Book Title: Paisa No Vyavahar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 161
________________ સેટીંગ બાકી છે. પૈસાનો વ્યવહાર ૧૫૩ ૧૫૭ પૈસાનો વ્યવહાર એટલે પાશવતાના વિચાર કે કોનું લઈ લઉં ને ક્યાંથી ભેગું કરું ?! અલ્યા, આ તો ફ્રી ઑફ કોસ્ટ છે, એને શું કરવા માથાકુટ કરે છે ? આ તો હિસાબ તારો નક્કી થઈ ગયેલો છે કે તને આટલા પૈસા આવશે. આ પેશન્ટ આટલા પૈસા આપશે અને આ પેશન્ટ એક આનોય નહીં આપે ! વિશ્વાસઘાત છતાં રહ્યા વિશ્વાસુ ! એટલે આપણે તો છેતરાઈને આગળ જવું. સમજીને છેતરાવા જેવી પ્રગતિ આ જગતમાં કોઈ પણ નથી. મનુષ્ય જાતિ પરનો વિશ્વાસ એ તો બહુ ઊંચી વસ્તુ છે. દસ જણાના વિશ્વાસઘાત થાય તો બધાંને છોડી દેવા ? ના છોડી દેવાય. આપણા લોક તો શું કરે છે ? બે-પાંચ ભાઈબંધોએ દગો દીધો હોય તો “આ બધા દગાખોર છે, બધા દગાખોર છે' કહેશે. અલ્યા ના બોલાય. આ તો આપણી હિન્દુસ્તાનની પ્રજા, આમ આડવંશ દેખાય છે આવી, પણ પરમાત્મા જેવા છે ! ભલેને સંજોગોને લીધે આવી દશા થઈ છે, પણ મારું જ્ઞાન આપું તો એક કલાકમાં તો કેવા થઈ જાય છે ! એટલે પરમાત્મા જેવા છે. પણ એમને સંજોગ બાયો નથી. ખિસ્સામાં મૂકી દેવાના. દાદાશ્રી : એવું છેને, હું વ્યવહારમાં ધંધો કરતો'તોને, ત્યારે રૂપિયારૂપિયાની નોટોની થોકડીઓ આપે, અગર તો પાંચ-પાંચની નોટોની થોકડીઓ આપે, એને ગણવા જઉં તો મારો ટાઈમ કેટલો બધો વેસ્ટ થાય ? બહુ ઝડપી મારું મશીન તો, મિનિટમાં ત્રણ હજાર રીવોલ્યુશન ફરે એવું મશીન ! હવે આ પાંચસો રીવોલ્યુશન શી રીતે સંધાય ? તોડી નાખે એ તો, એટલે બે-પાંચ નોટો ઓછી હશે, પચ્ચીસ રૂપિયા ઓછા હશે. બનતા સુધી ઓછા હોય જ નહીં, એવું આપણે જાણીએ. અને બહુ ત્યારે પચ્ચીસ ઓછા હશે. વધારે તો આવવાના જ નહીં પણ વગર કામનું બે રૂપિયા માટે ત્રણ-ત્રણ વખત ગણે લોકો ! સો રૂપિયામાં બે રૂપિયાની ભૂલ થાય ને, તો ત્રણ વખત ગણે. અલ્યા, વખત તો જુઓ ! અરે પરચૂરણ હોય ને આઠ આના ઓછા થતા હોય તો સો રૂપિયા ફરી ગણે. હું આવું બધું ગણું નહીં. હું તો ઓછું-વધતું લઈ લઉં. શિખવાડ્યો, આમ વ્યવહાર ! પ્રશ્નકર્તા : તો દાદા આ ભાઈએ પૈસા આપ્યા, તો અહીં પૈસા ગણવાનું કેમ કહો છો ? દાદાશ્રી : આને ગણવાનું કહ્યું એનું શું કારણ ? કે તમારી ટેવ જુદી છે, મારી ટેવ જુદી છે. હું કોઈને માટે કશું વિચાર કરું એવો નથી. એમ માનો કે તમે છે તે એક હજાર રૂપિયા આ ભાઈને આપ્યા. એ ભાઈ વળી કોઈને કહે છે કે ઝાલજે, હું આવું છું પેલાએ સો કાઢી લીધા વચ્ચે. હવે એ ભાઈએ ગણ્યા નથી. એ ભાઈ મને આપે કે આ હજાર હું પાછો આ સાહેબને આપું કે હજાર લો. તો આ સાહેબ કહેશે કે સો ઓછા છે. કોણે લીધા હશે ? હવે કેટલા માણસને દુ:ખદાયી થઈ પડે ? અને શંકા કોની પર રાખવી ? બીજું કશું નહીં, શંકા ઊભી થાય. એટલા હારું આ બધાને કહી દઉં. મારી પાસેથી આપું તોયે કહું કે ગણીને લેવા. પછી મારી શંકા ના આવવી જોઈએ કે દાદાએ ઓછા આપ્યા. કાયદો સારો કે ખોટો ? એ કામતું નહીં ! એટલે સમજીને છેતરાવું એ પ્રગતિ આપે છે અને અણસમજણથી છેતરાવું એમાં લાભ નથી, એમાં છેતરનાર માર ખાય છે. આ આદિવાસીને શેઠિયાઓ શું કરે છે ? શેઠિયા વેપારી હોય અને એ આદિવાસી જોડે બુદ્ધિનો દુરુપયોગ કરે કે ના કરે ? પોતાની વધારે બુદ્ધિથી પેલા ઓછી બુદ્ધિવાળાને છેતરે ! તેમાં આદિવાસી તો એનો જે હિસાબ બનવાનો હોય તે બની ગયો, પણ પેલો વેપારી તો ફરી આદિવાસી થાય નહીં, પણ જાનવરપણું આવે, એટલે લોકો પોતે પોતાની જાતને છેતરી રહ્યા છેને ! બીજા કોઈને છેતરી શકે નહીંને ! એમાં ઉપયોગ ન બગાડ્યો ! પ્રશ્નકર્તા : આપે આપ્તવાણીમાં લખ્યું છે કે બેન્કમાં ગયા ને રૂપિયા ઢાવ્યા તો વળી ગણીને એમાં ઉપયોગ બગાડવાની જરૂર શી ? જે આપે એ પ્રશ્નકર્તા : સારો.

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232