Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી
Illlebic of
દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦૦૪૮૪૬.
पदेवसरि ज्ञानमंदिर : कपडवणज નવાંગીવૃત્તિકાર
અભયદેવસૂરિ [ આગમપ્રભાકર મુનિરાજ શ્રી. પુણ્યવિજયજી મ. ની પ્રેરણાથી ]
: લેખક : અધ્યાપક બેચરદાસ જીવરાજ દેશી
thankeR ઉકકર ટ
ALL W. ટ ટ ન
– પ્રકાશક :વાડીલાલ એમ. પારેખ
કપડવણજ ઉદ્દઘાટન:વિ. સં. ર૦૧૯ વૈશાખ સુદિ ૫:તા. ૭-૫-૧૯૫૪, શુક્રવાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
479
નવાંગીવૃત્તિકાર
શ્રી અભયદેવસૂરિ
सूरयो बप्पभट्टाख्या अभयदेवसूरयः । हेमाचार्याश्च मलयगिर्याद्याश्वाऽभवन् परे ॥
(શ્રી વિનયવિજય ઉપાધ્યાય; યુગપ્રધાનસંબંધ, લેાકપ્રકાશ )
જગતમાં જે દેશમાં અને જે કાળમાં જ્યારે જ્યારે પ્રજાને ભીડ પડી છે ત્યારે ત્યારે કાઈ ને કાઈ ભીડભજન વ્યક્તિ પ્રજાની વારે આવી જ પહોંચી છે, એવા કાઈ પ્રાકૃતિક વા દૈવી નિયમ સનાતન છે માટે જ ( ગીતા અધ્યાય ૪ માં) કહેલું છે કે
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ! | अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥ ७ ॥ परित्राणाय साधू । विनाशाय च दुष्कृताम् । धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ॥ ८ ॥
અર્થાત્ જ્યારે જ્યારે પ્રજા અધમ ને વશ પડી ભારે મૂઝવણુમાં પડે છે, ધર્મોને નામે અધમ જોર પકડે છે, સાધુપુરુષા સીઢાવા માંડે છે અને દુષ્ટ લાકે પ્રખળ અને છે તેવે તેવે સમયે પ્રજાના પાકારે જ કેાઈ એવી ભીડભંજન વ્યક્તિને પકવે છે કે જેના જન્મથી પ્રજા ફરી પાછી ધર્મને માર્ગે ચડે છે, જડતાનું— અધર્મીનું જોર નરમ પડે છે.
જૈન શાસનમાં આવી ભીડભ ંજન વ્યક્તિએ અનેક થતી આવી છે, દાખલા તરીકે : (૧) જે સમયે કેવળ અ ંધશ્રદ્ધાએ જોર પકડ્યું ત્યારે આચાર્ય સિદ્ધસેન દિવાકરે જન્મીને એ અંધશ્રદ્ધાના અંધારાને ભેદવા ખરેખરા દિવાકરનું જ કામ કરી ખતાવ્યું હતું.
[K
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
૨. પરિક માલિક અને
(૨) જે સમયે આચારમાં શિથિલતા વ્યાપી ગઈ અને અનાચારીઓની પ્રબળતા થઈ ગઈ ત્યારે આચાર્ય હરિભદ્ર એ અનાચારનાં જાળાંને તેડી ફરી પાછું સદાચારનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. (૩) સમગ્ર જૈન શ્રત એક સમયે કઠાગ્ર રહેતું, દુકાળની ખતરનાક અસરને લીધે
જ્યારે એ શ્રુત નાશની અણું ઉપર આવી પહોંચ્યું ત્યારે શ્રીદેવર્ધિગણિ ક્ષમાશ્રમણે મહાપરિશ્રમ કરીને સમસ્ત શ્રમણ સંઘને વલભીપુરમાં એકઠા કરીને તેને માંડ માંડ માંડ્યું અને સૌથી પ્રથમ પુસ્તકારૂઢ કર્યું. (૪)ફરી પાછું એ જ મૃત જ્યારે છિન્નભિન્ન થઈ જવા આવ્યું ત્યારે, પ્રવચનિક પુરુષ યુગપ્રધાન શ્રીઅભયદેવસૂરિએ તેની અનેક જુદી જુદી વાચનાઓ મેળવી, તેમને સરખી કરીને અને અસ્તવ્યસ્ત થયેલા એ કૃતના પાઠેને મહાપરિશ્રમે ઠીકઠાક કરીને એ મહામૂલા જેન શ્રતને, તેની ઉપર વૃત્તિઓ રચીને, કાળના જડબામાંથી બચાવી લીધું છે, એટલું જ નહીં પણ કાયમને માટે તે શ્રુતને તેમણે ચિરંજીવ કરેલું છે. માટે જ તેઓ જૈન શાસનમાં મહાપ્રાવચનિક પ્રભાવકની કટિમાં મોખરે આવે છે અને તેથી જ મહાવૈયાકરણ શ્રીવિનયવિજયજી ઉપાધ્યાયે તેમની ગણના યુગપ્રધાન પુરુષમાં કરી બતાવી છે. આવી ભીડભંજન વ્યક્તિઓને જૈનશાસનમાં યુગપ્રધાન વા પ્રભાવક ગણવામાં આવે છે.
જેમના નામ સાથે આ કપડવંજ નગરમાં જ્ઞાનસંસ્થા સ્થપાઈ રહી છે તે આચાર્ય અભયદેવસૂરીશ્વરજી એવા જ યુગપ્રધાન અને પ્રાચનિક પ્રભાવક પુરુષ હતા.
પ્રસ્તુત છે માટે કહેવું જોઈએ કે આચાર્ય અભયદેવના સમયે શ્રમણ સંઘની શિથિલતાને લીધે જેન આગમેની જે અવ્યવસ્થા દુરવસ્થા અને દુર્બોધતા હતી તેના કરતાં વર્તમાનમાં તે એ અનેકગણી વધી પડી છે. તેને દૂર કરવા સારુ જેન સંઘ ધ્યાન નહીં આપે અને નિષ્કિયની પેઠે એ સ્થિતિ તરફ હજુ પણ આંખમીંચામણું કર્યા કરશે તે વર્તમાન જૈન આગમ સાહિત્ય ભવિષ્યમાં કેવી ભયાનક પરિસ્થિતિએ પહોંચશે, તે કલ્પના પણ જૈન શાસનના પ્રેમીને કમકમા ઉપજાવનારી છે.
૨]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
આચાર્ય અભયદેવના સમયે શ્રમણસંઘમાં જે જાતની શિથિલતા હતી તેના કરતાં વર્તમાનમાં બીજી જાતની શિથિલતા વ્યાપી ગઈ છે. વિદ્યાને રસ સુકાવા લાગે છે, આગના અભ્યાસની પરંપરા તે ક્યારનીય છિન્નભિન્ન થઈ ગઈ છે અને જ્યાં જુઓ ત્યાં કથાવાર્તા રાસ અને લેકરંજન ચાલી રહ્યાં છે. આ સમય વિજ્ઞાનપ્રધાન છે અને જૈનધર્મને છત કરીને તેના અભ્યાસપ્રચાર દ્વારા જગતમાં શાંતિ પહોંચાડી શકાય તેવા અદ્યતન શુદ્ધ સાહિત્યના નિર્માણને છે. તેવે ખરે સમયે આપણે ઊંઘતા રહેશું અને આગની અશુદ્ધ મહા અશુદ્ધ આવૃત્તિઓ કરી કરીને સંતોષ માનીશું તે માનું છું કે આપણે બીજા કેને મૂઢ કહીશું?
આશા તે રાખું છું, આવી આવી સ્થપાનારી જ્ઞાનસંસ્થાઓ યુગના પ્રવાહને પારખીને જૈનશાસનની પ્રભાવના વધે તેવી રીત જરૂર અખત્યાર કરશે.
અહીં સ્થપાનારી જ્ઞાનસંસ્થા તરફ શુભ લાગણીઓ બતાવવા સાથે મારે બે મુદ્દા તરફ આપ સૌનું ધ્યાન ખેંચવાનું છે.
પહેલે મુદ્દે આચાર્ય અભયદેવને ઈતિહાસ. બીજો મુદ્દો પડવંજની ધર્મપ્રિયતા.
સાધક નિસ્પૃહ મુનિઓ વા આચાર્યો સાધનાના ખપપૂરતું સાહિત્ય નિમે છે. તેઓ પોતે જાતે પોતાના અંગત વિષય સંબંધે ભાગ્યે જ કલમ ચલાવે છે. જુઓ, મહાપ્રભાવક દિવાકરજીએ પિતા માટે ક્યાંય કશે પરિચય આપેલ છે? એવા જ કાંતદશી આચાર્ય હરિભદ્ર પિતાની જાતને કયાંય જરા જેટલી પણ ઓળખાવવા પ્રયાસ કરેલ છે? એ શિષ્ટ પરંપરાના અનુયાયી યુગપ્રધાન શ્રી અભયદેવસૂરિએ પણ પોતાની જાતને તે શું પણ પિતાના મૂળ નામ વગેરેને સુધાં કયાંય પરિચય આપેલ નથી. તેમણે જે જે અંગસૂત્રે વા બીજા ગ્રંથ ઉપર વૃત્તિએ લખેલ છે તેમાં દરેકમાં અંતભાગે પિતાની ટૂંકી વંશાવલી-માત્ર ગુરુપરંપરા આપેલ છે. ૧ જુઓ સ્થાનાંગવૃત્તિ, સમવાયાંગવૃત્તિ, ભગવતીવૃત્તિ, જ્ઞાતાસૂત્રવૃત્તિ, પ્રશ્ન
વ્યાકરણુસૂત્રવૃત્તિ અને પાકિસૂત્રવૃત્તિની પ્રશસ્તિઓ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
એ ગુરુપરંપરામાં ગુરુનું નામ, ધર્મકુલ તરીકે ચાંદ્રકુલ, કઈ વૃત્તિ કયા ગામમાં કયે વર્ષે અને કયે સ્થાને રહીને કરી તે, રચેલી વૃત્તિનું કપરિમાણ, વૃત્તિ રચવામાં જેમણે જેમણે સહાયતા આપી હોય તેમનાં નામ તથા જેમણે પિતે કરેલી તમામ વૃત્તિ એને શેધી આપેલ છે એટલે તે તમામ વૃત્તિઓને આખેઆખી જોઈ તપાસીને તેમના ઉપર પ્રામાણ્યની મહોર કરી આપવા જેમણે સર્વથા નિસ્પૃહભાવે કેવળ મૃતભક્તિથી મહાપરિશ્રમ ઉઠાવેલ છે તેમની હકીકત-કૃતજ્ઞતાપૂર્વક નિર્દેશ-એ બધું તેઓએ લગભગ પ્રત્યેક વૃત્તિને છેડે નેંધેલ છે તથા એ સાથે સાથે તે તે વૃત્તિઓને રચવાનું પ્રજન–વિશિષ્ટ પ્રજન–વૃત્તિની આદિમાં કે અંતમાં વા કયાંક બને સ્થાને બતાવેલ છે.
તેમણે કરેલે પ્રજનને આ નિર્દેશ જ તેમના સમયની પરિસ્થિતિ ઉપર ઘણે સારો પ્રકાશ પાડે છે.
આ સિવાય તેઓ પિતાની મુનિવંશાવલી શરૂ કરતાં પહેલાં જ કેટલેક સ્થળે શ્રીમદ્દાવાદ નમઃ શ્રીàનાથાય નમઃા એ રીતે બને તીર્થનાયકને પણ સંભારતા રહ્યા છે. જોકે વૃત્તિઓના પ્રારંભમાં તે કેવળ શ્રીવર્ધમાન સ્વામિને નમસ્કાર કરવાનો નિર્દેશ છે અને અંતમાં તેઓ બને તીર્થનાયકને કયાંય ક્યાંય સંભારે છે તે પણ કઈ વિશિષ્ટ વૃત્તાંતનું સૂચક છે, જે વિશે આગળ કહેવામાં આવશે.
પ્રજનના નિર્દેશમાં જે ઈતિહાસ છુપાયેલ છે તેને થે ઉલ્લેખ અહીં થઈ જાય તે અસ્થાને નથી.
