Book Title: Paia Vinnana Kaha Part 02
Author(s): Vijaykastursuri
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyanmandir

View full book text
Previous | Next

Page 299
________________ ૨૮૪ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ જેથી આટલું બધું અપરિમિત સુવર્ણ આપના હાથમાં આવ્યું છે. માટે તમે ભાગ્યવાન પુરુષમાં પ્રધાન છે. આપની કૃપાથી મારું પણ દારિદ્રથ ગયું. હવે પ્રથમ સે કામ મૂકીને ભોજન કરવું જોઈએ એ નીતિશાસ્ત્રના વચનથી પહેલાં ઘીવાળા લાડવા આપણે ખાઈ એ પછી તૈયાર થઈને દારિદ્રયને નાશ કરનાર આ શિલાના કકડા આપણે કરીશું. આ પ્રમાણે કહી છએ જણાને એક એક લાડુ આપ્યું. તેઓએ પણ પ્રાણના ઘાત કરનારા લાડવા ખાધાં અને તૃપ્ત થયા પછી તેનીએ કહ્યું, કે-“મારી પાછળ ચાલે, કુવાના કઠે જઈ પાણી કાઢી તે પીને હાથ પગ ધોઈ કામને માટે તૈયાર થઈએ. આમ કહીને સનીએ કૂવામાંથી જળ કાઢીને દરેકને જળપાન કરાવ્યું અને પિતે પણ જળપાન કર્યું. તે વખતે સેનીને જંગલ જવાની ઈચ્છા થઈ. તેથી તે જળપાત્ર લઈને દેહચિંતા માટે ગયે. ચેર એકઠા થઈને વિચાર કરવા લાગ્યા કે હવે આપણે શિલાના કટકા કરીએ.” ત્યારે નીતિશાસ્ત્ર જાણનારા એક જણે કહ્યું, કેઆપણે એક કામ સારું ન કર્યું. બીજાએ કહ્યું, કે શું? ત્યારે તેણે કહ્યું, કે-નીને આપણે અહીં બોલાવ્યું અને સુવર્ણ બતાવ્યું છે, કારણ કે શાસ્ત્રમાં અને લેકમાં પણ એક કહેવત છે કે “સોનીને વિશ્વાસ ન કરવો જોઈએ.” પહેલાં એક વાર્તામાં પણ શું નથી સાંભળ્યું ? અહીં વાઘ, વાનર, સર્પ અને સુવર્ણકારની કથા કહેવાય છે. કેઈક કૂવાની અંદર વાઘ, વાનર, સર્પ અને તેની પડેલાં હતાં, તે બધામાંથી વાઘ, વાનર અને સર્પને એક

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316