________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોલંકી કાળનાં છે. જયારે કુટિર પરનું ચંદ્રશાલાનું અલંકરણ પ્રાફ-સોલંકી એટલે કે ઇસુની આશરે આઠમી સદીનું હોઈ, તે કુટિર કરતાં પણ પહેલાના સમયનું હોવાનું પુરવાર થાય છે.
આ વાવના કૂવામાં ઉપરના સીરોમાં થોડા થોડા અંતરે બદલ [ઘોડો] કાઢેલા છે. એ પણ વાવના અલંકરણની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ નમૂના છે. આમ આવી રીતે જોઈએ તો મોઢેરાની આ પ્રાચીન વાવ એક મજલા વાળી નાળારી વાવનો એક પ્રારંભિક અને નાનકડો પણ મહત્ત્વપૂર્ણ નમૂનો છે.
મોઢેરા મુકામે આવેલી આ પ્રાચીન પૌરાણિક વાવ તથા તેની પાછળના ભાગે “રાયડી હવા મહેલ” ના નામે ઓળખાતું સ્મારક રાજય પુરાતત્ત્વ ખાતા દ્વારા રક્ષિત સ્મારકો જાહેર થયેલ છે.
હાલમાં આ પ્રાચીન નગરી મોઢેરાની નજીકમાં આવેલા યાત્રા સ્થળોમાં સૂર્યમંદિર, મોઢેશ્વરી માતા, બહુચરાજી, શંખલપુર વગેરે સ્થાનો આવેલાં છે.
પથિક - વૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ મે ૧૮
For Private and Personal Use Only