પ્રયેાજન બાબત લખતાં તેઓ જણાવે છે કે આગમાના અભ્યાસ-પરિશીલનને સંપ્રદાય ટકી શક્યો નથી, તે વિશેની તર્કદૃષ્ટિએ થતી ચર્ચા અટકી ગઈ છે, આગામેના મનન-ચિંતનની ચાલી આવતી પરંપરા વિસરાઈ ગઈ છે, આગમેની વાચનાઓનું પણ વૈવિધ્ય છે, આગમેની લખેલી પોથીઓ પણ અશુદ્ધ રીતે લખાયેલી ૨ જુઓ સ્થાનાંગવૃત્તિની પ્રશસ્તિઃ “લંકાયીનવા” યાદિ ક. 6]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
ઉપલબ્ધ છે, ક્યાંય કયાંય આગમોના અર્થ વિષે મતભેદ પણ પ્રવતે છે, આગામે બાબત દુ:સંપ્રદાય પ્રવર્તી રહ્યો છે, એટલે જે પરંપરા ઉપલબ્ધ છે તે પ્રામાણ્ય પ્રાપ્ત નથી, પોથીઓ લખવામાં બેકાળજીપણાને લીધે આગમે ખિલ–ખંડિત થઈ ગયા છે, ઉપલબ્ધ લિખિત પુસ્તક વિગુણ છે, આગમોનાં કૂટ પુસ્તકોને પ્રચાર થઈ રહ્યો છે, વાચનાના ભેદે અપાર છે, આવા આવા હેતુને લીધે આગામે મહાદુર્બોધ બની ગયા છે.
જે જ્ઞાન ઉપર સંયમ સદાચાર ત્યાગ બ્રહ્મચર્ય વગેરે સાધુએની ચર્યાને મૂળ આધાર છે તે જ્ઞાન મૂળ આગમાં જ ઉપલબ્ધ છે એથી જે આગામે પોતે જ વ્યવસ્થિત વાચનાવાળા અને વ્યવસ્થિત પાઠવાળા ન હોય તે પછી મુનિને સંયમધમ શેના આધારે ટકે?
આ બધી પરિસ્થિતિને જોઈ–સમજી આગમની તરફ અસાધારણ ભક્તિ ધરાવનાર સમ્યક્ જ્ઞાન દર્શન અને ચારિત્રના આરાધક એવા શ્રીઅભયદેવસૂરિને તેમના ઉપર વૃત્તિ લખવાની પ્રેરણા થઈ આવે એ સહજ હતું એટલું જ નહીં પણ પિતે આદરેલી વૃત્તિએ લખવાની પ્રવૃત્તિ ઉપરના અનુચિત આક્ષેપોને પણ તેઓએ સામને કરેલ અને તેમની સામે ઊભી થયેલી વિદનપરંપરાને પહોંચી વળવા સુધાં તૈયારી દાખવેલી.
પ્રભાવકચરિત્રકાર તેમના વિશે લખતાં કહે છે કે આચાર્ય અભયદેવના શરીરમાં થયેલ રક્તવિકારને વ્યાધિ જોઈને તેમના સમયના લેકે એટલે સાધુઓ વા ગૃહસ્થ એમ કહેવા લાગેલા કે આચાર્યો અંગે ઉપર લખેલી વૃત્તિઓમાં ઉત્રપ્રરૂપણ આવી જવાને લીધે તેમને શિક્ષાંરૂપે કેટ જે ભયંકર વ્યાધિ ન થાય એમ કેમ બને ? એ રીતે તે સમયના આચારહીન જડ લેકએ ૩ જુઓ પ્રભાવચરિત્ર-ઓગણીશમે શ્રીઅભયદેવસૂરિચરિતપ્રબંધ પ્લે ૧૩૦, જુઓ ટિપ્પણ ૧૪ મું. તથા ૦ ૧૩૧- -
" अमर्षणजनास्तत्र प्रोचुरुत्सूत्रदेशनात् । कृत्तिकारस्य कुष्ठोऽभूत् कुपितैः शासनामरैः ।।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
વૃત્તિઓની રચના અને રાગ વચ્ચે કાર્ય કારણની સાંકળ સુધ્ધાં બેસાડી દીધેલી.
આચાય પાતે તા કેાઢ જેવા મહાવ્યાધિથી ઉત્પન્ન થયેલા સરણના ભયને લીધે એટલા દુ:ખી ન હતા જેટલા દુ:ખી વૃત્તિએ ઉપરના અનુચિત આક્ષેપોને લીધે હતા. અરે! તે એવા દુ:ખી થઈ ગયા હતા કે આવા અયેાગ્ય આક્ષેપોને લીધે પ્રચાર પામતી જૈન શ્રુતની અપભ્રાજનાને લીધે તેમને એક વખત અનશન કરવાને વિચાર સુધ્ધાં થઈ આવેલા.૪
આચાર્ય અભયદેવનાં જન્મસ્થાન, માતાપિતા, જાતિગોત્ર, ધારાજગાર વગેરે વિશે જે ઘણી ઘેાડી હકીકત મળે છે તે સૌથી પહેલાં વિક્રમ સંવત ૧૩૩૪ માં લખાયેલ પપ્રભાવકચરિત્રને આધારે સચવાયેલ છે. અને ત્યારપછી એને મળતી આવે એવી અને એટલી જ હકીકતને આશરે સેાળમા સૈકામાં સંકળાયેલા એવા સાવ અર્વાચીન ‘પુરાતનપ્રબંધસંગ્રહને પણ ટેકા છે. વિક્રમ સંવત્ ૧૩૬૧ માં રચાયેલા પ્રશ્નધચિંતામણિ તથા સંવત્ ૧૩૮૯ માં ગૂંથાયેલા તીર્થંકલ્પમાં પણુ આચાય અભયદેવ વિશે જે થોડી થાડી હકીક્ત મળે છે તેમાં તેમના જન્મસ્થાન વગેરે વિશે કશી માહિતી સાંપડતી નથી. આ ઉપરાંત સુમતિગણિ
.
૪ જીઓ પ્રભાવકત્ર-અભયદેવસૂરિચરિત મ્લા ૧૩૬ निशम्येति गुरुः प्राह नार्तिर्मे मृत्युभीतितः । रोगाद् वा पिशुना यत्तु कद्वदा तद्धि दुस्सहम् ॥
""
૫જી પ્રભાવકચરિત્રપ્રશસ્તિ લા॰ ૨૨, -અનઢ-શાલ-શશષષઁ.
૬-જી પુરાતનપ્રબંધસ ંગ્રહની પ્રસ્તાવના. ૭ જુઓ પ્રબંધચિંતામણિપ્રશસ્તિ લા૦ ૫.
૮
જી તીર્થંકલ્પપ્રશસ્તિ ક્લે ૩ નટ્-બનેવ—શાશ-શોતમને.
}
(6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
શિષ્ય ચારિત્રસિંહગણિએ સાંકળેલા ૯ગણધરસાર્ધશતકાન્તર્ગત પ્રકરણમાં તથા સેળમા સૈકાના સેમધર્મગણિએ રચેલી ઉપદેશસપ્તતિકામાં પણ આપણા નાયક વિશે થોડી ઘણી હકીકત મળી આવે છે. છતાં તેમાં તેમના જન્મસ્થાન વગેરેની હકીકત તે નથી મળતી. . આચાર્ય અભયદેવ વિશે પક્ત જે જે ગ્રંમાં થોડી ઘણી હકીકત મળે છે તે બધાય ગ્રંથે તેમના પછીના લગભગ બે સૈકા જેટલા મેડા છે અને એમ હોવાથી જ એ બધા ગ્રંથે એમના વિશે પૂરેપૂરી કકસ માહિતી પૂરી પાડી શકતા નથી, એટલું જ નહીં પણ જે કાંઈ થોડી ઘણી અધૂરીય માહિતી આપે છે તેમાં કેટલીક દંતકથામય અને ચમત્કારેથી ભારોભાર ભરેલી છે. સંભવ છે કે બસો વરસના ગાળામાં કોઈ પણ બાબતને પૂરેપૂરે ચક્કસ વૃત્તાંત ન પણ જળવાય.
આજે પણ જે એક માહિતી સાંભળી હોય પછી તે જ માહિતી બેચાર મુખે ફરે વા બેચાર ઘરે આથડે અને એમ કરતાં બેચાર દિવસ વીતી જાય તે પછી એ અસલ માહિતી અક્ષરશ: મેળવવી કઠણ થઈ પડે છે, તે પછી બસે વરસના ગાળામાં લખાયેલ પ્રબંધગ્રંથ એ અસલ હકીકતને બરાબર પૂરેપૂરી ચક્કસાઈધી શી રીતે જાળવી શકે ?
આમ છે માટે જ પ્રભાવકચરિત્ર વગેરે પૂર્વોક્ત બધા પ્રબંધથોમાં તેમના વિશે જે જે માહિતી સચવાયેલ છે તેમાં પૂર્વાપર કમ પણ એક સરખે સચવાયેલ હોય એમ જણાતું નથી. * તીર્થકલ્પમાં, ૧૨ગણધરસાર્ધશતકાંતર્ગત પ્રકરણમાં અને
૯ જુઓ ગણધરસાર્ધશતકતર્ગત પ્રકરણ-ચારિત્રસિંહગણિ. ૧૦ ઉપદેશ સતિકા–સેમધર્મગણિ. ૧૧ જુઓ તીર્થક-૫ પૃ૦ ૧૦૪ ૯૫ ૫૯
"तओ उवसंतरोगेण पहुणा xxx कालाइकमेण कया ठाणाइनवंगाणं वित्ती" ૧૨ જુઓ ગણધરસાર્ધશતકાંતર્ગત પ્રકરણ પૂ૦ ૧૩–૧૪ “તતઃ શ્રીનવમવ
[૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
૧ ઉપદેશસતતિામાં જણાવેલ છે કે શ્રીયંભણુપાર્શ્વનાથના નવા તીર્થની સ્થાપના અને ઉપાસના પછી તેમને મહારગ શમી ગયે અને પછી તેમણે સ્વસ્થ થયા બાદ અંગે ઉપર વૃત્તિઓ લખવી શરૂ કરી. ત્યારે પ્રભાવકચરિત્ર, ૧૫પ્રબંધચિંતામણિ અને પુરાતનપ્રબંધસંગ્રહમાં એ ઉલ્લેખ છે કે અંગ ઉપર વૃત્તિઓ લખ્યા પછી તેમને એ મહારોગ પેદા થયે અને પછી થંભણપાર્શ્વનાથની સ્થાપના-ઉપાસના બાદ શમી ગયે.
વળી તેમને કોરેગ થયેલે? એ વિશે પણ પૂર્વોક્ત બધા ગ્રંથમાં એકમત નથી.
પ્રબંધચિંતામણિ અને ઉપદેશસસતિકા તેમને કેઢ થયાનું સ્પષ્ટ જણાવે છે, ત્યારે ૧૯તીર્થકલ્પ તેમને કેઈ બીજા મહાવ્યાધિને લીધે અતિસાર-સંગ્રહણી-વગેરે વ્યાધિઓ થયાનું
सरिस्थापितः स श्रीमान् स्तम्भनकपार्श्वनाथः । ४। भगवन्तोऽपि ततः स्थानात् શ્રીમત્તિને તમામુ: | x ! સ્થિતૈક્ષ તત્ર નવાનાં ૪ થતાઃ
[મારે મરે” ૧૩ જુઓ ઉપદેશસતિકા બીજો અધિકાર–
રોકતઃ ચં માતઃ !” ઈત્યાદિ કલ૦ ૧૧ તથા
“તવર્લ્ડ નિર્ગુ xxx વગુત્તે વિકૃતી: સમતુ” લે૨૦. ૧૪ જુઓ પ્રભાવક ચરિત્ર–અભયદેવસૂરિચરિત ક્ષેત્ર ૧૧૩–
“સોનૈવ સંપૂff નવાયા વૃત્તાતઃ ” તથા " आचामाम्लतपःकष्टात् निशायामतिजागरात् ।
અત્યાચારાનું પ્રમોશે જોવો કુતિઃ ” ૦ ૧૩૦ ૧૫ જુઓ પ્રબંધચિંતામણિ પૃ૦ ૧૪૮ વર્તમન પાર્શ્વનાથ પ્રાદુર્ભાવ ૨૨૧૦ ૧૬ જુઓ પુરાતનપ્રબંધસંગ્રહ પૃ. ૯૫-૯૬ શ્રીઅભયદેવસૂરિપ્રબંધ.
