Book Title: Mahaprajana Vani
Author(s): Mahapragna Acharya, Shubhkaran Surana
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 182
________________ કાર્યક્રમની મહત્તાને જોઈ અમે દિલ્હી આવવાનો નિર્ણય કર્યો. અમે દિલ્હી આવ્યા અને આપે સ્વાગત કર્યું. હજારો લોકો સાથે ચાલ્યા, કોઈએ તાપ સહેવો નથી પડ્યો, કોઈને પરસેવો થયો નથી. પ્રકૃતિએ પણ આ રીતે સ્વાગત કર્યું એટલે સહુથી પહેલા તો પ્રકૃતિને સાધુવાદ. હમણાં દિલ્હીની જનતા તરફથી અભિનંદનપત્ર ભેટ થયો. મને યાદ છે આ મંચ પર આચાર્ય તુલસી પધાર્યા હતા. એમનું સ્વાગત થઈ રહ્યું હતું. સ્વાગતની વચ્ચે આચાર્યશ્રીએ કહ્યું, “આપ લોકો મારું સ્વાગત કરી રહ્યા છો. નૈતિકતાના યોગદાનમાં અણુવ્રત આંદોલનની પ્રશંસા કરી રહ્યા છો. આ પ્રશંસાને અમે સાચવીએ ક્યાં? આ પ્રશંસા સાચવવાની અમારી પાસે જગ્યા નથી એટલે હું કહું છું કે આપ મારા પ્રશંસક નહીં, સમર્થક નહીં, મારા કાર્યમાં સહભાગી બનો. પ્રયત્ન કરો. આપના પ્રયત્નોથી જ અમે આ કામને આગળ વધારી શકીશું. અગર આપણો પ્રયત્ન સામૂહિક નહીં હોય તો આપણે આગળ વધી નહીં શકીએ.' હું માનું છું કે આજે ઊંચા આસને બેઠેલા માણસોથી લઈને નીચેના સ્તરના માણસો - બંને સાથે મળીને સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયત્ન કરે તો સમાધાનની દિશામાં કંઈ થઈ શકે, અન્યથા સંભવ નથી, મેં એક-બે વખત નહીં, અનેક વખત કહ્યું છે કે આજની સમસ્યા એટલી જટિલ છે કે માત્ર સરકાર દ્વારા જ ઉકેલાય એવી નથી. આ સમસ્યા માત્ર ધનવાન અને બૌદ્ધિક વર્ગ પણ ઉકેલી ન શકે. માત્ર ધર્મગુરુઓ પણ નહિ ઉકેલી શકે. આ સમસ્યાના સમાધાન માટે સહુને સહભાગી બનાવવા અને દિલ્હી આવ્યા છીએ. મારી ભાવના છે કે આ કાર્યમાં બધા લોકો ભાગીદાર અને સહયોગી બને. સહુને સહભાગી બનાવવા અમે દિલ્હી આવ્યા છીએ. આગામી ૩૦મી જૂનના રોજ ક્યુરેકના અપેક્સ બોડીની મીટિંગ છે. એમાં દેશના ઘણા ધર્મગુરુ ભાગ લેશે. બધા સંપ્રદાયોનું એમાં પ્રતિનિધિત્વ રહેશે. હિંસાની સમસ્યાના સમાધાનમાં સહુનું સામૂહિક ચિંતન થશે. આપ સર્વ આ કાર્યમાં આપની શક્તિનું નિયોજન કરો, સહભાગી બનો. ૨૭ જૂન, દિલ્હી અધ્યાત્મ સાધતા કેન્દ્ર (મહરૌલી) દિલ્હી પ્રવાસનો ઉદ્દેશ ૧૮૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198