Book Title: Purusharth siddhi upay
Author(s): Amrutchandracharya, 
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 144
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સલ્લેખનાધર્મ વ્યાખ્યાન હવે સલ્લેખનાનું સ્વરૂપ કહે છે इयमेकैव समर्था धर्मस्वं मे मया समं नेतुम्। सततमिति भावनीया पश्चिमसल्लेखना भक्त्या।।१७५।। અવયાર્થઃ- [ ફયમ] આ [1] એક [ પશ્વિમસત્તેરના 4] મરણના અંતે થવાવાળી સંલેખના જ [ ] મારા [ ધર્મā] ધર્મરૂપી ધનને [ મયા] મારી [ સમં] સાથે [ નેતુમ] લઈ જવાને [ સમર્થ] સમર્થ છે. [રૂતિ] એ રીતે [ વિયા] ભક્તિ સહિત [ સતત ] નિરંતર [ભાવનીયા ] ભાવના કરવી જોઈએ. ટીકાઃ- “ફયમ્ વ મે ધર્મવું મયા સમં નેતુનું સમર્થા રૂતિ રૂત: પશ્વિનેવના વિજ્યા સતતં ભાવનીયા' અર્થ-આ માત્ર એકલી સંલેખના જ મારા ધર્મને મારી સાથે લઈ જવાને સમર્થ છે તે કારણે દરેક મનુષ્ય આ અંતિમ સંલેખના અથવા સમાધિમરણની ભક્તિથી સદા ભાવના કરવી જોઈએ. ભાવાર્થ- સંસારનાં કારણ ક્રોધાદિ કષાય છે અને તેમનાં કારણ આહાર વગેરે. પરિગ્રહમાં ઇચ્છા છે. (સ્વસમ્મુખતાના બળવડે) એ બધાંને ઘટાડવા તેને જ સંલેખના કહે છે. આ સંલેખના પણ બે પ્રકારની છે. એક ક્રમે ક્રમે ત્યાગ કરવો અને બીજી સર્વથા ત્યાગ કરવો. તેથી વિચાર કરીને શ્રાવકે પોતાના મરણના અંત સમયે જરૂર જ સંલેખના કરવી જોઈએ. મેં જે જીવનપર્યત પુણ્યરૂપ કાર્ય કર્યું છે તથા ધર્મનું પાલન કર્યું છે તે ધર્મને મારી સાથે પહોંચાડવાને માટે આ એક સંલેખના જ સમર્થ છે-એવો વિચાર કરી શ્રાવકે અવશ્ય સમાધિમરણ કરવું.૧૭૫. मरणान्तेऽवश्यमहं विधिना 'सल्लेखनां करिष्यामि। इति भावनापरिणतोऽनागतमपि पालयेदिदं शीलम्।। ૨૭૬ ) ૧. સત્ = સમ્યફપ્રકારે, લેખના = કષાયને ક્ષીણ-કૃશ કરવાને સલ્લેખના કહે છે. તે અત્યંતર અને બાહ્ય બે ભેદરૂપ છે. કાયને કૃશ કરવાને બાહ્ય અને આંતરિક ક્રોધાદિ કષાયોનો કૃશ કરવાને અત્યંતર સલ્લેખના કહે છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197