Book Title: Paisa No Vyavahar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 186
________________ સેટીંગ બાકી છે. વ્યવહાર પૈસાનો ૧૮ ૨ ૧ ૮ ૨ પૈસાનો વ્યવહાર ગાંઠો મહીં ભારે, એને શી રીતે જાગૃતિ રહે ? પ્રશ્નકર્તા : જાગૃતિ ગાંઠોની જવાબદારી નથી લેતી. દાદાશ્રી : લેવા ફરે પણ ગાંઠ જ ન લેવા દે ત્યાં આગળ. ગાંઠનો પડછાયો એની ઉપર હોય. જાગૃતિનું અજવાળું ગાંઠ ઉપર પડવું જોઈએ તેને બદલે ગાંઠોનો પડછાયો એની ઉપર પડે. હવે શી રીતે પહોંચી વળાય ? ઓગળે ગાંઠો, સત્સંગથી જ ! આ જનરેશન બહુ ગાંઠો નથી લાવી. મોહની જ ગાંઠો છે. લોભની કે એવી તેવી ગાંઠ નથી. તે તમારા છોકરાને જોતા હશોને ? પ્રશ્નકર્તા : હા. દ્રષ્ટિગોચરમાં આવવો જોઈએ. લોભ એ પીડા છે એવું માન્યતામાં આવવું જોઈએને ? દાદાશ્રી : માન્યતામાં એવું આવેલું તોય નથી છૂટતું. કારણ કે ગાંઠ વાળી લીધી એટલે હવે શું થાય ? પસ્તામણ થાય. પસ્તાવો થતાં હલકું થતું જાય. લોભિયાને ગાંઠ ખોટથી ગયેલી. અગર તો જ્ઞાની પુરુષની આજ્ઞા જો થાય તો ઉત્તમ. આજ્ઞા પાળવા તૈયાર ના હોય તેને કોણ સુધારે ! તે આમ ગ્રંથિ છેદાય.... જાતજાતની ગાંઠો આ શરીરમાં પડેલી છે બધી. ગ્રંથિઓ નિર્મૂળ થાય ત્યારે નિગ્રંથ થાય. ગાંઠો છેદી છેદીને નિગ્રંથ થાય. ઓળખે તો જ છેદાય. પ્રશ્નકર્તા : ક્રમિકમાં દોષ કાઢવા પડે અને અક્રમમાં દોષ જોવાથી નીકળી જાય. દાદાશ્રી : દોષ જોવામાં આવે પોતાનો. દોષ કો'ક દા'ડો જોવામાં આવી ગયો. કો'કને દેખાડવો ના પડે ને જતો રહે. પ્રશ્નકર્તા : પોતે જાગ્યો એટલે પેલો ચોર એની મેળે ના રહે. દાદાશ્રી : એની મેળે જતા રહે. એટલે આ જોવાથી બધી ગાંઠો ઓગળી જાય. પણ ભારે ગાંઠ એવી હોય છે કે તે જોવાનું છે ત્યાં આગળ થાપ ખવડાવી દે છે. તેને અમે ત્યાં આગળ સળી કરીએ. જોવામાં ય થાપ ખવડાવી દે. દેખાય જ નહીંને ! એમાં જાગૃતિતી જ જરૂર ! એને માટે એક પણ ખરાબ ભાવ નહીં આવવો જોઈએ, એનું નામ સંયમ. અને એના પર ખરાબ ભાવ આવ્યો હોય તો તરત તે ધોઈ નાખે એનું નામ સંયમ ! જે સંયમમાં રહેતા નથી તે પછી ઘડાયને ! જ્ઞાન લીધા પછી તો સંયમની જરૂર. એટલી બધી જાગૃતિ હોય તો વાંધો નથી. જે થાય એ જાગૃતિપૂર્વક જતું રહે, તો તો એને આખું વિજ્ઞાન ફીટ થઈ ગયું કહેવાય. જાગૃતિ હોય નહીં ને દાદાશ્રી : ગાંઠો બીજી નથીને ? આ આજની જનરેશનો બધી ગાંઠવાળી નહીં. અમારી આગળની જનરેશનો બહુ જ ગાંઠોવાળી ! લોભની ભારે ગાંઠો ! એટલા હારુ ચોરી કરે, જૂઠું બોલે, લુચ્ચે કરે, બધું જ કરે, પેલી ચોરી નહીં. પકડાય છે એવી ચોરી નહીં. માનસિક બુદ્ધિથી ટિકો લડાવે. પેલી ચોરી કરતાં આ ચોરી ખોટી કહેવાય. પકડાયો નથી એટલું જ. સત્સંગમાં રહીએ તો જ ગાંઠો ઓગળે. નહીં તો સત્સંગમાં હોઈએ નહીં ત્યાં સુધી ગાંઠોની ખબર પડે નહીં. સત્સંગમાં રહીએ એટલે પેલું નિર્મળ થતું દેખાય. આપણે છેટા રહ્યાને ! બહુ છેટા રહીને જોઈએ નિરાંતે. એટલે આપણને બધા દોષ દેખાય. પેલું તો ગાંઠોમાં રહીને જોઈએ છીએ. તે દોષ ના દેખાય. તેથી કૃપાળુ દેવે કહ્યું, “દીઠા નહીં નિજ દોષ તો કરીએ કોણ ઉપાય !! હવે બદલાવો ધ્યેય ! અનંત અવતારથી આનું આ જ કરેલુંને ? અને આનાથી જ, લોભથી જ મારે શાંતિ રહે છે એવું એને મનમાં ફીટ થઈ ગયેલું. હવે એ લોભેય કોઈ ફેરો માર ખવડાવે છે. અને આનાથી શાંતિ રહે છે ને સુખ થાય છે. આત્મા થયો ત્યારે

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232