“प्रभुभिर्ग्रन्थसंपूर्णतावधि यावद् आचाम्लाभिग्रहोऽग्राहि, संपूर्णेषु ग्रन्थेषु
x x x “મારાઋતપના રાત્રિના રખેન ૨ શમૂળ રવિવારે રાતઃ ” ૧૭ જુઓ ટિપ્પણ પંદરમું. ૧૮ જુઓ ઉપદેશસપ્તતિકા બીજો અધિકાર “Wવ્યાધિરમૂહું ” શ્લ૦ ૩ ૧૯ જુઓ તીર્થકલ્પ પૃ. ૧૦૪ પંક્તિ ૨૯–
" तस्थ महावाहिवसेण अईसाराइरोगे जाए।"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
સેંધે છે. વળી, પ્રભાવક ચરિત્ર પુરાતનપ્રબંધસંગ્રહમાં તેમને રક્તવિકાર-લેહીવિકાર થયાને ઉલેખ છે ત્યારે ગણધરસાધશતકાંતર્ગત પ્રકરણમાં તેમને શરીરની કાંઈક અસ્વસ્થતાને લીધે કેઈ દુષ્ટ રાગ વધ્યાની હકીકત મળે છે.
ઉપર જણાવેલ બધી જુદી જુદી હકીક્ત ઉપરથી આચાર્ય અભયદેવ વિશે જે જે નિશ્ચિત હકીકતે તારવી શકાય છે તે બધી આ પ્રમાણે છે: ૧. તેમને કઈ ખાસ રોગ થયેલ હતું. ૨. તેમણે શ્રીયંભણુ પાર્શ્વનાથના નવા તીર્થની સ્થાપના અને
ઉપાસના કરી હતી. ૩. ૧૧૨૦ વિક્રમ સંવતમાં તેમણે વૃત્તિઓ લખવાની શરૂઆત
કરેલી. ૪. તેમણે જે જે વૃત્તિઓ અંગે ઉપર લખી તે વિશેષ કરીને
પાટણમાં રહીને લખી અને પંચાશકની વૃત્તિ ળકામાં રહીને લખી. જોકે તેઓ પ્રશસ્તિઓમાં કયાંય થંભણુપાર્શ્વનાથ વિશે કશું જણાવતા નથી, તેમ પિતાના રેગશમન વિશે પણ કાંઈ સૂચવતા નથી, છતાં પ્રશસ્તિઓમાં તેઓ ક્યાંય કયાંય તીર્થકરમાં
ભગવાન મહાવીર ઉપરાંત કેવળ ભગવાન પાર્શ્વનાથને ૨૦ જુઓ ટિપ્પણ ૧૪-બ રોષો ટુત્તિઃ ” લે ૧૩૦. ૨૧ જુઓ ટિપ્પણ ૧૬–“# # વાત” ૨૨ જુઓ ગણધરસાર્ધશતકાંતત પ્રકરણ પૃ૦ ૧૩–
“तत्र च किंचित् शरीरापाटवकारणं बभूव, यथा यथा औषधादि प्रयुज्यते
તથા તથા સૌ સુખોનો વધ ” ૨૭ જુઓ સ્થાનાંગવૃત્તિને પ્રાંતભાગ–
નમો માવતે વનતૌર્યનાથ૨ શ્રીમન્નહાવીરાયા. . . : : नमः प्रतिपन्थिसार्थप्रमथनाय श्रीपार्श्वनाथाय" । "
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
નમસ્કાર કરે છે, તેમાં તેમની શ્રી પાર્શ્વનાથ તરફની અસાધારણુ ભક્તિનું સૂચન છે અને તેમની થંભણ પાર્શ્વનાથની ઉપાસના આ સૂચનમાં સમાયેલી હોય એ સુસંભવિત છે. તેમના જમાનાની આચારે શિથિલ એવી ચિત્યવાસી સાધુઓની પરંપરામાં પણ એક એવી મુનિમંડળી હતી, જે આગમે તરફ દઢ ભક્તિ ધરાવતી હતી. આગનેનાં અભ્યાસ મનન અને ચિંતનની પ્રામાણિક પરંપરાને સાચવનારી હતી અને તે જમાનામાં જે સુવિહિત મુનિએ ગણતા તેમના કરતાંય આ ચૈત્યવાસીની શિથિલ મુનિમંડળી આગમોની બાબતમાં વિશેષ પ્રામાય ધરાવતી હતી, જેને લીધે શુદ્ધ ક્રિયાપાત્ર એવા અભયદેવને પણ પિતાની વૃત્તિઓને શોધી આપવા અને તેમાં પ્રામાણ્યની મહેર મેળવવા એ અશુદ્ધ ક્રિયાપાત્ર એવી
મંડળીને આશ્રય લે પડો. ૭. સૌથી વધારે મહત્વની તે જમાનાની ઐતિહાસિક બાબત તે પ્રજનના નિર્દેશમાં ખરેખર છુપાયેલ છે.
આમ આ સાત બાબતેમાંની છેલ્લી બે વિશે થોડું સ્પષ્ટીકરણ કરવું વિશેષ જરૂરી છે. પણ તે કરતાં પહેલાં શ્રી અભયદેવસૂરિએ પિતે બતાવેલા પિતાના પ્રથમ વૃત્તિ રચવાના સમયના નિર્દેશ દ્વારા તેમનાં જન્મ, દીક્ષા અને આચાર્યપદ વિશે આમ કલ્પના કરી શકાય : ૧. વિક્રમ સંવત ૧૦૮૮ તેમને જન્મ ૨. સેલમે વર્ષે દીક્ષા એટલે ૧૧૦૪ માં દીક્ષા. ૩. ૧૧૦૪ પછી ૧૧૧૪ સુધી સંયમની સાધના અને જ્ઞાનની
ઉપાસના અર્થાત્ લગભગ દસ વરસ જેટલે વિદ્યાભ્યાસને ગાળે. જુઓ સમવાયાંગવૃત્તિની પ્રશસ્તિને પ્રારંભ
નમઃ જોવી પ્રવરવર ૨ નમઃ" જુઓ જ્ઞાતાધર્મકથાંગવૃત્તિની તથા પ્રશ્નવ્યાકરણની વૃત્તિની પ્રશસ્તિનો પ્રારંભ
નમઃ શ્રીવર્ધનના શ્રીમ રમા ” t]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
૪.- પછી ત્રણેક વરસ રેગના ઉપશમનને સમય અને પછીનાં બે
વરસ વૃત્તિઓ રચવાની પૂર્વ તૈયારીને સમય એટલે ૧૧૧૯
સંવત સુધીના ગાળે. : ૫. ૧૧૨૦ માં આચાર્યપદ અને વૃત્તિઓ લખવાને પ્રારંભ. ૬. ૧૫૫ લગભગ તેમને નિર્વાણ સમય.
આ રીતે જોતાં તેઓએ એકંદર સડસડ વર્ષનું આયુષ્ય ભગવ્યું હેય.
તેમના જીવનના કોઈ પ્રસંગે વિશે વા તેમના સંપૂર્ણ આયુષ્યના પરિમાણ વિશે હજુ સુધી કે સ્પષ્ટ ઉલ્લેખ સાંપડ્યો નથી તેથી જ તેમના પ્રથમ વૃત્તિરચનાના સમયને ધ્યાનમાં રાખીને અહીં ઉપર જણાવેલી વર્ષની ગણનાને કલ્પવામાં આવેલ છે, એથી અહીં કલ્પેલી વર્ષની ગણના તદ્દન ખરેખરી હોય તેમ માનવાને કશું જ કારણ નથી. એ બાબત જે કઈ પ્રામાણિક ઉલેખ જડી જાય તે આ કલ્પનાને નરી કલ્પના જ સમજી લેવી.
શ્રીઅભયદેવ પિતે જણાવે છે કે પિતે ૨૪ પાટણમાં રહીને વિક્રમ સંવત ૧૧૨૦ માં સ્થાનાંગ, સમવાયાંગ અને જ્ઞાતાધર્મ કથાંગની વૃત્તિઓ લખેલી છે. પછી ધોળકામાં રહીને ૨૫૧૧૨૪ માં સુવિહિતશિરોમણિ આચાર્ય હરિભદ્રકૃત પંચાશક ઉપર વૃત્તિ રચેલી છે. અને ત્યાર બાદ ૨૪૧૧૨૮ માં પાંચમા અંગે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અથવા ભગવતી સૂત્ર ઉપર વૃત્તિ રચેલી છે. અને આ સિવાય બીજી બીજી જે નાની વૃત્તિઓ અને કૃતિએ લખેલી છે તેમાં રચ્યા સાલ તેઓએ આપેલ નથી.
એથી જન્મ અને દીક્ષા વચ્ચે સોળ વરસને ગાળે રાખી પછી દીક્ષા અને અભ્યાસકાળ દરમિયાન બીજાં દશ વરસને ગાળે કલયે છે અને પછી રેગ તથા તેના શમનનું ત્રણેક વરસનું તથા ૨૪ જુઓ સ્થાનાંગ, સમવાયાંગ, જ્ઞાતાધર્મવૃત્તિઓની પ્રશસ્તિ. ૨૫ જુઓ પંચાશકવૃત્તિની પ્રશસ્તિ. ૨૬ જુઓ ભગવતીસૂત્રની પ્રશસ્તિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
વૃત્તિઓ રચવાની પૂર્વ તૈયારીનું બે વરસનું અંતર ગઠવી ૧૧૧૦ સુધી પહોંચી જવાય છે. આ પછી આચાર્યપદ અને વૃત્તિરચનાને ૧૧૨૦ ને સમય બરાબર સંગત થાય એવી કલ્પના ગોઠવી છે. તેઓએ આચાર્ય થયા પછી જ બધી રવૃત્તિઓ લખી છે એ હકીક્ત તે તેમના લખાણ દ્વારા સુનિશ્ચિત છે, એટલે ૧૦૮૮ વર્ષે સૂરિપદની કલ્પના શી રીતે બંધ બેસે ? ૧૦૮૮ વર્ષ અને પ્રથમ વૃત્તિ રચનાને સમય ૧૧૨૦ એ બે વચ્ચે બત્રીશ વરસ જેવડો મટે ગાળે છે, એ દરમિયાન એમણે એ બત્રીશ વરસ ક્યાં અને કેમ વીતાવ્યાં? એ પ્રશ્નને ઉત્તર કેવી રીતે મેળવાય? કદાચ તેમના રે શમી જવા માટે એ બત્રીશ વરસ લઈ લીધાં હોય તે તે ૧૦૮૮ વાળી આચાર્ય પદની કલ્પના સંગત થઈ શકે, પરંતુ એને માટે સવિશેષ પ્રામાણિક આધારની જરૂર તે છે જ. એવા મજબૂત આધાર વિના એ કલ્પના કેવળ કલ્પના જ કહી શકાય.
આચાર્યશ્રીએ પિતે જ વૃત્તિઓ રચવાનાં જે અનેક પ્રજને બતાવેલાં છે તેમાં જ તેમના સમયની પરિસ્થિતિને સમજાવવાની પૂરી એતિહાસિક સામગ્રી સમાયેલ છે એમ મેઘમ કહેવાથી વા લખવાથી તેમના સમયની પરિસ્થિતિને પણ ખ્યાલ આવી શકે એમ નથી. માટે જ તે બાબત પ્રકાશમાં આણવા અહીં જૈન પર, પરાને જૂને ઈતિહાસ ઉખેળ જરૂરી છે.
ભગવાન મહાવીરના શાસનની પરંપરા એટલે સવા શે કે થે ઘણે અંશે સાચા ત્યાગવીર સંયમી, અપરિગ્રહી અને બ્રહ્મચારી એવા મુનિઓની પરંપરા અને ગૃહસ્થની પરંપરા. જ્યાં સુધી આત્માર્થ પ્રધાન હતા અને શ્રેયલક્ષી વૃત્તિ હતી ત્યાં સુધી એ પરંપરા ટકી શકી, પણ જ્યારે આત્માર્થને બદલે પ્રચારલક્ષી પરકલ્યાણ પ્રધાન બન્યું અને વૃત્તિ પ્રેયલક્ષી બની ત્યારે એ પરંપરાએ ઉપરથી તે ત્યાગીનું અને અંદરથી ભેગીનું રૂપ ધારણ કર્યું. ભ૦ મહાવીરના વનવાસી નિગ્રન્થ વસતિમાં આવતા તેય ક્યાંય વખા૨૭ જુઓ દરેક વૃત્તિની પ્રશસ્તિ. દરેક પ્રશસ્તિમાં તેમણે પિતાનું નામ
આચાર્યપદ સાથેનું અર્થાત “અભયદેવસૂરિ' એમ નિશેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
રમાં, કેડમાં, ઉજજડ ઘરમાં કે સ્મશાનમાં રહી પિતાની કઠોર સાધના કર્યા કરતા.
