Book Title: Paisa No Vyavahar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 171
________________ સેટીંગ બાકી છે. પૈસાનો વ્યવહાર ૧ ૬ ૭ પૈસાનો વ્યવહાર કે જેને આ બધું થાયને કે ‘હિંમતલાલ આવા છે, ફલાણાભાઈ આવા છે', એવી નિંદા છે ત્યાં લક્ષ્મી નથી. ‘આ વાઘરો છે, આ ઊંચી જાતનો છે, આ આમ છે, આ તેમ છે, એવી કશી લોભિયાને ભાંજગડ જ ના હોય. કોઈ વાઘરો હોય, પણ એના ઘરાક હોયને તો તેને કહેશે કે, “આવો ભાઈ, બેસો શેઠ, અહીં ગાદી પર બેસોને !” પ્રશ્નકર્તા : લોભિયાને એટલે કોઈ અંતરાય આવો ના પડે ? દાદાશ્રી : લોભિયો એટલે એકલા પૈસાનો જ લોભ નહીં. સુખનો લોભ હોય. પ્રશ્નકર્તા : માનનો લોભ ખરો ? દાદાશ્રી : માનનો લોભ ના ગણાય, સુખનો લોભ ગણાય. માનના લોભમાં તો પછી નિંદા પેસી જાય. પ્રશ્નકર્તા : તો આ મુંબઈમાં લોકો માનના લોભમાં નહીં ? દાદાશ્રી : ના, આ માનનો લોભ ખરેખર ગણાતો નથી. સુખનો લોભ હોય છે. માનનો લોભ હંમેશા ક્યારે કહેવાય ? કે બીજાની નિંદા કરવાની તેને નવરાશ મળે. મુંબઈ શહેરમાં લોકોને પૂછી આવો જોઈએ કે, ‘તમને બીજાની નિંદા કરવાની નવરાશ છે ?” ત્યારે કહે, ‘ના’. એટલે ઘડીવારની નવરાશ આ લોકોને ના હોય અને ત્યાં વઢવાણમાં જઈએ તો ? પ્રશ્નકર્તા : ત્યાં બધે એ જ હોય. દાદાશ્રી : છતાં અમે કહ્યું છે કે, આ હિન્દુસ્તાનમાં નિંદા અને તિરસ્કાર ઘટવા માંડ્યા છે અને લોભ વધ્યો છે. સુખનો લોભ વધ્યો છે તેથી હિન્દુસ્તાનનું સારું થવાનું છે. આ લક્ષણ પરથી હું સમજી જઉં. ભલેને જરા મોહ વધશે, પણ બીજું નિંદા-તિરસ્કાર બધું ઘટશેને ?! ત્યાં ખોટોય સાચો ગણાય આ લોભિયો હોય તેને ત્યાં જો આપણા પૈસા ઘલાયા ને આપણે એને ગાળો ભાંડીએ ત્યારે એ હસે ! અલ્યા, હું ગાળો ભાંડું છું ને તું હસે છે ? તે પછી આડોશી-પાડોશી ને રસ્તે જતાં લોક આપણને શું કહે કે, “આ ચિઢાય છે માટે આ જ નાલાયક માણસ છે, આ જુઓને બિચારો હસે છે, તે અક્કરમી ઊલટો માથે પડે ! રૂપિયા જાય આપણા અને આપણે લોભિયા જોડે ખોટા દેખાઈએ. સમજણ પડીને, લોભિયો કેવો હોય ?! પ્રશ્નકર્તા : લોભિયો પોતાના સુખની અંદર રહ્યા કરે ? દાદાશ્રી : એ જાણે કે હમણે આ થાકીને જતો રહેશે અને આપણને તો આ રૂપિયા મળ્યાને ! મોહ મિટાવે નિંદા ! આવી વાત લોકો જાણે તો સુખીયા થઈ જાય ! આ કુદરત આપણા “હેલ્પ'માં છે એ વાત નક્કી છે. એટલે મેં કહી રાખ્યું છે કે ૨૦૦૫માં હિન્દુસ્તાન વર્લ્ડનું કેન્દ્ર થઈ જવાનું છે. માટે આ વાત બહુ સમજવા જેવી છે. શાથી લોકો દુઃખી હતા એ મેં ખોળી કાઢ્યું અને અત્યારે ગામડાવાળા શાથી દુઃખી છે ? હજુ આ નિંદાના જ ધંધામાં પડેલા છે. આજનાં આ જીવડાં તો કશુંય ના હોય તો એય રેડિયો, ટી.વી.ની મસ્તીમાં ને મસ્તીમાં રહે ! આ લોકો કોઈની નિંદામાં ના પડે. એ તો ટી.વી. જુએ, ફલાણું જુએ, તેય આંખો બગાડીને. કંઈ લોકોની આંખો ઓછી બગડે છે ?! પોતાની જવાબદારીને ! આપણો આખો દેશ નિંદાથી, ભયંકર નિંદાથી ખલાસ થઈ ગયો હતો, શાસ્ત્રકારોએ નિયમ કહેલો છે કે અવશ્ય ટીકા કરજો. ટીકા નહીં કરો તો મનુષ્યો પાછા નહીં ફરે. એ ટીકાનું ‘એક્ઝજરેશન” થઈ ગયું અને તેની નિંદા આવી ગઈ ! જે વિટામીન હતું તેનો જ નાશ કર્યો ! જ્ઞાતી વાળે પોઝિટિવ પંથે હું તો પોઝિટિવ કરવા માગું છું. નેગેટિવ સેન્સ જ લાવવા નથી માંગતો.

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232