________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
૧૩૯ કોટવાલે પૂછ્યું : એ મુલ્લા, આ શું કરી રહ્યો છે?
મુલ્લા : “સાહેબ, અહીંથી જઈ રહ્યો હતો તો અહીંથી કોઈ દિવ્ય પ્રકાશ નીકળતો જોયો ! અહીંથી તે ઉપર ગયો. તો મને એવું લાગ્યું કે આ કોઈ પવિત્ર ઠેકાણું છે, તે દિવ્ય પ્રકાશ અહીંથી ગયો છે. એટલા માટે મેં તેના પર ફૂલ ચડાવ્યાં.”
કોટવાલઃ એમ વાત છે ! સરસ ! બહુ સરસ !
કોટવાલ : “હશે કોઈ દેવી-દેવતા,” તે ગામમાં ગયો. ધીરે ધીરે વાત ફેલાઈ ગઈ કે દરવાજા પાસે કોઈ પરમ શક્તિ છે. પછી તો લોકો ફૂલ લઈને આવી ગયા. તેના પર ફૂલ ચઢાવ્યાં ! ફૂલોનો તો ત્યાં ઢગલો થઈ ગયો.
ત્યાં બીજો મુલ્લો આવ્યો. તેણે વિચાર્યું – “અહીં કોઈ કબર હશે. ત્યાં બીજા બે-પાંચ મુલ્લા આવી ગયા. લીલી ચાદર ઓઢાડી દીધી. ધૂપ કર્યો, અને ત્યાં બેસી
ગયા.
મુલ્લા તો ઝઘડવા માંડ્યા : “અરે ! પહેલાં તો અમારા મુલ્લાએ એને જોયું છે – અહીં તો દરગાહ છે.
તો હિન્દુ કહેવા લાગ્યા : “આ જગ્યા તો હિન્દુઓની છે. કોટવાલ સાહેબે એને જોઈ છે. તેમણે જ આ વિશે વાત કરી છે.
એકબીજા કોઈનું માનવા તૈયાર નહીં. બંનેની વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો. નવાબ પાસે વાત પહોંચી. નવાબ બોલ્યા : “હિન્દુ મુસલમાન મારી બે આંખો છે.”
ધર્મના નામ ઉપર ઝઘડવું નહીં જોઈએ. નવાબ પ્રામાણિક હતો. તેની સવારી ત્યાં પહોંચી ગઈ.
તેમણે કહ્યું: “બે હિન્દુ, બે મુસલમાન અને એક હું, એવા પાંચ આદમી મળીને નિર્ણય કરીશું કે એ સ્થાન કોનું છે?
તેને ખોદીશું. હિન્દુઓનું નીકળશે તો હિંદુઓનું અને મુસલમાનોની દરગાહ નીકળે તો મુસલમાનોને સોંપી દઉં!
તો ત્યાંથી ફૂલ હટાવી દીધાં. ત્યાં જઈને નવાબ ગુસ્સે થઈ ગયો : “અરે ગધેડાઓ, મને પણ ગધેડો બનાવ્યો ?' સર્વનાં મોં ઉતરી ગયાં.
હવે કોણ તે જગ્યા માટે અધિકારની વાત કરે ? કોઈ ન આવ્યું. આ છે. અંધશ્રદ્ધા.
પોપે ચિઠ્ઠી દેવાની શરૂઆત કરી દીધી, સ્વર્ગમાં એડવાન્સ બુકિંગ માટે. જ્ઞાનમાં અનુસંધાન હોય તો કેવું વિપરીત પરિણામ આવે છે.
એક વિચારક પોપ પાસે ગયા. દસ પાઉન્ડ આપીને, સ્વર્ગમાં જવા માટેનો પરવાનો લઈ ઍડવાન્સ બુકિંગ કરાવી લીધું.
For Private And Personal Use Only