Book Title: Purusharth siddhi upay
Author(s): Amrutchandracharya,
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
| [ ૧૪૩
એને ન્યાસઅપહાર કહે છે. જૂઠી રસીદો લખી આપવી અથવા પરાણે લખાવી લેવી કૂટલેખ છે. ૧૮૪.
અચૌર્ય અણુવ્રતના પાંચ અતિચાર
प्रतिरूपव्यवहारः स्तेननियोगस्तदाहृतादानम्। राजविरोधातिक्रमहीनाधिकमानकरणे च।। १८५।।
અન્વયાર્થઃ- [પ્રતિરુપવ્યવદાર: ] પ્રતિરૂપ વ્યવહાર એટલે સાચી વસ્તુમાં ખોટી વસ્તુ ભેળવીને વેચવી, [સ્નેનનિયોn: ] ચોરી કરનારાઓને મદદ કરવી, [ તવીતાવાન- ] ચોરે લાવેલી વસ્તુઓ રાખવી, [૨] અને [ TMવિરોધાતિ મદીનાથિવ માનવરો ] રાજાએ પ્રચલિત કરેલા નિયમોનું ઉલ્લંઘન કરવું, માપવાના કે તોળવાના ગજ, કાંટા, તોલા વગેરેના માપમાં હીનાધિક કરવું-(તે ગ્વિીસ્તેયવ્રતચ) એ પાંચ અચૌર્યવ્રતના અતિચાર છે.
ટીકા:- ‘પ્રતિરુવ્યવ૬૨: સ્પેનનિયો : ત&િતાવીનમ્ રાખવિરોધાતિઝમ: ૨ દીનાધિમાનરને રૂતિ વીર્યાનુવ્રતસ્ય પુષ્ય તીવારી: સન્તિા' અર્થ-૧. જૂઠી વસ્તુને (અશુદ્ધ વસ્તુને) ઠીક જેવી કરીને સાચી વસ્તુમાં ભેળવીને ચલાવવી, એનું નામ પ્રતિરૂપ વ્યવહાર છે, ૨. ચોરીની પ્રેરણા કરવી અથવા ચોરી કરવાનો ઉપાય બતાવવો એ બીજો સ્તનપ્રયોગ અતિચાર છે, ૩. ચોરીની વસ્તુ ખરીદવી એ ત્રીજો અતિચાર છે, ૪. રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું અથવા રાજાનો કર ન આપવો એ ચોથો અતિચાર છે. ૫. અધિક મૂલ્યવાળી વસ્તુમાં ઓછા મૂલ્યવાળી વસ્તુ ભેળવવી, માપવા-તોળવાનાં વાસણ, ત્રાજવાં વગેરે ઓછાવત્તાં રાખવાં એ પાંચમો અતિચાર છે. –આ પાંચ અચૌર્ય અણુવ્રતના અતિચાર છે. ૧૮૫.
બ્રહ્મચર્ય અણુવ્રતના પાંચ અતિચાર બતાવે છે -
स्मरतीव्राभिनिवेशोऽनङ्गक्रीडान्यपरिणयनकरणम्। अपरिगृहीतेतरयोर्गमने चेत्वरिकयो: पञ्च ।। १८६।।
અન્વયાર્થ- [ સ્મરતીવ્રામનિવેશ: ] કામસેવનની અતિશય ઇચ્છા રાખવી, [ ની] યોગ્ય અંગો સિવાય બીજાં અંગો સાથે કામક્રીડા કરવી, [ ન્યપરિળયનરમ્] બીજાના વિવાહ કરવા [ ] અને [કારિગૃહીતેતરયો: ] કુંવારી કે પરણેલી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197