Book Title: Mahaprajana Vani
Author(s): Mahapragna Acharya, Shubhkaran Surana
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 186
________________ શ્રાવક-શ્રાવિકાઓ આ વાત હંમેશા દોહરાવતા કે પાણી ઘીની જેમ વાપરો. આટલું અત્યારના સમયમાં દરેકને સમજાઈ જાય તો પછી જરા પણ વાંધો ન આવે. જેમ જેમ વસ્તી વધતી જાય છે તેમ તેમ પાણીનો વ્યય વધતો જાય છે. જૂના જમાનાની વાતો હવે કપોલકલ્પિત જેવી લાગે છે. પહેલાં એક લોટા પાણીમાં માણસ સ્નાન કરી લેતો હતો. આજે તો એક લોટા પાણીમાં માણસ પોતાનું મોં પણ ધોઈ શકતો નથી. આ બધા સંદર્ભોથી વિચારીએ તો સમજાશે કે સંયમ મૂલ્યવાન છે. લોકો ઉપવાસ કરે છે. ઉપવાસ પણ એવી ભાવનાથી થવો જોઈએ કે હું આજે સંયમ કરું છું. જમતો નથી એટલું જ નહિ પણ એની પાછળ એક સંકલ્પ હોય, એક ભાવના હોય કે હું આજે અન્ન ન લઈને તેનો સંયમ કરી રહ્યો છું. મારા ભાગનું અન્ન અન્યના માટે ફાળવી રહ્યો છું. આવી ભાવના હોય તો ઉપવાસ ધર્મ ગણાય. એક ગામમાં હજાર માણસ હોય તો એ ગામમાં પેદા થયેલું અન્ન પણ હજાર માણસ માટેનું ગણાય જેને ત્યાં પાક થયો છે એનું જ નહિ. આજે તો સ્થિતિ એવી છે કે જેની પાસે પૈસા છે એનું જ બધું ગણાય. સંયમ દ્વારા આ સમસ્યાઓનું સમાધાન શક્ય છે. સંયમ ધર્મ છે. અને એ અર્થમાં જ ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. ધર્મના ત્રણ લક્ષણ છે. ૧. અહિંસા લક્ષણો ધર્મઃ ૨. સંયમ લક્ષણઃ અને ૩. તપો લક્ષણઃ - અહિંસા, સંયમ અને તપ આ ત્રણ ધર્મલક્ષણ જ ધર્મને મહામંગલકારી બનાવી શકે છે. સર્વ મંગલને નષ્ટ કરે છે હિંસા. અહિંસા મહામંગલકારી છે. કલ્યાણકારક છે. ‘અહિંસા સવ્વભૂયખેમંકરી' અહિંસાયાત્રાના પ્રતીક ચિહ્નમાં આ વાક્ય લખેલું છે. સહુને માટે કલ્યાણકારી છે તે સર્વોત્તમ છે. અહિંસા એ અર્થમાં મહામંગલકારી અને કલ્યાણકારી છે. અહિંસા બધા જીવોનું કલ્યાણ કરે છે. એક માણસે સાધુની હત્યા કરી. તેની સહુએ નિંદા કરી અને સાધુનો હત્યારો કહ્યો. એક માણસે કહ્યું, ‘આ માણસ માત્ર સાધુનો જ હત્યારો નથી, પ્રાણીમાત્રનો હત્યારો છે.’ લોકોએ કહ્યું, ‘એ કઈ રીતે ? એણે જવાબ આપ્યો.’ ‘જે સાધુ પ્રાણીમાત્રને અભય પ્રદાન કરતા ધર્મઃ ઉત્કૃષ્ટ મંગલ ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198