Book Title: Samaraditya Mahakatha Part 2
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 473
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાગદત્તે કહ્યું : ‘હે મહાનુભાવ, તું હવેલીમાં આવ. મારા પુત્રને જલોદર રોગ થયા છે. તું એ રોગને મટાડી આપ. તું માગીશ એટલું ધન આપદેશ.’ આવનાર ભીલ-વૈઘે હવેલીમાં પ્રવેશ કરી, અતિ વેદના અનુભવતા અર્હદત્તને જોયો. એની નાડી-પરીક્ષા કરી કહ્યું : ‘આ વ્યાધિ એકદમ મટી જાય એવો નથી, છતાં બરાબર ઔષધોપચાર કરવાથી એ મટી શકશે. ખાસ તો, આ રોગ જે અપથ્ય સેવનથી થયો છે, એ અપથ્યનો ત્યાગ કરવો પડશે અને પથ્યનું સેવન કરવું પડશે. હે શ્રેષ્ઠી, હું પૈસાનો લોભી નથી... મારે પૈસા જોઈતા નથી. હું ધર્મવૈદ્ય છું. પહેલા, આ રોગનું નિદાન કરું છું, તે સાંભળો : પૂર્વજન્મમાં કરેલાં પાપોથી આ જન્મમાં આ રોગ થયો છે. તેવી રીતે આ જન્મમાં અહિતકારી અતિશય ભોગ-ઉપભોગ કરવાથી આ રોગ થયો છે. એટલે સર્વપ્રથમ સર્વ પાપોનું મૂળ જે મિથ્યાત્વ છે, તેનો ત્યાગ કરવો પડશે. હવે આ રોગનો ઉપચાર બતાવું છું. * પહેલાં તો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચારિત્રનું પ્રમાદ કર્યા વિના પાલન કરવું પડશે. * દિવસ અને રાતના મળીને પાંચ પ્રહર જ્ઞાન-ધ્યાન કરવું પડશે. * મન-વચન-કાયાથી, કોઈ પણ જીવની હિંસા નહીં કરવાની. * અસત્ય નહીં બોલવાનું. * ચોરી નહીં ક૨વાની. * મૈથુન સેવન નહિ કરવાનું. * કોઈ પણ વસ્તુ પર મમત્વ નહીં રાખવાનું. * રાત્રિમાં ભોજન નહીં કરવાનું કે પાણી પણ નહીં પીવાનું. * કોઈના ઉપર ક્રોધ નહીં કરવાનો. * અપરાધીને ક્ષમા આપવાની. * સહુની સાથે નમ્રતાથી વ્યવહાર કરવાનો. * માયા-કપટ, છળ-પ્રપંચ અને દંભનો ત્યાગ કરવાનો. * લોભ નહીં કરવાનો. * પહાડ, જંગલ, ઉદ્યાન વગેરે સાધુયોગ્ય સ્થાનોમાં વાસ કરવાનો, * પગે ચાલીને એક ગામથી બીજા ગામે જવાનું. શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only EGO

Loading...

Page Navigation
1 ... 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507