Book Title: Purusharth siddhi upay
Author(s): Amrutchandracharya, 
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 139
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૮ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય અન્વયાર્થ:- [દિતાનપેક્ષા] આ લોક સંબંધી ફળની ઇચ્છા ન રાખવી, [ ક્ષાન્તિ: ] ક્ષમા અથવા સહનશીલતા, [નિપટા] નિષ્કપટપણું, [અનસૂયત્વમ્ ] ઇર્ષારહિતપણું, [ અવિષાવિત્વમુવિત્વ ] અખિન્નભાવ, હર્ષભાવ અને [ નિહારિત્વમ્ ] નિરભિમાનપણું [ તિ]-એ રીતે આ સાત [હિ] નિશ્ચયથી [ વાતૃમુળા: ] દાતાના ગુણ છે. ટીકા:- ‘દિ પેદિતાનપેક્ષા, ક્ષાન્તિ:, નિષ્કપટતા, અનસૂયત્વમ્, અવિષાવિત્વમ્— મુવિત્વમ્, નિ ંારિત્વમતિ સપ્ત વાતૃમુળા: સન્તિ।' અર્થ:-૧-ઐહિકલ-અનપેક્ષા-દાન આપીને આ લોક સંબંધી સારા ભોગોપભોગની સામગ્રીની ઇચ્છા ન કરવી. ૨-ક્ષાન્તિ-દાન આપતી વખતે ક્ષમાભાવ ધારણ કરવો. ૩-નિષ્કપટતા-કપટ ન કરવું તે. બહારમાં ભક્તિ કરે અને અંતરંગમાં પરિણામ ખરાબ રાખે તેમ ન કરવું જોઈએ. ૪-અનસૂયત્વમ્-બીજા દાતા પ્રત્યે દુર્ભાવ ન રાખવો. અર્થાત્ પોતાને ઘેર મુનિ મહારાજનો આહાર ન થવાથી અને બીજાના ઘેર આહાર થવાથી બીજા પ્રત્યે બુરો ભાવ ન રાખવો. ૫-અવિષાદપણું-વિષાદ ન કરવો તે. અમારે ત્યાં સારી વસ્તુ હતી તે અમે આપી શકયા નહિ વગેરે પ્રકારે ખિન્નતા કરવી નહિ. ૬મુદિતપણું-દાન આપીને ખૂબ હર્ષ ન કરે. ૭-નિરહંકારીપણું-અભિમાન ન કરવું તે. અમે મહાન દાની છીએ ઇત્યાદિ પ્રકારે મનમાં અભિમાન ન કરવું. આ `સાત ગુણ દાતાના છે. તે પ્રત્યેક દાતામાં અવશ્ય હોવા જોઈએ. આ રીતે નવ પ્રકારની ભક્તિપૂર્વક તથા સાત ગુણ સહિત જે દાતા દાન આપે છે તે દાન ઘણું ફળ આપનાર થાય છે અને જે એ સિવાય દાન આપે છે તે ઘણું ફળ આપનાર થતું નથી. ૧૬૯. કેવી વસ્તુઓનું દાન કરવું જોઈએ એ હવે બતાવે છેઃ रागद्वेषासंयममददुःखभयादिकं न यत्कुरुते । द्रव्यं तदेव देयं सुतपः स्वाध्याय वृद्धिकरम् ।। १७० ।। અન્વયાર્થ:- [[] જે [દ્રવ્ય] દ્રવ્ય [રાદ્વેષાસંયમમવવું:સ્વમયાવિ] રાગ, દ્વેષ, અસંયમ, મદ, દુ:ખ, ભય આદિ [TM તે] કરતું નથી અને [ સુતવ: સ્વાધ્યાય ૧. રત્નકરણ્ડ શ્રાવકાચાર ગા૦ ૧૩૩ માં દાતાના સાત ગુણ-૧ ભક્તિ-ધર્મમાં તત્પર રહી, પાત્રોના ગુણોના સેવનમાં લીન થઈ, પાત્રને અંગીકાર કરે, પ્રમાદરહિત જ્ઞાનસહિત શાન્ત પરિણામી થયો પાત્રની ભક્તિમાં પ્રવર્તે. ૨-તુષ્ટિ-દેવામાં અતિ આસક્ત, પાત્રલાભને પરમ નિધાનનો લાભ માને. ૩-શ્રદ્ધા, ૪-વિજ્ઞાન, ૫-અલોલુપ, ૬–સાત્ત્વિક, ૭-ક્ષમા. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197