Book Title: Papni Saja Bhare Part 14
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 24
________________ - ૫૮૯ વીતરાગી બની કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સર્વજ્ઞ ભગવાન બન્યા. નરકથી નીકળી અગ્નિશર્માને જીવ ચંડાળ કુળમાં ગિરિષેણ નામને ચંડાળ બન્યા. તે આગ લગાડીને મુનિને મારવા ઈચ્છતા હતા, પરંતુ ચરમશરીરીને મારી ન શક અને મુનિને કેવળજ્ઞાન થઈ ગયું. આ કેવલીએ જ આ પિતાની નવ નવ જન્મની ભવ પરંપરા બતાવી છે. ગિરિણ મરીને ફરી સાતમી નરકમાં નારકી બચે. શ્રી સમરાદિત્ય કેવળી મેક્ષમાં ચાલી ગયા. ગુણસેનના જીવે નવ જન્મમાં પિતાની ભવ પરંપરા પૂરી કરીને મેક્ષ મેળવી લીધો. કારણ કે એના મનમાં તો અંશ માત્ર પણ દ્વેષ ન હતા, જ્યારે અગ્નિશમના મનમાં તે દ્વેષ, વૈરની માત્રા જન્મજમમાં વધતી જ ગઈ. તેનું પરિણામ એ આવ્યું કે તે અનંત કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરશે. એકપક્ષી વૈર ભગવાન પાર્શ્વનાથની દસ ભવની પરંપરામાં અને સમરાદિત્યની ૯ ભવની પરંપરામાં નોંધવા લાયક સારી વસ્તુ તે એ છે કે આ બંને પ્રસંગે વર-દ્વેષ એક પક્ષી જ હતે. એથી ૯ અથવા ૧૦ ભાવમાં પણ સંસારને અંત આવ્યો. પરંતુ જ્યાં પતિ-પત્ની, ભાઈ-ભાઈ, સાસુવહુ, ભાઈ-બહેન આદિ સંબંધમાં જે બંનેને પરસ્પર વૈર વૈમનસ્ય હોય તે પછી પરિણામ શું આવે? નિયાણું બાંધે તે કેવું બાંધે? વિચારવા જેવું તે એ છે કે ભગવાન પાર્શ્વનાથ અને સમરાદિત્ય ૧૦ અને ૯ ભાવમાં મેક્ષ ન પામ્યા હોત તો કમઠ અને અગ્નિશમ તરફથી વૈરની પરંપરા અત્યારે પણ અટકી ન હેત ! ! ! ચાલુ જ રહેત. કારણ કે નિયાણું જ એવા પ્રકારનું હતું. એટલા માટે આ તે તેઓની વાત હતી કે જેઓ મેક્ષમાં ચાલ્યા ગયા, પરંતુ જે મેક્ષમાં ન ગયા હેત તે એવા કેઈ ઉભયપક્ષી વૈરી જીવની વાતને વિચાર કરીએ તે એનું સ્વરૂપ કેવું બને? તેઓના વૈરની પરંપરાને અંત કયારે આવે? જ્યાં સુધી ષ એક પક્ષી છે. ત્યાં સુધી તે સારું છે ને કે ષ લેશ માત્ર પણ સારે નથી ! પરંતુ રાગ દ્વેષના નિયાણાને સંસાર ઘણે જ વિચિત્ર ભગવાન મહાવીરના પૂર્વજન્મમાં દ્વેષ ભગવાન મહાવીરના આત્માએ પણ પોતાની ૨૭ ભવની પરંપરામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42