Book Title: Papni Saja Bhare Part 14
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 16
________________ ૫૮૧ ઉપાસના અને વૈરાગીને સમાગમ-સેવાથી સંસારને રાગ પણ ઓછો થઈ શકે છે. આથી ધર્મ કરવાની અનુકૂળતા મનુષ્ય ગતિમાં જેટલી સુલભ છે તેટલી અન્ય કોઈ ગતિમાં નથી. વિર અને દ્વેષને વ્યાપ્તિ સબંધ એકના અસ્તિત્વની સાથે બીજાનું અસ્તિત્વ અવશ્ય હોય તે અન્વય વ્યાપિત કહેવાય અને એકના અસ્તિતવની સાથે બીજી વસ્તુ ન પણ હોય તે વ્યતિરેક વ્યાપ્તિ કહેવાય. કેને તેની સાથે અનિવાર્ય સંબંધ છે? એ આ વ્યાપ્તિ સંબંધથી સમજાય તેમ છે. જેવી રીતે ધૂમ અને અગ્નિમાં વિચારીએ તે જ્યાં જ્યાં ધૂમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય છે એ અન્વય વ્યાપ્તિ છે. પણ જ્યાં જ્યાં અગ્નિ હેય ત્યાં ત્યાં ધૂમાડે હેાય જ, એ નિયમ નથી. દા.ત. ધગધગતા લોઢાના ગોળામાં અગ્નિ છે. પણ ધૂમ નથી. એવી જ રીતે દ્વેષ અને વિરના સંબંધમાં તપાસીએ સૌ પ્રથમ એમ વિચારીએ કે જ્યાં જ્યાં દ્વેષ હોય ત્યાં ત્યાં વૈર હોય છે? કે જ્યાં જ્યાં વૈર હોય ત્યાં ત્યાં દ્વેષ હોય છે? કે કોની જોડે નિશ્ચિત રૂપે હંમેશા રહે છે? વિચારતા જણાય છે કે જ્યાં દ્વેષ હોય છે ત્યાં હંમેશા વૈર હોય જ એ નિયમ નથી. છેષ હંમેશા વૈરને જનક બને છે એવું નથી. કારણ કે દ્વેષથી અભાવ અપ્રીતિ ઈર્ષ્યા રેષ કઈક પ્રત્યે અરૂચિ, મત્સર, અસૂયા વિગેરે પણ થઈ શકે છે. વૈર જ થાય એવું નથી વિર પણ થઈ શકે છે. ઘરમાં દેરાણી જેઠાણીમાં ઈષ્ય છે, પંરતુ વૈર નથી. એક જ વસ્તુના બે પ્રતિસ્પધી વેપારીઓમાં સ્પર્ધા છે. પરંતુ વૈર નથી. રમતગમતના ક્ષેત્રે અભ્યાસ ક્ષેત્રે ભણવામાં રસ્પર્ધા છે. એકને હરાવીને પિતાને જીતવાની ઈચ્છા છે. પરંતુ વૈમનસ્ય નથી. આથી દ્વેષ હોય ત્યાં વૈર હોય જ એ નિયમ નથી. પરંતુ હા જ્યાં વૈર હોય છે ત્યાં દ્વેષ જરૂર જ હશે. જેવી રીતે ધૂમાડાની સાથે અનિ અવશ્ય હાય છે. એ જ રીતે વર છે તે દ્વેષ નિશ્ચિત છે. આવી રીતે વૈરને દ્વેષ સાથે અવિનાભાવ સંબંધ છે. Àષના પ્રકાર તે હેષ ઈષ્પષ ગુણદ્વેષ જાતીચઢેષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42