Book Title: Pravachana Parag
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 113
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ ૧૦૪ પ્રવચન શરીરને સ્પર્શે છે. કાનમાં પડે છે પરંતુ અંતરમાં એક પણ શબ્દ જાય નહીં. હૃદયમાં સ્પર્શ ન થાય તો પછી પા-પથ્થરનો શો દોષ? પરોપકાર પછી સ્વયંની પ્રાપ્તિ કરવી સહજ છે. જે ભુલોની સ્વીકૃતિ ભાવપૂર્વક કરે છે તે સંસારનાં બંધનોથી મુક્ત બની જાય છે. એને માટે સ્વયંને યોગ્ય બનાવો. हरिभद्रेण रचयिता इदम् ग्रन्थम् હરિભદ્રસૂરિ આ ઘર્મગ્રંથના રચયિતા છે. એક હજાર વર્ષ પૂર્વે થયેલા એ મહાન આચાર્ય હરિભદ્ર હતા. ચાર વેદોના જ્ઞાતા, પિતાનું નામ શંકર ભટ્ટ અને માતા ગંગાદેવી. જૈન સાધ્વીજીનો પરિચય થયો અને જીવનમાં પરિવર્તન થયું. આંતરબાહ્ય કરુણાથી ભરેલાં હતાં. પચીસ સો વર્ષમાં આવા મહાન કારુણિક, દયાના ભંડાર, ૧૪૪૪ ગ્રંથોના રચયિતા થયા નથી. કાશીમાં સરસ રીતે ભણી-લખીને અજોડ વિદ્વત્તા પ્રાપ્ત કરી. દેશ-પરદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરી. જેવો ચિતોડમાં પ્રવેશ કર્યો તો રાજા અને પ્રજાએ બેજોડ ઉત્સાહપૂર્ણ સ્વાગત કર્યું. ત્યાં જે રાજા હતા તે પ્રજાપ્રિય હતા. તે રાણા પ્રતાપના પૂર્વજ હતા. હરિભદ્ર ભટ્ટ સ્વયં ચિતોડના હતા. તેમણે ચિતોડમાં પ્રવેશ કર્યો. તેમના પ્રવેશથી ચિતોડની પ્રજામાં અકલ્પનીય આનંદ છવાઈ ગયો. ઉલ્લાસ હતો. હરિભદ્ર ભટ્ટના જીવનમાં તે અણમોલ દિવસ હતો. એક શ્રાવક (કપડાના વેપારી હોવાથી કાર્યાદિક) હરિભદ્રના પ્રથમથી ભક્ત હતા. તેમણે હરિભદ્ર ભટ્ટનો ભવ્ય પ્રવેશ કરાવ્યો હતો. તે ચોવીસ કલાક તેની સેવામાં ઊભા રહેતા હતા. કરુણાના ભંડાર દીન-દુઃખી, દરિદ્રને જોતાં જ હરિભદ્રસૂરીનું હૃદય દ્રવિત થઈ જતું. તેમનું અંતઃકરણ અતિ કોમળ હતું. ભિક્ષા સમયે ગોચરી-આહાર કરવા માટે બેસતા તે વખતે કોઈ ભૂખ્યાને જુએ, તે તેની પાસે જાય તો પોતે આહારનો ત્યાગ કરતા. કેવી બેજોડ કરણા? જ્યારે ગોચરીનો સમય આવતો ત્યારે આચાર્યના હૃદયમાં દર્દપીડા ના જન્મે એટલા માટે આચાર્યશ્રી જ્યારે ભોજન કરે ત્યારે નગરમાં કોઈ ભૂખ્યું ન રહેવું જોઈએ. એટલા માટે ગરીબોને આમંત્રણ આપતા, તેમને તૃપ્ત કરતા. પ્રેમથી ભોજન કરાવતા. પૈસા, કપડાં, આદિ અન્ય ચીજોની જરૂરત હોય તો, તે પૂરી કરતા. એવા એ મહાન હતા. આચાર્યજીની સેવામાં તે હંમેશાં ઉપસ્થિત રહેતા. એવા આર્ટ, પવિત્ર, નિર્મળ હૃદયી આચાર્યજીના હૃદયમાંથી નીકળેલા શબ્દો કેટલા પવિત્ર હશે ? એમનું જીવન કરુણાથી, દયાથી, વાત્સલ્યથી, પ્રેમથી ભરપૂર હતું. બીજાઓનું દુઃખ પોતાનું દુઃખ માનનાર એવા પવિત્ર, કરુણાસાગરના આ શબ્દો છે – તે કહે છે : “ગ્રંથમાં પ્રવેશ ન કરવો, સ્વયંમાં પ્રવેશ કરવાનો છે.' For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158