Book Title: Sadhuta ni Pagdandi Part 6 Author(s): Manilal Patel Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad View full book textPage 4
________________ બે બોલ પૂ. મુનિશ્રી સંતબાલજીની વિહારયાત્રા એ એક પ્રકારની ધર્મયાત્રા છે, સામાજિક ક્રાંતિ તેમણે જે ખેડી તે તેમના રોજેરોજના જીવન પ્રસંગોમાં જોવા મળે છે. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવ્યે જા.” આ ગીતનો અર્થ શોધવો હોય તો તમને તેમની વિહારયાત્રાઓમાંથી મળી રહેશે. આ ડાયરીનું મૂલ્યાંકન વાચકો કરશે ત્યારે તેમને બે પ્રદેશો - ગુજરાત અને મહારાષ્ટ્રની સંસ્કૃતિ જોવા મળશે. બે ચાતુર્માસ - આદરોડા અને ઘાટકોપર - એક ગામડું એક મહાનગર - બંનેની પ્રજાની ભક્તિ જોવા મળશે. આ દરોડા રજપૂતકેન્દ્રી, ઘાટકોપર વણિકકેન્દ્રી... ગુરુ અને શિષ્યનાં ચાતુર્માસ - ગુરુદેવનું બોરીવલીમાં, સંતબાલજીનું ઘાટકોપરમાં જોવા મળશે. અને સૌથી મોટી વાત તો તેઓ પ્રજાને કોઈ ને કોઈ સમાજોપયોગી પ્રવૃત્તિમાં જોડવા ઇચ્છે છે. ભાલમાં હતા તો ગ્રામસંગઠન – શહેરમાં આવ્યા તો પ્રાયોગિક સંઘ અને માતૃસમાજ - આ એમની પ્રજાઘડતરની કુનેહ છે. મહારાષ્ટ્રના ઝડપી પ્રવાસમાં એક તો થોડી ભાષાની મુશ્કેલી તેમ છતાં ભાવ પકડ્યો છે. ટૂંકી લખાઈ છે. આ છાપેલી ડાયરી વાંચવા જેટલો સમય મને રહ્યો નથી, પરંતુ ડાયરીનું સંપાદન પ્રારંભથી જ મનુભાઈ કરે છે, અને તેઓ પણ મારી ગેરહાજરીમાં અવારનવાર મહારાજશ્રીની વિહારયાત્રામાં છેકથી રહેતા આવ્યા છે, એટલે વિગતો જાણે છે. તેમની ક્રાંતિની દષ્ટિ સમજીએ. તેમના ચરણોમાં વંદના સાથે... - મણિભાઈ બા. પટેલ સાધુતાની પગદંડી : પુસ્તક-છઠુંPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 250