Book Title: Navangi Vruttikar Abhaydevsuri
Author(s): Bechardas Jivraj Doshi
Publisher: Vadilal M Parekh

View full book text
Previous | Next

Page 18
________________ કરેલ છે એ સૂચવે છે કે શ્રી અભયદેવ તથા શ્રી દ્રોણાચાર્ય વચ્ચે એક રીતે જોતાં વિપક્ષભાવ હોવા છતાંય ધર્મદષ્ટિએ ભારે સખ્ય હતું. એ બને મેટામના ન હોય, ઉદાર ન હોય, એક બીજાની જુદી જુદી માન્યતાને સહી લેનારા ન હોય તે કદી પણ એમના વચ્ચે સખ્ય આદર અને સદ્દભાવ ન રહે અને એમ ન થાય તે અભયદેવની રચેલી વૃત્તિઓ ધાયા વિનાની જ રહે અને એમના ઉપર આદેયતાની–પ્રામાણ્યની મહેર ન જ વાગે. આ જોતાં દ્રોણાચાર્ય અને તેમની મંડળીનાં ઔદાર્ય, શાસનભક્તિ અને આગમપ્રેમ ભારે અદ્ભુત હતાં એમાં શક નથી રહેતું. જે સમયે પાટણમાં કઈ સંવેગીને ઊતરવાનું ઠેકાણુંય ન મળે તેવે કપરે સમયે સંવેગીને આદર આપે અને તેમના ગ્રંથનું સમગ્ર અવેલેકન કરી સંશોધન કરી આપવું એ કાંઈ કે કાચી છાતીવાળાનું કામ નથી, એ તે મહાપ્રભાવશાલી ધર્મના ખરા અર્થમાં પ્રેમી એવા ઉદારમનના શ્રી દ્રોણાચાર્ય જ કરી શકે તથા આ તરફ ત્યાગી અપરિગ્રહી હોવા છતાં ય જે શ્રમણસંઘે શિથિલાચારી એવા છતાંય આગમભકત શ્રી દ્રોણાચાર્યના સંશેધનને કબૂલ રાખ્યું-પ્રામાણિક માન્યું અને તે સંશોધનને એક મહાપકારની જેમ સ્વીકૃતિ આપી તે પણ એક અદ્ભુત ભાવનાનું સૂચક છે. આમ જેકે અભયદેવના સમયની પરિસ્થિતિ જેનશાસન માટે સુભગ ન હતી છતાંય શ્રીદ્રોણાચાર્ય જેવા ચિત્યવાસી મહાનુભાવ મહાપુરુષને લીધે એ અસુભગતાય સહી શકાય એવી હતી એ ભારે સંતોષનું કારણ હતું. શ્રીદ્રોણાચાર્યે કેવળ વૃત્તિઓના સંશોધનની પ્રવૃત્તિથી સંતોષ ન માનતાં ઘનિર્યુક્તિ જેવા ચરણકરણપ્રધાન ગ્રંથ ઉપર લગભગ ૩°સાત હજાર શ્લેકપ્રમાણ વૃત્તિ પણ રચેલી છે અને તે ' નામનો સાદર ઉલ્લેખ: નમ: બરસુતાનુયોrોધિચૈ શ્રીકોનાર્થમુહર્ષિ” (સ્થાનાંગવૃત્તિ). ૩૦ જુઓ બ્રહરિપનિકા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36