Book Title: Samaraditya Mahakatha Part 2
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 482
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રહ્યો. પોતાની ઈન્દ્રિયો ઉપર એ ઘણો સંયમ રાખ્યો હતો. પરંતુ છેવટે એ સંયમનો બાંધ માટીનો હતો ને? તીવ્ર વાસનાઓએ એ બાંધ તોડી નાખ્યો.. ભલે મારે મરવું પડશે તો મરી જઈશ, પરંતુ આ સાધુજીવન મારાથી નહીં જીવી શકાય. હું ગૃહવાસમાં જઈશ...” પરંતુ, મારાં સ્વજનો મને ઘરમાં પ્રવેશ નહીં આપે તો?' એના મનમાં પ્રશન ઊઠ્યો. “મને પ્રવેશ કેમ ના આપે? ઘર મારું છે! પત્નીઓ મારી છે, ધન મારું છે..” “કદાચ પત્નીઓ જ નારાજ થઈ જાય. ને મારો ત્યાગ કરી દે તો? ના, ના, એ સ્ત્રીઓ મારો ત્યાગ નહીં જ કરે. તેઓ મને ખૂબ ચાહે છે...' ફરીથી રોગ પેદા થશે... ને હવે વૈદ્ય ના આવે.. તો એ ઘોર પડા હું સહન કરી શકીશ? નહીં સહન કરી શકું એ ઘોર વેદના... તો અગ્નિપ્રવેશ કરીને મરી જઈશ. મોતથી વધીને બીજું શું થવાનું છે?' ભલે લોકો નિંદા કરે, સ્વજનો નિંદા કરે... હું ઘરની બહાર જ નહીં નીકળું! પછી મારી નિંદા મારે ક્યાં સાંભળવાની છે? હું કોઈને મળશ પણ નહીં..” “પેલા રોગની પીડા કરતાં. આ સાધુજીવનમાં મને વધુ પીડા થઈ રહી છે.. મનની પીડા છે આ..! અસહ્ય પીડા છેશું કરું? ઘરમાં જાઉં તો તનની ઘોર પીડા. છે, સાધુજીવનમાં મનની ઘોર પીડા છે... ખરેખર, હું પીડા સહવા માટે જ જન્મયો છું?” રોજરોજ આવા વિકલ્પોથી અહદત્ત ભરાઈ ગયો... કંટાળી ગયો... મૂઢ બની ગયો. અને એક દિવસ તેણે દીક્ષા છોડી દીધી.... ગૃહવાસમાં ચાલ્યો ગયો. જ એક કે છે ભાગ-ર જ ભવ છઠો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507