________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાગદત્તે કહ્યું : ‘હે મહાનુભાવ, તું હવેલીમાં આવ. મારા પુત્રને જલોદર રોગ થયા છે. તું એ રોગને મટાડી આપ. તું માગીશ એટલું ધન આપદેશ.’
આવનાર ભીલ-વૈઘે હવેલીમાં પ્રવેશ કરી, અતિ વેદના અનુભવતા અર્હદત્તને જોયો. એની નાડી-પરીક્ષા કરી કહ્યું :
‘આ વ્યાધિ એકદમ મટી જાય એવો નથી, છતાં બરાબર ઔષધોપચાર કરવાથી એ મટી શકશે. ખાસ તો, આ રોગ જે અપથ્ય સેવનથી થયો છે, એ અપથ્યનો ત્યાગ કરવો પડશે અને પથ્યનું સેવન કરવું પડશે. હે શ્રેષ્ઠી, હું પૈસાનો લોભી નથી... મારે પૈસા જોઈતા નથી. હું ધર્મવૈદ્ય છું.
પહેલા, આ રોગનું નિદાન કરું છું, તે સાંભળો :
પૂર્વજન્મમાં કરેલાં પાપોથી આ જન્મમાં આ રોગ થયો છે. તેવી રીતે આ જન્મમાં અહિતકારી અતિશય ભોગ-ઉપભોગ કરવાથી આ રોગ થયો છે. એટલે સર્વપ્રથમ સર્વ પાપોનું મૂળ જે મિથ્યાત્વ છે, તેનો ત્યાગ કરવો પડશે.
હવે આ રોગનો ઉપચાર બતાવું છું.
* પહેલાં તો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચારિત્રનું પ્રમાદ કર્યા વિના પાલન કરવું પડશે.
* દિવસ અને રાતના મળીને પાંચ પ્રહર જ્ઞાન-ધ્યાન કરવું પડશે.
* મન-વચન-કાયાથી, કોઈ પણ જીવની હિંસા નહીં કરવાની.
* અસત્ય નહીં બોલવાનું.
* ચોરી નહીં ક૨વાની.
* મૈથુન સેવન નહિ કરવાનું.
* કોઈ પણ વસ્તુ પર મમત્વ નહીં રાખવાનું.
* રાત્રિમાં ભોજન નહીં કરવાનું કે પાણી પણ નહીં પીવાનું.
* કોઈના ઉપર ક્રોધ નહીં કરવાનો.
* અપરાધીને ક્ષમા આપવાની.
* સહુની સાથે નમ્રતાથી વ્યવહાર કરવાનો.
* માયા-કપટ, છળ-પ્રપંચ અને દંભનો ત્યાગ કરવાનો.
* લોભ નહીં કરવાનો.
* પહાડ, જંગલ, ઉદ્યાન વગેરે સાધુયોગ્ય સ્થાનોમાં વાસ કરવાનો, * પગે ચાલીને એક ગામથી બીજા ગામે જવાનું.
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
EGO