________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
પ્રવચન ૫રાગ - હવે આ પોપ, મોટો ખજાનો લઈને રોમથી, વેટિકન આવતા હતા. શ્રદ્ધાળુ લોકોએ તેમને ઘણું આપ્યું હતું. એનો મોટો ખજાનો લઈને જતા હતા. ત્યાં રસ્તામાં પહેલા દસ પાઉન્ડ દઈને પરવાના લીધેલા. ડાકુઓએ એને રોક્યા. એને બધાએ ઘેરી લીધા.
તે બોલ્યા : જે હોય તે નીચે રાખી દો.
પોપે બગીમાં બેઠાં બેઠાં ગર્જના કરીઃ “તમને ખબર છે, હું કોણ છું? તને શાપ દઈશ તો તું નરકમાં જઈશ !'
ડાકુ : “નરકમાં હું નહીં જાઉં મેં પ્રથમ જ અમારે માટે સ્વર્ગમાં જવા માટે પરવાના લઈ લીધા છે ! એટલા માટે મરીશ તોપણ સ્વર્ગમાં જ જઈશ. આપને લૂંટવા માટે આજે હું આવ્યો છું.
જ્યાં માનવતા નથી, ત્યાં પરોપકાર નથી ત્યાં બુદ્ધિને લગામની જરૂર છે. યમ, નિયમ, સંયમનું અનુશાસન જોઈએ.
ત્યાં જ્ઞાન નહીં, સમ્યક જ્ઞાન જોઈએ. સમ્યક જ્ઞાનના પરિચય પછી “કર્તવ્યની ભાવના' પ્રગટ થશે. કર્તવ્યનું પાલન, તે ધર્મનો પ્રાણ છે. સમ્યક કર્તવ્ય વિમુખ ન હોય. કુળ પરંપરાથી જે ધર્મ અનુષ્ઠાન થાય છે તેનું પાલન કરો. “મિતભાષી બનો.' વધુ બોલવામાં નુકસાન છે. ત્યાં ક્લેશનું આગમન થાય છે. જ્યાં મૌન ત્યાં કલેશનું મૃત્યુ. . બોલવું હોય તો પ્રેમપૂર્વક બોલો.
બોલવામાં સંપૂણ દક્ષતા રાખવી જોઈએ. સાવધાન રહેવું જોઈએ. પરમાત્માએ જે કહ્યું છે, તે ધર્મથી આચરણ કરવાનું છે. ધર્મમાં – સાધનામાં વિકાસ કરો. અસત વ્યવહારનો ત્યાગ કરો.
ફાજલ ખર્ચ ન કરો. મર્યાદાપૂર્વક – વિચારથી ખર્ચ કરો. મર્યાદા બહાર ખર્ચ થાય તો અસંતોષ જન્મે છે, ક્લેશ ઉત્પન્ન કરે છે.
જરૂરત વધશે તો ચિંતા વધશે.
તમે એમ કહેશો કે, ફર્નિચરની જરૂરત છે, તે લાવીએ. ફિઝની જરૂર છે તો તે લાવ્યા. સોફાસેટ લાવ્યા. એર કુલર લાવ્યા. પછી એવું લાગશે કે જતાં જતાં તકલીફ થાય છે તો સ્કૂટર લાવ્યા.
તમે સમસ્યા વધારો છો. પેટ ભરવું આસાન છે, પેટી ભરવી મુશ્કેલ છે. પેટની ભૂખ મટશે પરંતુ પેટીની ભૂખ નહીં મટે.
શ્રાવક સદાચારી હોય, સ્વયં પર નિયંત્રણ કરનારા હોય, જીવનનિર્વાહ માટે નીતિનો માર્ગ અપનાવનાર હોય. અયોગ્ય અનીતિ માર્ગ આપ અપનાવશો તો આપ તે માર્ગ પર ચાલ્યા કરશો.
For Private And Personal Use Only