Book Title: Purusharth siddhi upay
Author(s): Amrutchandracharya, 
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 179
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૮ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય અવયાર્થઃ- [ રૂતિ] આ રીતે [તત્] પૂર્વોક્ત [ રત્નત્રયમ] સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રરૂપ રત્નત્રય [ વિનમ્] એકદેશ [] પણ [ નિરત્યયા] અવિનાશી [ મુસ્િ] મુક્તિને [ મિત્તષિતા] ચાહનાર [ ગૃહસ્થન] ગૃહસ્થ [ નિશ] નિરંતર [પ્રતિસમાં] સમયે સમયે [પરિપાનનીયન્] સેવવા યોગ્ય છે. ટીકા - ‘તિ પ્રતત્ રત્નત્રયં પ્રતિસમયે વિવરને કપિ નિરત્યયાં મુ#િ મિષિતા ગૃહથેન નિલ્સ પરિપાનનીયમ્' અર્થ-આ રીતે આ રત્નત્રય અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રનું ગૃહસ્થ શ્રાવકે પણ એકદેશપણે સદેવ મોક્ષને ઇચ્છતો થકો પાલન કરવું જોઈએ. ભાવાર્થ:- મુનિને રત્નત્રય પૂર્ણરૂપે છે અને ગૃહસ્થ શ્રાવક સંપૂર્ણ રત્નત્રયનું પાલન કરી શકતો નથી તેથી તેણે એકદેશ પાલન કરવું જોઈએ પણ રત્નત્રયથી વિમુખ થવું ન જોઈએ, કેમકે રત્નત્રય જ મોક્ષનું કારણ છે. મુનિને રત્નત્રય મહાવ્રતના યોગથી સાક્ષાત્ મોક્ષનું કારણ છે અને શ્રાવકને અણુવ્રતના યોગથી પરંપરા મોક્ષનું કારણ છે, અર્થાત જે શ્રાવકને સમ્યગ્દર્શન થઈ જશે તેનું અલ્પજ્ઞાન પણ સમ્યજ્ઞાન અને અણુવ્રત પણ સમ્યક્રચારિત્ર કહેવાશે, તેથી રત્નત્રયનું ધારણ કરવું ઘણું જરૂરી છે. સાત તત્ત્વોની શ્રદ્ધા કરવી તે વ્યવહારસમ્યગ્દર્શન અને નિજસ્વરૂપની શ્રદ્ધા અર્થાત્ સ્વાનુભવ થવો તે નિશ્ચયસમ્યગ્દર્શન છે. જિનાગમથી આગમપૂર્વક જે સાતે પદાર્થોને જાણી લેવા તે વ્યવહારસમ્યજ્ઞાન અને નિજસ્વરૂપનું ભાન અર્થાત્ આત્મજ્ઞાન થવું તે નિશ્ચયસમ્યજ્ઞાન છે. અશુભકાર્યોની નિવૃત્તિપૂર્વક શુભકાર્યોમાં પ્રવૃત્તિ કરવી તે વ્યવહારસમ્મચારિત્ર અને શુભપ્રવૃત્તિથી પણ નિવૃત્ત થઈને શુદ્ધોપયોગરૂપ નિજસ્વરૂપમાં સ્થિર થવું તે નિશ્ચયસમ્યફચારિત્ર છે.-આ રીતે સંક્ષેપથી રત્નત્રયનું શ્રાવકે એકદેશપણે અવશ્ય જ પાલન કરવું જોઈએ. રત્નત્રય વિના કોઈનું પણ કલ્યાણ નથી. ૨૦૯. ગૃહસ્થોએ શીધ્ર મુનિવ્રત ધારણ કરવું જોઈએ, એમ બતાવે છે - बद्धोद्यमेन नित्यं लब्ध्वा समयं च बोधिलाभस्य। पदमवलम्ब्य मुनीनां कर्त्तव्यं सपदि परिपूर्णम्।। २१०।। અન્વયાર્થ- [૨] અને આ વિકલરત્નત્રય [ નિત્યં ] નિરંતર [ વહ્વોચમેન] ઉદ્યમ કરવામાં તત્પર એવા મોક્ષાભિલાષી ગૃહસ્થ [ વોથિનામ ] રત્નત્રયના લાભનો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197