આ તરફ લેકના સંસર્ગમાં રહીને બૌદ્ધધમ પિતાનું સ્વત્વ ગુમાવીને પણ જેટલે ફેલાયે જતું હતું એટલે જેનધર્મ ફેલાતે ન હતું. તે જોઈ ને ખેદ પામતા તે શ્રમણને જૈનધર્મને ફેલાવે કરવાના, તેને કાયમ માટે ટકાવી રાખવાના અને લેકેની વધારે સંખ્યાને જેનધમ પહોંચે એવું કરવાના કેડ જાગ્યા. એને સિદ્ધ કરવા એ ધુરંધર નિર્ચાએ ચંને વહીવટ પિતાના હાથમાં લીધે અને પિતાના પરિવારને ચેત્યેની રખેવાળીનું કામ સોંપ્યું. ચેના ગૌષ્ટીકે ચિત્યેનું દ્રવ્ય ખાઈ જતા, ચૈત્યેનાં ખેતરે તથા બાગબગીચાઓને ઉપગ એ ગૌખીકે પિતાના અંગત ઉપભેગ માટે કરતા તે બધું આ તપસ્વીઓએ અટકાવ્યું અને ચૈત્યમાં પૂજન દર્શન વંદન માટે આવનારી જનતાને તેઓ પોતાની ત્યાગપ્રધાન ઉપદેશધારા દ્વારા તરળ કરવા લાગ્યા. પણ ચેત્યોની આ સંપત્તિ સામે તેમને ત્યાગ વધારે વખત ન ટકી શક્યો અને એ નિગ્રંથનાં સંતાને પતે ગૌષ્ટીકેની પેઠે જ વર્તવા લાગ્યા, અને કાયમી ચૈત્યવાસી બની ત્યાં ચૈત્યમાં જ પડયાપાથર્યા રહેવા લાગ્યા. ચિત્યેની સંપત્તિને ઉપયોગ પોતે પોતાના ઉપભેગ માટે કરવા લાગ્યા.
ભગવાન મહાવીરના નિર્વાણ પછી લગભગ નવસે વર્ષ પછી અર્થાત્ વિકમના પાંચમા સૈકામાં આ પરંપરાને જન્મ થઈ ગયે. આચાર્ય હરિભદ્ર પિતે રચેલા સંબધપ્રકરણમાં આ પરંપરાની જે ચર્ચા વર્ણવી છે તે વાંચતાં માલૂમ પડે છે કે ચૈત્યવાસી સાધુએ આચારમાં શિથિલ બન્યા હતા, મુનિધર્મના કઠેર આચારેને તેમણે તજી દીધા હતા, વેશ તે મુનિને તે પણ આચાર તે એક ન્યાયનિષ્ઠ ગૃહસ્થ કરતાંય ઊતરતે હતો. તેઓ પિતે અને પિતાના માણસે દ્વારા તમામ ને વહીવટ કરતા અને પિતાના આરામ માટે ચેત્યદ્રવ્યને સ્વછંદપણે ઉપયોગ કરતા. તેઓ બ્રહ્મચર્યમાં ઢીલા બન્યા, પરિગ્રહી અને વિલાસી પણ થઈ ગયા. ગુરુને વેશ અને તાબામાં સંપત્તિ એટલે પછી શી મણું રહે ? આ બધું પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
ધર્મની રક્ષા માટે, ચેત્યની સુરક્ષિતતા માટે અને શ્રી મહાવીરના તીર્થની ચિરંજીવિતા માટે ધર્મને નામે ચાલવા લાગ્યું, એટલે એમની સામેય કેણ થઈ શકે ?
એ ચિત્યવાસી સાધુઓ મંત્ર તંત્ર જંત્રતિષ વૈદ્યક અને ધંધારોજગાર વગેરેની લોકપ્રિય પ્રવૃત્તિઓમાં ભારે કુશળ હતા તેથી જનતામાં તેમની ભારે લાગવગ વધેલી. તે સમયના કેટલાક રાજાઓ પણ તેમના પ્રભાવમાં આવી ગયા હતા અને શ્રાવકે તે પહેલેથી જ એમના પ્રભાવથી અંજાયેલા હતા.
આવી જેનશાસનની ન કલ્પી શકાય એવી ભયંકર દુર્દશા જેવા છતાંય કેની મગદૂર છે કે તેમની સામે એક હરફ પણ કાઢી શકાય ?
વિક્રમના આઠમા સૈકામાં થયેલા પ્રખ્યાત સંવેગી આચાર્ય શ્રી હરિભદ્ર જેકે આ પરંપરાના હતા છતાંય તેઓના ખ્યાલમાં જેનશાસનની એ દુર્દશા આવી જ ગયેલી તેથી તેઓએ એને ખૂબ વિરોધ કરેલ અને એમાં સુધારો કરવા ભારે મથામણ કરેલી. પિતે એ પરંપરાના શૈથિલ્યને ત્યાગ કરી સંવેગ માગે ચડ્યા અને ધર્મના શુદ્ધ સ્વરૂપને સમજાવવાના પ્રયાસમાં તેમણે પિતાનું આખુંય જીવન વીતાવી દીધું.
આ બધી બાબત તેમણે પિતાના ચરણકરણાનુયેગને લગતા પંચાશક ષોડશક અષ્ટક સંબધપ્રકરણ વગેરે ગ્રંથમાં જોરશોરથી જણાવેલી છે. આમ છતાંય કઈ રડ્યાખડયા આત્માથી જ એ પરંપરાથી છૂટા રહ્યા અને બહુમતી તે એ પરંપરાની જ ટકી.
આમ ઠેઠ વિક્રમના અગિયારમા સૈકા સુધી એમનું તાંડવ ચાલતું રહ્યું અને એને લીધે જ શ્રી અભયદેવસૂરિના કહેવા પ્રમાણે આગમના અભ્યાસની પરંપરા છિન્નભિન્ન થઈ ગઈ. આગમને સ્વાધ્યાય તે ટકે પણ શી રીતે ? એ ચૈત્યવાસી મુનિઓ ત્યાગની વાણીને બેધનારા આગમના અધ્યયનને મહત્વ શા માટે આપે ? આમ થવાથી જેમનાં અધ્યયન અધ્યાપન વાચના પ્રચ્છના પરા૨૪]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
વના વગેરે અટકી પડયાં છે એવાં જૈન મૂળસૂત્રા અ`ગા કે બીજા ગ્રંથાના પાઠ અને વાચનાઓ મંડિત જ થઈ જાય, અસ્તવ્યસ્ત થઈ જાય, અશુદ્ધિખહુલ થઈ જાય અને ભારે દુર્ગંધ પણ થઈ જાય એ તદ્ન સ્વાભાવિક છે. એટલું જ નહિ પણ આગમાનાં રકૂટ પુસ્તકો પણ લખાયે જાય. માટે જ શ્રીઅભયદેવે પાતે વૃત્તિએ લખતાં જે જે મુસીબતા પડી છે તેની ફરિયાદો નોંધી બતાવી છે, તે એમના કાળની એ ચૈત્યવાસી પરંપરાની વાસ્તવિક પરિસ્થિતિની સૂચક છે અને એ જ પરિસ્થિતિએ શ્રીઅભયદેવને અંગે ઉપર વૃત્તિઓ રચવાને પ્રેર્યા છે.
જોકે તેમના સમયે જૈનશાસનની પરિસ્થિતિ ભારે વણસેલી હતી છતાંય આચાય હરિભદ્રની પેઠે તેમના સમયમાંય દરિયામાં મીઠા પાણીની વીરડીની પેઠે કેટલાક મુનિએ સંવેગપક્ષી હતા અને સરખામણીમાં સંયમી તથા શુદ્ધ પ્રરૂપક હતા. રાજા ભીમના સગામાં ગણાતા શ્રીમાન દ્રોણાચાય અને તેમની મડળી તે વખતે પણ ઊંચું માથું રાખીને પેાતાની સંયમસાધના કરતી હતી. આગમાનાં સ્વાધ્યાય પઠન-પાઠન વગેરે એ મંડળીમાં ચાલતાં હતાં અને એ રીતે એ મ`ડળીને આગમા પ્રત્યે ભારે સદ્ભાવ હતા.
એ સમયે જેએ સ ંવેગપક્ષમાં ગણાતા ત્યાગી મુનિ હતા તેમાં શ્રીદ્રોણાચાય અને તેમની મંડળી જેવા કોઇ આગમાના અભ્યાસી નહીં હાય તેથી જ પોતાની વૃત્તિઓના સંશાધન માટે અને તેમની ઉપર પ્રામાણ્યની મહાર મરાવવા માટે ત્યાગી શ્રી અભયદેવને વિશાલ હૃદયવાળા તટસ્થ એવા શ્રી દ્રોણાચાર્ય તથા તેમની મંડળીના આશ્રય મેળવવા પડેàા, એ હકીકતને તે પેાતે વૃત્તિની દરેક પ્રશસ્તિમાં લખ્યા વિના રહ્યા નથી, એટલું જ નહી પણ દરેક પ્રશસ્તિમાં શ્રી દ્રોણાચાય અને તેમની પતિ મંડળીના શ્રી અભયદેવે ભારે કૃતજ્ઞતાપૂર્વક વારંવાર ઉલ્લેખ ૨૮ જુએ પ્રશ્નવ્યાકરણવૃત્તિના આર્ભઃ- પ્રાયોઽક્ષ્ય ટાનિ ચ પુત્તનિ । ૨૯ નુ દરેક વૃત્તિની પ્રશસ્તિમાં આવેલા ગીતાર્થ શ્રીદ્રોણાચાર્યજીના
""
[ ૨૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
કરેલ છે એ સૂચવે છે કે શ્રી અભયદેવ તથા શ્રી દ્રોણાચાર્ય વચ્ચે એક રીતે જોતાં વિપક્ષભાવ હોવા છતાંય ધર્મદષ્ટિએ ભારે સખ્ય હતું. એ બને મેટામના ન હોય, ઉદાર ન હોય, એક બીજાની જુદી જુદી માન્યતાને સહી લેનારા ન હોય તે કદી પણ એમના વચ્ચે સખ્ય આદર અને સદ્દભાવ ન રહે અને એમ ન થાય તે અભયદેવની રચેલી વૃત્તિઓ ધાયા વિનાની જ રહે અને એમના ઉપર આદેયતાની–પ્રામાણ્યની મહેર ન જ વાગે. આ જોતાં દ્રોણાચાર્ય અને તેમની મંડળીનાં ઔદાર્ય, શાસનભક્તિ અને આગમપ્રેમ ભારે અદ્ભુત હતાં એમાં શક નથી રહેતું.
જે સમયે પાટણમાં કઈ સંવેગીને ઊતરવાનું ઠેકાણુંય ન મળે તેવે કપરે સમયે સંવેગીને આદર આપે અને તેમના ગ્રંથનું સમગ્ર અવેલેકન કરી સંશોધન કરી આપવું એ કાંઈ કે કાચી છાતીવાળાનું કામ નથી, એ તે મહાપ્રભાવશાલી ધર્મના ખરા અર્થમાં પ્રેમી એવા ઉદારમનના શ્રી દ્રોણાચાર્ય જ કરી શકે તથા આ તરફ ત્યાગી અપરિગ્રહી હોવા છતાં ય જે શ્રમણસંઘે શિથિલાચારી એવા છતાંય આગમભકત શ્રી દ્રોણાચાર્યના સંશેધનને કબૂલ રાખ્યું-પ્રામાણિક માન્યું અને તે સંશોધનને એક મહાપકારની જેમ સ્વીકૃતિ આપી તે પણ એક અદ્ભુત ભાવનાનું સૂચક છે.
આમ જેકે અભયદેવના સમયની પરિસ્થિતિ જેનશાસન માટે સુભગ ન હતી છતાંય શ્રીદ્રોણાચાર્ય જેવા ચિત્યવાસી મહાનુભાવ મહાપુરુષને લીધે એ અસુભગતાય સહી શકાય એવી હતી એ ભારે સંતોષનું કારણ હતું.
