Book Title: Paisa No Vyavahar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 174
________________ સેટીંગ બાકી છે. વ્યવહાર પૈસાનો ૧૭૦ ૧૭૦ પૈસાનો વ્યવહાર ઉઠાવે કે આ અમારું છે ને ઉઠાવી ગયા. જેનો ધણીધોરી ના હોય એ ભેલાઈ ગયું. કબીરેય કહ્યુંને કે તારી પાસે આ જે મિલકત હોય, તેમાં તું પહેલાં ખા, પી, પી એટલે બાંડી-બડી નહીં, દુધ છે, ચા છે, પી, ખા ને ખવડાવી દે લોકોને, ને ‘કર લે અપના કામ. ચલતી વખતે હે નરો, સંગ ન ચલે બદામ.’ માટે ખવડાવી દેજે ! સમજ પડીને ! અમેય ભેલાડી દેતા હતા. તે હીરાબાને ખૂંચે. ‘તમે તો બધું ભેલાડી દો છો.’ ત્યારે અમે કહીએ, ‘હવે નહીં ભેલાડું !” પ્રશ્નકર્તા : ભલાડવું એ શબ્દ મેં સાંભળ્યો નથી. જરા સમજાવોને ! દાદાશ્રી : અમે જમીનદાર ખરાને ? થોડી થોડી જમીનો ખરી અને ખેડૂતોય ખરા. તે કોઈ પૂછે કે, ‘શાક હમણે કેમ લાવતા નથી ?” ત્યારે કહે, ‘ભેલાઈ ગયું હવે !” ભેલાઈ ગયું એટલે શું ? ખેતરમાં આ ગાયો-ભેંસો ફરે તે બધું ખાઈ જાય ત્યારે આપણાથી વાંધો ના ઉઠાવાય. એ ખેતર ભલાઈ ગયું કહેવાય ! એ ગુજરાતી ભાષાનો શબ્દ છે ! જે આવ્યો તે લઈ જાય. આપણે એવું ભેલાડવું નથી. પણ આવું જો નિયમથી પ્રમાણથી કરવામાં આવે તો ! મનુષ્ય આપણે ઘેર આવે, આપણી પાસે પૈસા હોય અને મનુષ્યોની પાછળ ખર્ચો કરવો એ દુનિયામાં બની શકે જ નહીં. આપણે ત્યાં આવવા કોઈ નવરો જ નથી, આ તો લોકોને લાભ લેતાં નથી આવડતું. મનુષ્ય જે લે છે તે તો મનુષ્ય જે આપે છે તેનાં કરતાંય કિંમતી છે, કારણ કે આપનાર હોય તોય કોઈ લે નહીં. આવતાં જ જો આપણે ભેલાડી ના દીધું તો આપણે ભૂલાઈ જઈશું ! એટલે ભેલાડી દેવું જોઈએ ! હવે એ ભેલાવવા માટે શું કરે ? તમારી બુદ્ધિ એમાં કામ લાગે નહીં એટલે અમારા જેવાની તમારે મિત્રાચારી કરવી જોઈએ. ક્ષત્રિયોની જોડે ને કામ કાઢી લેવું અને તમારી (વણિકો) જોડે મિત્રાચારી કરીએ તો અમારી સેફ સાઈડ રહે. નહીં તો અમારી સેફ સાઈડ નહિ. ભેલાડ્ય શબ્દ નથી સાંભળ્યો, નહીં ? કેટલાક શબ્દો ખોવાઈ ગયા છે. તમે ભેલાડે શબ્દ સાંભળેલો ? નહીં તો આમાં નહીં જાય તો બીજે રસ્તે જતું જ રહે ! ધનનો સ્વભાવ ચંચળ છે. પાણી પાયું ગટરતે ! પ્રશ્નકર્તા : તો પોતાને માટે વાપર્યું કોને કહેવાય ? દાદાશ્રી : ખઈ જઈને તે પાછળ ના આવવાનું હોય છે. તમે કોઈ જગ્યાએ હપ્તા ભરો તે તો પાછું આવવાનું જ હોયને ! બેન્કમાં ડિપોઝીટ ભર્યા કરો, બીજું કરો, પણ પાછું આવવાનું જ ને ! અને ચાપાણી ને એ બધું મંગાય મંગાય કરો તે એના પૈસા બધું ગયું ગટરમાં ! પછી પચાસ ગેલન પેટ્રોલ બાળતા હોય તોય ગટરમાં ગયું. રીત, જોડે લઈ જવાની ! પ્રશ્નકર્તા : પૈસા સાથે લઈ જવા માટે કઈ રીતે સાથે લઈ જવાય ? દાદાશ્રી : રસ્તો તો એક જ એટલો કે જે આપણાં સગાવહાલાં ના હોય. એવાં કોઈનાં દિલ ઠાયાં હોય, તો જોડે આવે. સગાવહાલાંને ઠાર્યો હોય, તોય છે તે જોડે ના આવે, પણ ખાતાં ચોખ્ખાં થઈ જાય. એમની જોડે જ ખાતાં હતાં તે ચોખ્ખાં થઈ જાય. સગાંવહાલાંને ડાયાં હોય તો ! અને બીજાં સગાવહાલાં ના હોય તો એમની જોડે દિલ હાર્યા હોય તો એ આપણી જોડે આવે. પ્રશ્નકર્તા : એ પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય ? દાદાશ્રી : એ જે કહો તે, પણ દિલ ઠારવું જોઈએ. અગર તો અમારા પ્રશ્નકર્તા : હા દાદા. દાદાશ્રી : શું સમજયા હતા તમે ? જેનો ધણીધોરી ના રહ્યો એ ભેલાઈ ગયું કહેવાય. કોઈ એમ ના વાંધો

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232