિકનું મૂલ્ય થઈ શકે એમ નથી. કદાચ કોઈને સામાયિકનું મૂલ્ય કરવું હોય તો શાસ્ત્રકારે કહ્યું છે : दिवसे दिवसे लख्खं देइ सुवन्नस्स खंडियं एगो। एगो पुण सामाइयं करेइ न पुहुप्पए तस्स।। કોઈ એક માણસ દરરોજ એક લાખ ખાંડી સુવર્ણનું દાન આપે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41