શ્રીદ્રોણાચાર્યે કેવળ વૃત્તિઓના સંશોધનની પ્રવૃત્તિથી સંતોષ ન માનતાં ઘનિર્યુક્તિ જેવા ચરણકરણપ્રધાન ગ્રંથ ઉપર લગભગ ૩°સાત હજાર શ્લેકપ્રમાણ વૃત્તિ પણ રચેલી છે અને તે ' નામનો સાદર ઉલ્લેખ:
નમ: બરસુતાનુયોrોધિચૈ શ્રીકોનાર્થમુહર્ષિ” (સ્થાનાંગવૃત્તિ). ૩૦ જુઓ બ્રહરિપનિકા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
વૃત્તિને તે વખતના અત્યવાસી શ્રમણ સંઘે પ્રમાણભૂત માનીને સ્વીકારેલી પણ છે; એ મહાનુભાવતા બન્ને પક્ષની એ જમાનામાં તે એક અદ્ભુત ચમત્કાર જેવી જ ગણી શકાય, જ્યારે વર્તમાન જમાનામાં વિજ્ઞાનવિદ્યાની પ્રધાનતા હોવા છતાં ય આવી ઉદારતા ભાગ્યે જ નજરે ચડે છે. માટે જ ખારા ઊસ જેવા દરિયામાં મીઠી વીરડી જેવી ઉપમા શ્રીદ્રોણાચાર્યને આપી છે તે જરાય વધારે પડતી નથી.
ગણધસાર્ધશતકાન્તર્ગત પ્રકરણમાં શ્રી દ્રોણાચાર્ય અને અભયદેવ વચ્ચે જે જાતને સદ્ભાવ હતે તેને સરસ ઉલ્લેખ છે. એટલે સુધી હતું કે જ્યારે શ્રીદ્રોણાચાર્ય આગમની વાચના આપતા ત્યારે તેમના પક્ષના બધા ચૈત્યવાસી આચાર્યો તેને સાંભળવા જતા; તે વખતે શ્રીઅભયદેવસૂરિ પણ તે વાચનામાં જતા ત્યારે ખુદ દ્રોણાચાર્ય ઊભા થઈને તેમને લેવા જતા અને તેમનું આસન ૩પતાની પાસે જ નખાવતા. આવે એ બન્ને વચ્ચે આદરભાવ જોઈને કેટલાક ચૈત્યવાસી આચાર્યો રેષે ભરાતા છતાં શ્રીદ્રોણચાર્ય સામે અક્ષર પણ ન બેલી શકતા અને પિતપતાના મઠમાં જઈ એમ બડબડયા કરતા કે આ વળી અભયદેવ આજકાલને અમારા કરતાં શું મેટે ૩૨થઈ ગયે છે? જેથી ખુદ દ્રોણાચાર્ય પિતે તેને આટલું બધું માન આપે છે. પિતાના પક્ષના આચાર્યોને એ બડબડાટ સાંભળીને ગુણપક્ષપાતી અને ગુણરસિક શ્રીદ્રોણુસૂરિએ એ ચિત્યવાસીઓની સામે અભયદેવના ગુણેનું પ્રદર્શન કરી તેમને શાંત પાડેલા અને અભયદેવની રચેલી તમામ વૃત્તિઓને જેઈ તપાસી આપવાનું પણ તેમની સમક્ષ વચન આપ્યું–આટલું તેમની ગુણજ્ઞતા
૩૧ જુઓ ગણધરસાર્ધ શતકાંતર્ગત પ્રકરણ પાનું ૧૪–
“ततोऽसौ अपि भगवद्गुणसौरभाकृष्टः स्वसान्निध्ये प्रभोरासनं दापयति ।"
ઈત્યાદિ. ૩૨ જુઓ ગણધરસાર્ધશતકાંતર્ગત પ્રકરણ પાનું ૧૪–
“अहो केन गुणेन एष अस्मभ्यमधिकः येन अस्मन्मुख्योऽपि अयं द्रोणाचार्यः શ્રી પુર્વવિધમાાં રચાત ”
[ ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
મહાનુભાવતા અને ભાવભીતા સમજવા પૂરતું છે અને આમાંથી બીજું પણ એક સૂચન મળે છે કે ધર્મના પવિત્ર કાર્યમાં સદ્ભાવ સાથે જ્યાંથી જેટલી સહાયતા મળે તે બધી વિના સંકેચે આદરપૂર્વક કૃતજ્ઞતા સાથે લેવી એ ઉત્તમ કાર્ય છે.
પ્રભાવક ચરિત્રના કર્તા પ્રભાચંદ્રસૂરિ પિતાના શબ્દોમાં શ્રી અભયદેવસૂરિ વિશે જે વૃત્તાંત નોંધે છે તે સંક્ષેપમાં આ પ્રમાણે છે : આશરે દશમા સિકાને અંતે અને અગ્યારમા સૈકાના પ્રારંભમાં શ્રીવર્ધમાનસૂરિ૩૩ વિદ્યમાન હતા. તેઓ એક મોટા હરેડ ચૈત્યવાસી આચાર્ય હતા અને ચોરાશી ચેને બહોળે વહીવટ તેમના હસ્તક હતું. તેમ છતાં આગમેના અભ્યાસને બળે વિવેકપૂર્વક સન્માર્ગ અને દુર્ભાગનું પૃથક્કરણ કરી તેઓ શુદ્ધકિયાપાત્ર તપસ્વી અને ઉત્કટ સંયમી બન્યા હતા. પૂર્વે જેનું વર્ણન કર્યું છે તેવી ચૈત્યવાસની વિષમ પરિસ્થિતિને લીધે લેકમાં જૈનધર્મની થતી અપભ્રાજનાને ટાળવા અને શુદ્ધ કિયાની પ્રવૃત્તિ વધે તે માટે તેઓનું વિશેષ લક્ષ્ય ખેંચાયું.
તે વખતે ખાસ કરીને ગુજરાતમાં અને તેમાંય તેની રાજધાની પાટણમાં ચિત્યવાસીઓની ભારે પ્રબળતા હતી, તેની સામે થઈને તેમની શિથિલતાને દૂર કરવા અને તેઓ શુદ્ધ કિયાપાત્ર બને તે જ એક હેતુથી તેમણે પિતાના વિદ્વાન ધીર ગંભીર અને સહનશીલ એવા જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ નામના બે શિષ્યોને પાટણ જવાને આદેશ કર્યો અને મરણત કષ્ટ સહીને પણ શુદ્ધ ક્રિયામાર્ગને પ્રચાર કરવાની જવાબદારી તેમને માથે મૂકી.
આ બન્ને મહાનુભાવે ફરતાં ફરતાં પાટણમાં તે આવી પહોંચ્યા. પછી તેઓ બને ઉતા મેળવવા પાટણને એકેએક પાડે ખૂંદી વળ્યા છે અને એકેએક ઘર ફરી વળ્યા, છતાંય તેમને ૩૦ જુઓ પ્રભાવકચરિત્ર શ્રી અભયરિચરિત્ર પૃ૦ ૧૬૩ થી ૧૬૬, ભલે
૯૧ થી ૧૭૪. ૩૪ જુઓ પ્રભાવરિત્ર પૃ૦ ૧૬ર લે ૪૭– ૨૮]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
કેઈએ સાડાત્રણ હાથ જેટલે એટલે પણ ઊતરવા ન આપે. રાજાની આજ્ઞા હતી કે ત્યવાસી આચાર્યોની સંમતિ સિવાય કેઈ પણ સંવેગી સાધુ પાટણમાં ક્યાંય ઊતરી ન શકે. એથી આ બન્ને આચાર્યોને ઉતારા માટે જગ્યા ન મળી તે ન જ મળી. આ બનાવથી તે બને બુદ્ધિમાન આચાર્યો હારે એમ ન હતા. તેઓ બને પૂર્વાવસ્થામાં બ્રાહ્મણ હતા તેથી વેદ ઉપનિષદ વગેરે ગ્રંથના સારા અભ્યાસી હતા અને બ્રાહ્મણધર્મ તરફ પણ તેમને સમભાવ હતું એટલે તેઓએ પિતાની બુદ્ધિ લડાવી પાટણના રાજમાન્ય પુરેહિત સોમેશ્વરના ઘર તરફ જઈ વેદનાં શુદ્ધ ઉચ્ચારણમય વચને દ્વારા પુરોહિતને ઊંચે સ્વરે આશીર્વાદ આપતાં
3'अपाणिपादो ह्यमनो ग्रहीता पश्यत्यचक्षुः स शृणोत्यकर्णः । स वेत्ति विश्वं नहि तस्य वेत्ता शिवो ह्यरूपी स जिनोऽवतावः ॥
પુરેહિત આવા અપૂર્વ આશીર્વાદ સાંભળીને તેમના તરફ આકર્ષાયા અને તેમને બંનેને પિતાના ઘરમાં બોલાવી બેસવા માટે ભદ્રાસને ગોઠવી દીધાં. છતાંય પિતાના ત્યાગ ધર્મને અનુસરીને તેઓ પોતાની કાંબળી પાથરીને તેની જ ઉપર બેઠા અને પુરોહિતને પોતાને આચાર સમજાવ્યો. થોડી વાતચિત થતાં તેઓએ વેદધર્મ અને જૈનધર્મ વચ્ચેની જે એકવાક્યતા છે તેના તરફ પુરોહિતનું ધ્યાન ખેચ્યું. પછી તે પુરોહિતે તેમને કુશળપ્રશ્ન, આગમનને હેતુ વગેરે પૂછતાં જાણું લીધું કે આવા તપસ્વી અને વિવેકી સરળ મુનિઓને પણ પાટણમાં ક્યાંય ઉતારા મળતું નથી
“ सद्गीतार्थपरीवारौ तत्र भ्रान्तौ गृहे गृहे ।
विशुद्धोपाश्रयालाभात् वाचं सस्मरतुर्गुरोः ।। ૩૫ જે શિવરૂપ અરૂપી ઈશ્વર એવા જિનભગવાન હાથ, પગ અને મન
વગરના છે છતાંય તમામ પદાથોને ગ્રહણ કરે છે, આંખ વગરના છતાંય જુએ છે, કાન વગરના છાંય સાંભળે છે, તે સમગ્ર વિશ્વને જાણે છે છતાં તેમને કોઈ જાણતું નથી એવા એ પરમાત્મા તમારું રક્ષણ કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
તેમ કે પોતાના મકાનમાં ઊતરવા પણ દેતું નથી. એથી તેણે તેમને સારુ પોતાની ચંદ્રશાળા ખોલી આપી તેમાં નિરાંતે રહેવાનું સૂચન કર્યું. પુરોહિત અને મુનિઓ વચ્ચે થોડો પરિચય વધતાં પુરોહિતે બીજા યાજ્ઞિક પંડિત બ્રાહ્મણેને બેલાવી તેમની સાથે ચર્ચાવિનોદ કર્યો અને તેથી તે તથા બીજા પંડિતે ઘણું પ્રસન્ન થયા અને આમ પાટણમાંથી શુદ્ધ નિર્દોષ ભિક્ષા માગી લાવી તેઓએ પરેહિતની ચંદ્રશાળામાં રહી પાટણના ચિત્યવાસીઓના મજબૂત ગઢને ભેદવાને વિચાર કર્યો.
આ તરફ પાટણમાં સંવેગી સાધુ આવ્યાની અને પુરેહિતને ત્યાં ઊતર્યાની ખબર ચૈત્યવાસી આચાર્યોને પહોંચી ગઈ અને તેઓ બન્ને સંવેગી મુનિઓ પિતાની સંમતિ વિના પાટણમાં પેઠા હેઈને ચૈત્યવાસી આચાર્યોએ તેમના ઉપર રાજાના હુકમને ભંગ કર્યાના આરેપ સાથે પિતાના માણસો મારફત તેમને તરતરત પાટણમાંથી બહાર નીકળી જવાનું કહેણ મે કહ્યું. ચૈત્યવાસીઓના ચેકીદાર નાકરેએ પહિતને ઘેર આવીને પોતાના આચાર્યને હુકમ તે બન્ને મુનિઓને કહી સંભળાવ્યો અને તાબડબ પાટણમાંથી બહાર નીકળી જવાની સૂચના કરી દીધી.
