Book Title: Mahaprajana Vani
Author(s): Mahapragna Acharya, Shubhkaran Surana
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 167
________________ ૧૬૬ Jain Education International ૧૯ આચાર્ય તુલસીનું સ્મરણ કાર્યક્રમ અહિંસાનો ચાલી રહ્યો છે અને હું જોઈ રહ્યો છું કે સર્વાધિક હિંસા આપણી સામે જ થઈ રહી છે. સેંકડો લોકો બહાર તડકામાં ઊભા છે. આપણે કદાચ બધાનું દુ:ખ દૂર કરી શકતા નથી. પણ જે શક્ય છે તે પણ ન કરીએ તો મોટી સમસ્યા થાય. આચાર્ય તુલસીજી વિષે હમણાં ઘણું કહેવાયું. હું એ વ્યક્તિને જ વધારે મહત્ત્વ આપું જે યુગદષ્ટા હોય. યુગદૃષ્ટા એટલે પોતાના યુગની સમસ્યાઓને જાણે છે અને તેના નિદાન માટે પ્રયત્ન કરે છે. આચાર્ય તુલસીનું સમગ્ર જીવન પોતાના સમયની સમસ્યાઓ સમજવામાં અને તેના ઉકેલમાં પસાર થયું. તેમના આ પ્રયત્નો પાછળ તેમની સામાજિક પ્રતિબદ્ધતા હતી. તેમને ઘણી સફળતા પણ મળી. તેઓ સામાન્ય માણસની પીડા જાણતા હતા. જનસામાન્યની સમસ્યાઓ તેઓ ઉકેલી શકતા હતા કારણ કે જનસંપર્ક સઘન હતો. તેમણે ટ્રેન કે હવાઈ જહાજ કે મોટરકારમાં યાત્રા નહોતી કરી. જીવનભર લાખો કિ.મી.ની પદયાત્રા દ્વારા તેઓ લોકો સાથે ગાઢ સંપર્કમાં હતા. તેમને લોકોના જીવનસંઘર્ષનો પૂરો પરિચય હતો. લોકોની વચ્ચે તેઓ જીવ્યા. અમે લોકો એક ગામથી બીજા ગામની સફર કરીએ છીએ. ગામેગામની આ પદયાત્રા અમને એમની નિકટ લાવે મહાપ્રજ્ઞ વાણી - ૬ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198