Book Title: Pravachana Parag
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 152
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ ૧૪૩ સિપાહીઓ ગયા. ચાંદની ચોકમાંથી એક સોળ વરસના મહાજનના છોકરાને પકડીને લાવ્યા. છોકરાએ રાજદરબારમાં આવીને પૂછ્યું: “મારું શું કામ પડ્યું? શા માટે મને બોલાવાયો? સુલતાન : એક પ્રશ્ન છે : એ બતાવ કે જે ખુદા નથી કરી શકતા, પરંતુ સુલતાન કરી શકે છે. એવી કઈ વાત છે? છોકરો : આ તો બહુ સાધારણ પ્રશ્ન છે. આનો જવાબ કોઈ પણ દઈ શકે છે. મુલ્લા તો આશ્ચર્યચકિત થઈ ગયા. તે બોલ્યા : “ જો ખુદા વિરુદ્ધ કોઈ જવાબ દઈશ તો પરિણામ સારું નહીં હોય !” જૈન ધર્મ કોઈ ધર્મની આલોચના નથી કરતો. છોકરો બોલ્યો : જહાંપનાહ, ખુદા બધું કરી શકે છે પણ એક વાત નથી કરી શકતા. સુલતાન : ને તે શું? છોકરો : આખું જગત – પાતાળ, સ્વર્ગ ખુદાનાં છે. લેશમાત્ર એટલી જગ્યા નથી જ્યાં ખુદા ન હોય. સુલતાન : બરાબર. સર્વ ખુદાનું છે. છોકરો : પરંતુ ખુદા કોઈને દેશની બહાર નથી કાઢી શકતા. એને દેશમાંથી કાઢી મોકલે ક્યાં ? આ વાત ખુદા નથી કરી શકતા તે આપ કરી શકો છો - આપ કોઈને પણ દેશબહાર કાઢી શકો છો. સુલતાન : કહો મુલ્લાજી, આ વાત કુરાનમાં છે કે નહીં? મુલ્લા : જી હા જહાંપનાહ! હેમુ કુશાગ્ર બુદ્ધિશાળી. અતિપ્રભાવશાળી, બાદશાહના કોઈ પણ સવાલનો જવાબ તે સમાધાનકારક દઈ શકતા હતા.. હેમુને ઘણાએ સલાહ આપી કે બાદશાહની નોકરી – રાજા, વાજા ને વાંદરા જેવી. તો તેની નોકરી ન કરવી. બજારનો સમય થઈ ગયો “હિસાબ રાખનારો બહુ ડરપોક હતો. હેમુએ તેને કહ્યું : તું ઘઉંની જાડી રોટી બનાવી નાખ. તેના પર પૂરા વરસના જમા-ખર્ચ લખી નાખજે. એને સાથે લઈને જજે. ચોપડો ખાવાનો જ્યારે સમય આવે તો રોટી ખાઈ જજે.” તે જ પ્રકારે તેણે કર્યું. હિસાબનીસને મોટી રોટી સાથે આવેલો જોઈ સુલતાન આશ્ચર્યચકિત થઈ ગયો. તેમણે પૂછ્યું: આ શું છે? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158