આ સાંભળીને પુરોહિતે કહ્યું કે હમણાં આ બન્ને ગુણવંત પવિત્ર મુનિઓ મારા મહેમાન છે માટે તમે સીધું તેમને કાંઈ સૂચન કરે તે ઉચિત નથી. હમણાં તે તેઓ મારી જવાબદારી ઉપર જ મારે ત્યાં ઊતર્યા છે, છતાં આ સંબંધે કેઈ વિશેષ નિર્ણય કર હોય તે રાજસભામાં જ તમારે આવવું જોઈએ.
જ્યારે નેકરોએ પુરોહિતે આપેલ જવાબ પિતાના માલિક ચૈત્યવાસી આચાર્યો પાસે પહોંચાડ્યો ત્યારે બધાય ત્યવાસી મઠપતિ આચાર્યો ભેગા થઈ ને રાજા ભીમની કચેરીમાં પહેચ્યા અને પિતાની સંમતિ સિવાય પાટણમાં કઈ પણ સંવેગી મુનિ પેસી જ ન શકે અને પેઠે હોય તે તત્કાળ તેણે પાટણથી બહાર નીકળી જવું જોઈએ એવું શાસન ચાવડાવંશના રાજા વનરાજના ૨૦]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
વખતથી ઠેઠ ચા આવે છે એ વાત રાજાને કાને નાખો, અને પોતાના પૂર્વજ પિતાપિતામહના શાસન પ્રમાણે રાજાએ આ બન્ને મુનિઓને પાટણમાંથી બહાર નીકળી જવાની ફરજ પાડવી જઈ એ એમ પણ સૂચવ્યું.
આ બધું સાંભળીને કચેરીમાં બેઠેલા પરેહિતે રાજાને કહ્યું કે આ બન્ને સંતે ગુણવાન છે અને તેમના ગુણેથી આકર્ષાઈને મેં તેમને મારા ઘરની ચંદ્રશાળામાં ઉતાર્યા છે, તે હે મહારાજા ! તમારા રાજ્યમાં આવા સરળ પ્રકૃતિના ગુણી જને પણ શું નહીં રહી શકે?
પુરહિતનું વચન સાંભળી રાજાએ અત્યવાસી આચાર્યોને કહ્યું કે મારે મારા વડીલેનું વચન કબૂલ છે. અને સાથે કઈ પણ ગુણી જન મુનિ વેરાગી કે પંડિત હોય તે કેવળ ગુણની દૃષ્ટિએ પાટણમાં જરૂર રહી શકે એ માટે તમારે વાંધે કાઢ અસ્થાને છે.
આથી આચાર્યો પિતપતાના મઠમાં પાછા ફર્યા અને રાજાએ આ બન્ને મુનિઓના રહેઠાણ માટે થોડી જમીન પણ કાઢી દીધી એથી તે જમીન ઉપર રાજપુરેહિત સેમેશ્વરે તે સાધુઓને રહેવા લાયક વસતિ પણ બાંધી આપી.
આ વખતથી સાધુઓને સારુ ખાસ જુદી જુદી વસતિઓ બંધાવા લાગી અને ચૈત્યવાસને કેરે મૂકનારા, શુદ્ધ કિયાના આરાધક મુનિએય હવે તે નવી બંધાવેલી વસતિમાં રહેવા લાગ્યા. આમ, સંવેગી મુનિઓએ હવે ચિત્યવાસને બદલે વસતિવાસના ખુલ્લા રિવાજને સ્વીકાર કર્યો. હવે તેઓ ટેળે મળીને પાટણમાં આવવા લાગ્યા અને શુદ્ધ કિયાની આરાધના પૂર્વકના વસતિવાસને પ્રચારમાર્ગ આમ ખુલે પણ થઈ ગયો.
પિતાના ગુરુ શ્રીવર્ધમાનસૂરિએ જે ફરજ પોતાને માથે નાખી હતી તેને બરાબર અદા કરીને હવે શ્રીજિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ પાટણ છેડી બીજે સ્થાને જવાનું વિચારવા લાગ્યા. શ્રીબુદ્ધિસાગરસૂરિએ જાબાલિપુરમાં એટલે જાહેરમાં રહીને ૧૧૮૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
માં એક નવું બુદ્ધિસાગર નામનું વ્યાકરણ રહ્યું છે તે સંભવ છે કે કદાચ આ અરસામાં હેય. એથી એમ કલ્પના કરવી અસ્થાને નથી કે બુદ્ધિસાગરસૂરિ પાટણ છેડી જાલેર તરફ જઈ ત્યાં રહ્યા હોય અને જિનેશ્વરસૂરિએ પાટણથી વિહાર કરી ધારાનગરી તરફ પ્રયાણ કર્યું હોય.
એ સમયે રાજા ભેજને લીધે વિશેષ પ્રસિદ્ધિ પામેલી ધારા નગરીમાં મહીધર નામે મોટા શેઠ રહે, તેમનાં પત્નીનું નામ ધનદેવી. તેમને અભયકુમાર નામે એક પુત્ર પ્રભાવકચરિત્રકારે મહીધરને શેઠ” કહ્યા છે એથી સંભવ છે કે તેઓ જાતે વાણિયા હેય. જ્યારે જિનેશ્વરસૂરિ ધારા પહોંચી ત્યાં ચોમાસુ કરવાની વૃત્તિથી સ્થિર થયા ત્યારે તેમણે ધારાની જનતાને જૈનધર્મને ઉપદેશ આપવા વ્યાખ્યાન દેવાં શરૂ કર્યા. સમગ્ર જનતા સાથે અભયકુમાર પણ તેમના વ્યાખ્યાનમાં નિયમિત આવવા લાગ્યું. તે એ વ્યાખ્યાનેને નિયમિત સાંભળી મનન પણ કરતે રહેતે તેથી તેને તેમનાં વ્યાખ્યાનની સારી એવી સમજ પડતી. આ વખતે અભયકુમારનું વય લગભગ સોળ વરસ હઈ તે વ્યાખ્યાનમાં સાંભળવામાં આવતું જગતનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ, કષાયવૃત્તિનાં દુષ્પરિણામ, કેવળ સ્વાર્થ સાધનની વૃત્તિથી ઉત્પન્ન થતી વિષમતા, હિંસા અસત્ય વગેરેની અનિષ્ટતા એ બધું બરાબર સમજે અને તેથી તેના ચિત્તમાં સંસારની સ્વાર્થ સાધુવૃત્તિને તજી દઈ સ્વ અને પરના કલયાણના નિમિત્તરૂપ સંવેગ પક્ષની દીક્ષા લેવાને વિચાર સ્ફર્યો.
જ્યારે એ વિચાર બરાબર પાકી ગયું અને તેના ચિત્તમાં વિશેષ દૃઢતાથી સ્થિર થઈ ગયે ત્યારે તેણે એ વિશે પિતાનાં માતાપિતાની સંમતિ મેળવી શ્રીજિનેશ્વરસૂરિ પાસે જેન દીક્ષા સવીકારવાને પોતાને દઢ સંકલ્પ જાહેર કર્યો. આચાર્યું પણ તેના સંક૯૫ની નિશ્ચલતા, તેની યેગ્યતા, ઉત્સાહ વગેરે જોઈ તપાસી તેની બરાબર પરખ કરી તેને દીક્ષા આપી તેનું નામ અભયદેવમુનિ ૬ જુઓ બુદ્ધિસાગરવ્યાકરણની પ્રશસ્તિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
રાખ્યું. અભય તે કેવળ પિતાના આત્મકલ્યાણની દૃષ્ટિએ જ મુનિમાર્ગને આશરે આવેલું હતું. તેથી ઉગ્ર સંયમ ઉગ્ર તપ દ્વારા કઠેર એવી આત્મશુદ્ધિની સાધનામાં મંડી પડયો. અને સાથે તેણે જૈન પરંપરાનાં અને બીજી બીજી વેદાદિ પરંપરાનાં સમગ્ર શાસ્ત્રોને અભ્યાસ પણ શરૂ કરી દીધે. સેળ વરસની વયે દીક્ષા પામેલા આ અભયમુનિ અહીં કપેલા સં. ૧૧૧૪ સુધીના વખતમાં તો સ્વપર શાસ્ત્રના અસાધારણ પારગામી થયા. આ પછી ગુરુએ તેમને આચાર્યપદ આપ્યું તેથી હવે તેઓ અભયદેવસૂરિને સુવિહિત નામે ખ્યાત થયા.
તેમણે પિતાની નજરોનજર આગની દુર્દશા જોઈ હતી અને શુદ્ધાચાર તથા શુદ્ધ કિયામાર્ગને ભારે હાસ થયેલે જે હતે. શાસ્ત્રોની શુદ્ધ વ્યાખ્યા વિના શુદ્ધાચાર શુદ્ધક્રિયાને પ્રચાર અશકય હતું તેથી ૧૧૧૪ પછી વૃત્તિઓને રચવા માટે પિતાની શારીરિક અને માનસિક તૈયારી કરી અને તે માટેની બીજી બધી બાહ્યા સાધન સામગ્રી એકઠી કરી ૧૧૨૦ની સાલથી અંગસૂત્રે ઉપર વૃત્તિઓ લખવાને ભાર ઉપાડી લઈ તે પ્રવૃત્તિ ઝપાટાબંધ તેમણે પાટણમાં રહી શરૂ કરી દીધી.
તે વખતે પાટણમાં વિરાજતા અને આગમની પરંપરા આમ્નાય સંપ્રદાયના જાણકાર મહાનુભાવ મધ્યસ્થ વૃત્તિવાળા ચૈત્યવાસી શ્રીદ્રોણાચાર્યની સહાય તેમને પોતે આરંભેલી પ્રવૃત્તિમાં પાટણમાં મળે એમ હતું. એ સિવાય પોતાની સંવેગી પરંપરામાં કે એવા આગમવિદે ન હતા જેથી તેઓ તેમની મદદ પિતાની પ્રવૃત્તિમાં મેળવી શકે અને વળી સંવેગી પરંપરાના આચાર્યોએ શ્રીદ્રોણાચાર્યની બહુશ્રુતતા અને પ્રામાણિકતા સ્વીકારેલી હતી તેથી તેઓએ આ કામ પાટણમાં જ ઉપાડ્યું તથા શરૂ કરેલી પ્રવૃત્તિ નિર્વિદને પૂરી થાય તે હેતુથી તેઓએ આકરું આયંબિલનું તપ પણ સાથે સાથે શરૂ રાખ્યું.
તેમણે સૌથી પહેલાં સ્થાનાંગસૂત્રની વૃત્તિ સંવત ૧૧૨૦માં પાટણમાં રહીને પૂરી કરી અને સંવત ૧૧૨૮માં ભગવતીસૂત્રની
[ ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
વૃત્તિ પણ પાટણમાં રહીને જ પૂરી કરી. વચ્ચે ગીતાર્થ અને સુવિહિતશિરોમણિ શ્રીહરિભદ્રસૂરિએ રચેલા તથા શુદ્ધ માર્ગના પ્રરૂપક એવા પંચાશક ગ્રંથ ઉપર તેઓએ સં. ૧૧૨૪માં ધૂળકામાં રહીને વ્યાખ્યા રચીને પૂરી કરી. આમ તેઓ કવચિત પાટણ છોડીને બહાર પણ વિહરતા હતા છતાંય મોટે ભાગે તેઓ પાટણમાં રહીને વૃત્તિઓ રચવાની પ્રવૃત્તિ કરતા રહેતા.
વૃત્તિઓ જેમ જેમ રચાતી ગઈ તેમ તેમ મહાગ્રતધર શ્રી દ્રોણાચાર્ય તેમને તપાસી તપાસીને શુદ્ધ કરતા ગયા અને દરેકે દરેક વૃત્તિ ઉપર પિતાની પ્રામાય–મેહર મારતા ગયા. સં. ૧૧૨૦થી સં. ૧૧૨૮ સુધીમાં તેઓએ વૃત્તિઓ રચવાનું શરૂ રાખ્યું છે તે જોતાં તેમણે આયંબિલતપ પણ તે સમય દરમિયાન ચાલુ રાખેલું. એક તે ભારે પરિશ્રમનું કામ, મગજ ઉપરનું તાણ, લાંબા ઉજાગરા અને ખેસૂકો બરાક ઈત્યાદિ કારણેને લીધે, એમ કહેવામાં આવે છે કે, તેમના શરીરમાં લેહીવિકારને રોગ થઈ આવ્યું, જેને તે સમયના લેકેએ કેને રેગ માન્ય. અને વૃત્તિઓ બનાવતાં ક્યાંય ઉસૂત્રનું પ્રરૂપણ થઈ જવાથી તેની સજા રૂપે તેમને એ કેઢ થયે છે, એમ એ લકે કહેવા લાગ્યા. આ અપવાદ આચાર્ય અભયદેવને એ અસહ્ય લાગ્યું કે તેઓને અનશન કરવાને સુધ્ધાં વિચાર થઈ આવ્યે. એવામાં તેમને સ્વપ્ન આવ્યું કે નાગરાજે આવીને જીભ વડે પિતાને રેગ ચાટી લીધે છે અને પોતે થાંભણ ગામ પાસેની શેઢી નદીને કાંઠે દટાયેલ શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને બહાર કઢાવી તે નિમિત્તે એક નવું તીર્થ સ્થાપવા જઈ રહ્યા છે.
