Book Title: Mahaprajana Vani
Author(s): Mahapragna Acharya, Shubhkaran Surana
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 168
________________ છે. લોકોના જીવનને નિકટથી જોવાની તક મળે છે. બે-ત્રણ દિવસ અગાઉ જ મેં કહ્યું, ‘ભારતમાં બહુ મોટી સંખ્યામાં લોકો ભૂખની સમસ્યાથી પીડાય છે.' એ વખતે એક વ્યક્તિએ કહ્યું, ‘પહેલાં કરતાં સ્થિતિ ઘણી સુધરી છે.' આ સ્થિતિ સુધરી છે એવી આપણી સમજ, ખરેખર તો ગેરસમજ છે. દિલ્હી જેવા શહેરના મજૂરો અને શ્રમિકોની સ્થિતિ સુધરી હોઈ શકે. ઝૂંપડપટ્ટીઓ પર ટી.વી.ના એન્ટેના જોઈને આપણને એમ લાગે કે લોકો હવે સુખી થઈ ગયા છે પણ આ એક ભ્રમ છે, છળ છે. એમ સમજીને જાતને છેતરવાની વાત છે. ગરીબી બહુ મોટી સમસ્યા છે. ટી.વી. એન્ટેના સુખશાંતિનું પ્રતીક નથી. ટી.વી. હોય એ ઘર કે ઝૂંપડીમાં સાધન-સંપન્ન લોકો રહે છે એમ માનવાનું કોઈ કારણ નથી. અમે ત્રણ-ચાર પ્રાંતોની યાત્રા કરીને આવ્યા છીએ. લોકોનાં દુઃખ-સુખની વાત એમના મુખેથી સાંભળી છે. લોકોની પીડા શબ્દોમાં વ્યક્ત થાય એવી નથી. એમની હાલત પશુઓથી પણ બદતર છે. ગાંધીજીએ સાચું જ કહ્યું હતું કે સાચું ભણતર ગામડાંઓમાં વસે છે. ગામડું ભારતનું હૃદય છે. જો ગામ આબાદ થશે તો દેશ આબાદ થશે. આચાર્ય તુલસીએ હજારો કિલોમીટરની પદયાત્રા કરી હતી. ગામેગામ ફરીને દેશની સ્થિતિ વિષે તેઓ માહિતગાર થતા હતા. દેશની સાચી સ્થિતિ તેઓ મેળવતા હતા. તેમણે આદર્શ ગ્રામ માટે ચાર સૂત્રો આપ્યાં હતાં. ૧. એવું ગામ - જ્યાં કોઈ ભૂખ્યા પેટે સૂવે નહિ. ૨. એવું ગામ – જ્યાં કોઈએ ખુલ્લા આસમાન નીચે સૂવું પડે. ૩. એવું ગામ - જે ચિકિત્સાથી વંચિત ન હોય. ૪. એવું ગામ - જે વ્યસનમુક્ત હોય, ભયમુક્ત હોય. આવા ગામની આજે ખૂબ જરૂર છે. આટલી લાંબી યાત્રા પછી મારી એવી ધારણા દૃઢ થતી જાય કે મોટા ભાગની સમસ્યા મોટા લોકો દ્વારા જ ઉદ્ભવે છે. લોકો કહે છે, ગરીબી સહુથી મોટી સમસ્યા છે. હું કહું છું કે અમીરી એથી પણ મોટી સમસ્યા છે. અમીરી એ ઘણી મોટી સમસ્યાઓ જન્માવી છે. આ સંદર્ભમાં હું ઘણી વખત એક પ્રસંગનો ઉલ્લેખ કરું છું. આચાર્ય તુલસીનું સ્મરણ Jain Education International For Private & Personal Use Only ૧૬૭ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198