પ્રાત:કાળ થતાં આ સ્વપ્નની વાત તેમણે પોતાના ગુરુને કહી અને પછી કેટલાક શ્રાવકોએ તેમની સાથે ચાલવાની ઈચ્છા બતાવી તેથી તેઓ થાંભણ તરફ અશકત શરીર પણ વિહાર કરવા તત્પર થઈ ગયા. ધીરે ધીરે વિહાર કરતા તેઓ થાંભણું પોંચ્યા અને શેઢી નદીને કાંઠે દટાયેલ શ્રી પાર્શ્વનાથની પ્રતિમાનાં દર્શન કરતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
જ તેઓએ ત્યાં જ “જય તિહુઅણવરકપરુકખ” એ વાકયથી શરૂ થતું ત્રીશ ગાથાનું ચમત્કારિક તેત્ર રચી કાઢયું. આ વખતે ચિત્તની શુદ્ધિ, ભક્તિભાવને ઉદ્રક અને પ્રસન્ન ભાવનાની પ્રબળ તાને લીધે તેમના રોગની પીડા ઓછી થવી શરૂ થઈ અને ધીરે ધીરે એ રેગ તદ્દન શમી ગયે. એ દરમિયાન તેમણે થાંભણુમાં એક ભવ્ય જિનાલય બાંધવા સારુ શ્રાવકને પ્રેર્યા, જેને પરિણામે થંભણ પાર્શ્વનાથ નામનું એક નવું જ તીર્થ પ્રસિદ્ધ થયું. - તેમણે લખેલી તમામ વૃત્તિઓની નકલે લખાવી લખાવીને તે સમયના દરેક આચાર્યોને આપવામાં આવી અને ખાસ ખાસ જ્ઞાન-ભંડારેમાં પણ મૂકવામાં આવી. લખાવનારાઓમાં ખાસ કરીને પાટણના, ખંભાતના, આશાવળના (અસારવા-અમદાવાદ–ના) અને ધૂળકાના શ્રાવકોએ વિશેષ ભાગ ભજવે અને સારી રીતે નાણું ખર્યું છેક છેલે શ્રી અભયદેવસૂરિ પિતાનાં ધારેલાં તમામ સત્કાર્યો પૂરાં કરી, તમામ વાસનાઓને વિલય કરી પાટણમાં જ પંચત્વને પામ્યા.
તેમના પંચત્વ વિશે બીજી પણ એક એવી માન્યતા ચાલે છે કે તેઓ કપડવંજમાં નિર્વાણ પામ્યા. તેમની પાદુકા કપડવંજમાં સ્થાપેલી મળે છે તેથી જ આ બીજી માન્યતા પ્રચારમાં છે. પાદુકાની સ્થાપના બહુ જૂની નથી એટલે આ માન્યતા માટે કેઈ વિશેષ સંવાદક પ્રમાણની જરૂર ખરી. પ્રભાવક ચરિત્રકાર (પૃ. ૨૭૧ ૦ ૧૭૩-૧૭૪) તેમનું નિર્વાણ પાટણમાં કર્ણરાજાના રાજ્યકાળે થયાનું સ્પષ્ટ લખે છે, એ યાદ રાખવા જેવું છે.
આચાર્ય અભયદેવની વૃત્તિઓનું અધ્યયન કરતાં નવયુગના પંડિતેનેય તેમના અસાધારણ પાંડિત્યને પરિચય મળે છે. જે આગમોની અનેક વાચનાએ તેય જુદી જુદી અસ્તવ્યસ્ત હતી, પાડતરાને પાર ન હતું અને કૂટ પુસ્તકેય ફેલાવે પામેલાં એવે ૩૭ જુઓ ઔપપાતિકવૃત્તિને પ્રારંભ–“દુ ર વદવો નામેવા” જુઓ સમવાયાંગવૃત્તિને પ્રારંભ–“વાંજિત્ વાવનાયામપરમપિ સંવણ
સુરગુપ ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
વખતે આગમાની વાચનાઓને, પાઠાને ખરાખર મેળવી શુદ્ધ કરવા સારુ તેમને કેટલે બધે શ્રમ કરવા પડયો હશે, કેટકેટલા ઉર્જાગુરા વેઠવા પડચા હશે. વમાનમાંય એક પુસ્તકને શુદ્ધ કરીને સંપાદન કરવા જતાં કઠે પ્રાણુ આવી જાય છે તે પછી જે સમયે સપાદન સાધનનાં સાધના ઘણાં જ છાં, કોઈ બીજાની સહાયતા પણ નહીં અને એકલે હાથે રચના કરવાની ભારે જવાખદારી, બીજી તરફ જેવી અને જેટલી જોઇએ તેવી અને તેટલી અનુકૂળતા નહી, એટલું જ નહી. વિધપક્ષની પ્રખળતા અને ધારેલા કાર્ય ઉપર આક્ષેપો, આવી સ્થિતિમાં આચાર્ય અભયદેવે નવાંગની વૃત્તિઓને રચીને જે પેાતાના પાંડિત્યના, ધીરતાને, શાસનભક્તિના અને સહનશીલતાને, ગુણગ્રાહકતાને તથા સમર્શિતાના પિરચય આપણને મતાન્યે છે તે અજોડ અસાધારણ અને અનુપમ છે.
વળી એમણે જે જે વૃત્તિએ રચી છે તે સુખેધ, સૂત્રના અને ખરાખર સ્પષ્ટ કરનારી અને પ્રાંજલ ભાષામાં લખાઈ છે. એક વખત એવા પણ હતા કે વૃત્તિઓ લખનારા સૂત્રના અ સ્પષ્ટ કરવા જતાં વ્રુત્તિઓને વાક્રમહાણુ વ બનાવી દેતા અને એથી બિચારું સૂત્ર કર્યાંય દૂર પડયું રહેતું. પરંતુ અભયદેવે પોતાની વૃત્તિઓમાં કયાંય આવું થવા દીધું નથી અને દરેક દરેક સૂત્રને ખરાખર સ્પષ્ટ કરવા પૂરતું ધ્યાન આપેલ છે. વિવરણ કરતાં જ્યાં સવાદક પ્રમાણેાની જરૂર જણાય ત્યાં તે પૂરતા પ્રમાણમાં આપેલ છે. અનેક વાચનાઓમાંથી અમુક એક વાચનાને પ્રાધાન્ય આપી વિવરણ કરેલું છે અને સાથે વાચનાભેદો તરફ અભ્યાસીઓનું ધ્યાન પણ ખેચ્યું છે તથા જુદા જુદા પાઠમાંથી ખરાખર તુલના કરી કરીને અને પૃથક્કરણ કરીને તેમણે વિવરણ કરવા માટે પાઠે ચૂંટી કાઢવા છે અને બીજા પાઠાંતરો પણ આવશ્યકતાનુસાર નાંધી ખતાવેલાં છે. અર્થ સમજાવવા સારું પૂરા પ્રયત્ન કરતા છતાંય જ્યાં સ્પષ્ટતા થઈ શકે તેમ ન હોય ત્યાં તેમણે પૂર્વની વૃત્તિઓને ટાંકીને સ ંતાષ માન્યા છે વા પૂના વિચારભેદ્ય ટાંકી બતાવીને ખામેશી પકડી છે. આટલી બધી વૃત્તિઓમાં કોઈ એક પણ ઠેકાણે તેમણે
4]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
પોતાની કલ્પના બતાવવાનેા મુદ્લ પ્રયાસ કરેલ નથી; આ જ તેમની સરળતા, શાસનભક્તિ, સંયમિવૃત્તિ અને નિરભિમાનવૃત્તિ ભૂરિ ભૂરિ પ્રશસનીય છે.
આપણે જોઈ એ છીએ-અનુભવીએ છીએ કે વિદ્યા અને નિરભિમાનવૃત્તિ એ એના સંવાદ કચાંય ભાગ્યે જ દેખાય છે. થાડુંક લખતાં ખેલતાં કે રચતાં આવડ્યુ કે પેાતાની કલ્પનાનાં ઉડ્ડયન થયા વિના નહીં રહેવાનાં; ત્યારે આચાર્ય અભયદેવે આટલું આટલું અસાધારણ ગુન કર્યું, આટલું ધાર કઠોર તપ તપ્યું છતાં કાંય પેાતાના પાંડિત્યના પ્રદર્શન માટે એક પણ અક્ષર કાઢો નથી તેમ તે તેવું ખેલ્યા પણ નથી.એ તે પાતે ‘ અમુક આચાર્યના ચરણરજ સમાન અણુ શિષ્ય વૃત્તિ કરે છે’ એવું જ લખતા રહ્યા છે અને અભ્યાસી મહાનુભાવાને વિનવતા રહ્યા છે કે આમાં કયાંય મારી કોઈ ભૂલચૂક થઈ હોય તા જરૂર તેઓ મને ક્ષમા આપે અને બતાવવા કૃપા કરે.
'
'-ન 2:
મારી મા ઘણું! કાણુ હતા, સાધના ઓછાં, એકલે હાથે પ્રવૃત્તિ કરવી અને શરીરની ૬ળતા એધી સ્ખલને ધવાં સહજ છે, એમ તે વારવાર સૂચવ્યા કરે છે. છેવટે એ કહેવું જરૂરી છે કે અભયદેવસૂરિએ વૃત્તિએ”ન રચી હોત તે આજે આગમાના કેવા હાલ હેાત તે કહેવું મુશ્કેલ છે. વૃત્તિએ છતાંય આજે આગમા ઉપેક્ષાપાત્ર બન્યા છે તે વિના વૃત્તિ તેમના તરફ કે ધ્યાન આપત
ગુજરાતે એક અસાધારણ જ્યેાતિર્ધરને પકવીને પાતામાં સમાવી ધન્યતા અનુભવી છે એ હકીકત અભયદેવસૂરિ માટે અક્ષ ૨૫: સત્ય છે.
અભયદેવના પુરુષાર્થ સમજી આપણે એ દ્વારા પ્રેરણા મેળવીએ અને એને જ માર્ગે આગમેના ઉદ્ધાર સ ંશાધન સંપાદન અને તેમની અદ્યતન ઢબની આવૃત્તિઓને તૈયાર કરવા કરાવવામાં આપણા સઘળાં સાધન વાપરવાના સંકલ્પ કરીએ તે આ ઉત્સવ,
1:23
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
આ સંસ્થાનું સ્થાપન અને આ મહાપ્રયાસ બધુ સફળ ગણાય.
આ હકીકત તરફ સમગ્ર જૈન સ ંઘનું અને ખાસ કરીને કપડવંજના જૈનસંઘનું અને તેમાંય આ સંસ્થા માટે ધનને ભેગ આપનાર શ્રીમાન વાડીલાલભાઈ તથા તેમનાં ધાર્મિક ધર્મ પત્નીનું ધ્યાન ખેંચું છું. શિવમસ્તુ.
આ સાથે શ્રી અભયદેવસૂરિએ રચેલા ગ્રંથાનાં નામ અને તેમનું તેમણે પોતે જણાવેલું બ્લેકપરિમાણ આપી આ પ્રમ ́ધ પૂરો કરું... છું. àકપરિમાણુ જોવાથી ખખર પડશે કે તેમણે એકલે હાથે કેટલી કેટલી વિપુલ રચનાઓ કરેલી છે.
ગ્રંથનામ
રચના સમય સ્થળ શ્લાક પરિમાણ વિક્રમ સવંત
૧૧૨૦
અગસૂત્ર ૧ સ્થાનાંગવૃત્તિ ઉપરની ૨ સમવાયાંગવૃત્તિ વૃત્તિઓ:
19
૩ ભગવતીવૃત્તિ ૧૧૨૮ ૪ જ્ઞાતાસૂત્રવૃત્તિ /૧૧૨૦
3]
વિજયાદશમી
૫ ઉપાસકઢશાસૂત્રવૃત્તિ ૬ અંતકૃત દશાસૂત્રવૃત્તિ ૭ અનુત્તરૌપપાતિકસૂત્રવૃત્તિ ૮ પ્રશ્નવ્યાકરણુસૂત્રવૃત્તિ ૯ વિપાકસૂત્રવૃત્તિ
પ્રથમ ઉપાં ૧૦ વવાઈયસૂત્રવૃત્તિ
ગની વૃત્તિ: ૧૧ પ્રજ્ઞાપનાતૃતીયપદસંગ્રહણી
શ્રીહરિ
સ્તોત્ર ૧૩ જયતિહુઅણુસ્તાત્ર
પાટણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
99
77
..
૧૪૨૫૦
૦૩૫૭૫
૧૮૬૧૨
૦૩૮૦૦
૦૦૯૧૨
૦૦૮૯૯
ભદ્રકૃત ગ્રંથ: ૧૨ પોંચાશકસૂત્રવૃત્તિ ૧૧૨૪ Àળકા, ત્યાંના ધનપતિ
અકુલ અને નંદિક શેઠના ઘરમાં રહીને બનાવી
થાંભણા
૦૦૧૯૨
૪૬૦૦
૯૦૦
૦૩૧૨૫
૦૦૧૩૩
૦૭૪૮૦
૦૦૦૩૦
૫૮૪૧૨
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
પરચૂરણ: ૧૪ પંચનિર્ગથી
૧૫ ષષ્ઠકર્મગ્રંથસણતિકાભાષ્ય
આ રીતે શ્રી અભયદેવસૂરિજીએ એકલે હાથે આશરે બધા થઈ ને સાઠ હજાર લેક રચ્યા છે. કપડવંજ
જે નગરમાં આ ઉત્સવ ઉજવાય છે તે નગર કપડવંજ પણ કાંઈ આજકાલનું નથી. કપડવંજનું નામ શાસ્ત્રના પાના ઉપર ચડી ચૂકયું છે, અને અહીંનાં વતની શ્રાવક-શ્રાવિકાઓની ધર્મપ્રીતિનું વર્ણન પણ જૈનગ્રંથમાં મળે છે.
આચાર્ય ૩૮ગુણચન્દ્ર સંવત ૧૧૩૯માં પોતે બનાવેલા મહાવીરચરિત્રની પ્રશસ્તિમાં કર્પટવાણિજ્યપુરને જે ઉલ્લેખ કરેલ છે તે જ આ કપડવંજ નગર છે.
ગુણચંદ્રસૂરિ લખે છે કે કપડવંજના વતની વાયડકુલના ગોવર્ધન શેઠ અને તેમનું વિપુલ કુટુંબ ભારે ધર્મપ્રિય હતું. તેમનામાં જૈનધર્મ પ્રતિ અસાધારણ ભકિતભાવ હતું. તેમણે બાવન જિનાલયનું ભવ્ય મંદિર આ શહેરમાં જણાવ્યું હતું એ વગેરે વગેરે વર્ણન કરીને શ્રીગુણચંદ્રસૂરિ આપણુ ધર્મનાયક શ્રીઅભયદેવસૂરિ તથા તેમના ગુરુ શ્રીજિનેશ્વરસૂરિ અને શ્રીબુદ્ધિસાગરસૂરિનાં નામે પણ બહુ સદ્ભાવ સાથે નેધે છે. અને છેલ્લે તેઓ જણાવે છે કે અભયદેવસૂરિના શિષ્ય પ્રસન્નચંદ્રસૂરિની ખાસ પ્રેરણું મળવાથી આ મહાવીરચરિત્ર કપડવંજમાં પૂરું બનાવી શકાયું છે. આ તે કપડવંજની પ્રાચીન જાહોજલાલી થઈ.
વર્તમાનમાં પણ જે શહેર આગમના અનન્ય ઉપાસક આનંદસાગરસૂરિજી તથા એવા જ આગમપ્રેમી શ્રી પુણ્યવિજયજી વગેરે મુનિઓનાં જન્મસ્થાનરૂપ છે અને સમતાવંત સાધ્વીજી શ્રીરતનશ્રીજી (પુણ્યવિજયજીનાં માતાજી) વગેરે અનેક સુશીલ સાધ્વીઓનાં જન્મ૩૮ જુઓ વીઝિરિયની પ્રશસ્તિ - ૬૪ થી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
સ્થાનરૂપ છે તથા જે શહેરમાં ધમ ભાવનાવ ́ત સુશ્રાવકે વાસ કરી રહ્યા છે તે શહેરમાં સ્થાપવામાં આવતી અભયદેવસૂરિ જ્ઞાનમંદિરની સંસ્થા આપણા શ્રમણુસંઘમાં, શ્રમણીસંઘમાં, શ્રાવકસંઘમાં અને શ્રાવિકાસ ઘમાં જ્ઞાનના પ્રકાશ ફેલાવા અને સમસ્ત ગુજરાતની જનતાનું કલ્યાણુ મંગળ થાય એવી સક્રિયકરી પ્રવૃત્તિ દિન પ્રતિદિન કરતી રહેા !
શિવમસ્તુ સર્વાંગત:।
૨૦]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકનું નિવેદન
મારી અભિલાષા
મારામાં રહેલી અનેક ત્રુટીઓને અને તેને હઠાવવા જોઈતા યોગ્ય પુરુષાર્થની જ્યારથી મને મારામાં હરેક પળે ખામી દેખાવા લાગી ત્યારથી જેમ ઘોડાને કાબૂમાં રાખવા માટે એક લગામની અને એક ચાબૂકની જરૂર છે તેમ મારા બિનકાબુ મનને (અને તેના વડે કરી આત્માને) આમતેમ રવડી જતું બંધ કરવા કોઈ પણ ઉપાય જવો જોઈએ. તેમ લાગતું હતું, જેથી આમ થવાનાં કારણે શેધી તેની દવા કરવાની કંઈ સૂઝ પડે. આત્માને શું શું આવરણે લાગેલાં છે, કેવા પ્રમાણમાં તેને રંગ આત્મા ઉપર લગાડેલો છે, તે બધું જાણ્યા વિના એટલે કે શત્રુને અને તેના સ્વરૂપને ઓળખ્યા વિના આવા જબરજસ્ત આત્મશત્રુ ઉપર લગામ કેમ ચઢાવવી તે વિચાર હરહમેશ રહ્યાં કરતે. જવાબ એક જ મળતા કે જ્ઞાન કરવા આ બાબત તારે ઊંડા ઊતરવું જોઈએ.
વ્યવસાયમાં લાગેલે હું ઊંમરે પાકટ થતે જ, ક્યારે કાળ ભરખી જશે તેની ખબર નથી, એવી જરાતરા લાગણું થવાથી હું જરા ચેત્યે અને તેના હિસાબે મને કર્મગ્રન્થ ભણવાની અભિલાષા થઈ અને આસ્તે આતે એક સારી અને ધર્મના અંદરના મર્મ સમજાવી શકે તેવી પાઠશાળાની જોગવાઈની જરૂર લાગી.
આજકાલ ભણતર, મર્મ વિનાસમજે, માત્ર મેટે ભાગે પોપટીઆ જ્ઞાનરૂષ અપાયું જાય છે. આમાં સુધારો કરવાનો અને થવાનો ઘણે અવકાશ છે. પણ વ્યવસ્થા અને તેને માટે જોઈતાં નાણાંની તંગી અને વિશેષમાં મોટે ભાગે આવા સંસારી માયાથી વિહોણા બનાવે તેવા જ્ઞાનની અંદર ન છૂટકે પૈસા આપવાની લાગણી હેવાથી પાઠશાળાઓ ઘણી પાંગળી ચાલે છે. | મારા ગામમાં આવેલી એક પાઠશાળા જે શેઠ મણિભાઈ સામળભાઈના નામથી ચાલે છે, તેને જે પગભર કરવામાં આવે અને તેને સ્થાયી બેસવા માટે મકાનની પણ જોગવાઈ કરવામાં આવે તે આ દિશામાં કંઈ સક્રિય પગલું ભરાય અને તેમ થાય તે મારા ઉપર લગામ લગાવવાની જોગવાઈ થઈ કહેવાય અને લગામ આવતાં મનને આજુબાજુથી ખેંચી થોડા ઘણા પ્રમાણમાં પણ આ બાજુ વાળે અને ઉંમરે પહોચેલે અને શરીરથી થાકી ગયેલે મારે જીવ આ તરફ સહેજે વળી શકે, તે વિચારથી મારી પાસે જે
[૨૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
કંઈ ધન હાય તેમાંથી ઘેાડુ' ધણુ' પણ આ રસ્તે ખરચી મારા આત્માને સદૃસ્તે વાળવા પ્રયત્ન કરવા તેવા વિચારા મારા મનમાં સતત ચાલતા હતા, તેવામાં સ્વ. ભાઈશ્રી ચીમનભાઈ એ શ્રી. નવપદજીની આયખીલની ઓળી કરાવી અને ધણા પ્રભાવક આચાર્યો અને સાધુ મુનિરાજો અત્રે કપડવણજ આવી તે સમયે કપડવણજ શોભાવ્યું.
એ વખતે મને સાધુએ પાસેના પુસ્તક સંગ્રહ માટેની જરૂરીઆત અને જરૂરીઆતના લીધે સંગ્રહ, સંગ્રહના લીધે માવજત અને છેલ્લે તેને સહીસલામત અને વખતસર ઉપયેાગી બની શકે તેવી રીતે રાખી મૂકવાની જોગવાઈ, એની પણ મટી આવશ્યકતા છે તેમ મને લાગ્યું,
રાતે તે જ વિચારે મને એક જ્ઞાનદિરની જરૂરીઆત છે તેમ સમજાયું. આથી મે પાઠશાળા અને જ્ઞાનમ ંદિર માટે સાથે જોગવાઈ કરવી તે નક્કી કર્યુ”, અને મે તેને માટે રકમ જુદી મૂકવા નિર્ણય કરી ટ્રસ્ટ બનાવ્યું.
રકમ ઘણી ઓછી હાવાથી જમીન અને મકાન બેઉની જોગવાઈ માટે પૂરતી તેા ન હતી, એટલે જમીન સસ્તે મેળવવા વખત કાઢવા પડયોઃ પણ તે દરમિયાન કેટલીક રકમનુ વ્યાજ સારા જેવું તેમાંથી મળ્યું. આ જમીન ૯૯ વરસના પટેથી મળતાં અને બધી મળી પચાસ હજારની રકમ ખચી શકાય તેમ છે તેમ માલુમ પડવાથી, મકાનનું કામ શરૂ કરી દીધું.
મને જરૂર કાઈ શાસનદેવતાની સહાય હાવી જોઈ એ, તેમ હુ ંમેશાં લાગ્યા કરે છે. નહિ તો આ જ્ઞાનમંદિર માટે પમ મહાજ્ઞાની અને નવાંગીના ટીકાકાર ૧૦૦૮ શ્રી અભયદેવસૂરીશ્વરજીનુ નામ રાખવાનુ મને કયાંથી સૂઝે ? બીજા કાઈ ને પૂછીને કે ખીજા કાઈના કહેવાથી મેં નામ રાખ્યું નથી. મને શંકા એટલા જ માટે થાય છે કે મે કંઈ તેમના માટે વાંચ્યું નથી કે સાંભળ્યું પણ નથી માત્ર અમારા કપડવણજમાં તેમણે પાછ્યા દિવસે ગાળી અત્રે જ કાળધર્મ પામ્યા, તે તેમનાં પગલાં હાવાથી જાણતા હતા.
મને શ્રદ્ધા છે કે જે શાસનદેવે મને આવી સહાય કરી છે તેજ તુવે પછી પણ મને આ મકાનને “ જ્ઞાનની પર્મ ” કે જે મારી મોટામાં મેટી અભિલાષા છે તે બનાવી દેવામાં સહાય કરશે જ અને અનેકાને તેમના પૈસાને વ્યય આ તરફ વાળવા પ્રેરણા આપશે.
કપડવણજ
૨]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
લી. સધસેવક.
વા. મ. પારેખ
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________ શll alchbllo Sllebro したと કે રિqu મુદ્રક: ગોવિદલાલ જગશીભાઈ શાહ 22 દી મુ દ્ર ણા લ ચ પાનકાર નાકા : અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com