Book Title: Mahaprajana Vani
Author(s): Mahapragna Acharya, Shubhkaran Surana
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 180
________________ હું ઘણી વખત કહું છું અને આજે પણ અહીં જે કહી રહ્યો છું તે કદાચ મોટા માણસોને નહિ ગમે. કડવું લાગશે. મેં ગરીબીની વિભીષિકાની બાબતમાં અમુક લોકો સાથે વાત કરી તો મને એવું કહેવામાં આવ્યું કે, “હવે પરિસ્થિતિ ઘણી સુધરી છે. સાવ પહેલાં જેવું નથી. ઘણો ફરક પડ્યો છે.” - મને તો કોઈ ફરક દેખાતો નથી. ગરીબોની ઝૂંપડીમાં ટી.વી. એન્ટેના જોઈને તેમનું જીવનધોરણ ઊંચું આવી ગયું છે એમ માનવાની-સમજવાની જરૂર નથી. શહેરની ઝૂંપડપટ્ટીમાં રહેનારાની ગરીબી પણ જુદા પ્રકારની છે. શહેરમાં નોકરી-ધંધો હોવાના કારણે તેઓને કદાચ ભૂખનું દુઃખ નથી. તેમની સાવ જુદી સમસ્યાઓ છે. મોટાં શહેરોમાં આવાસની સમસ્યાના કારણે જ તેઓ ઝૂંપડીમાં રહે છે. હું એવા લોકોની વાત કરી રહ્યો છું જેઓ નિતાંત ઉપેક્ષિત છે, જેમની પાસે જમીનનો એક ટુકડો પણ નથી. બિહારના પછાત વિસ્તારોમાં પ્રજાનો એક મોટો સમૂહ છે જે નરકની જિંદગી જીવે છે. ગામડાંના અસંખ્ય ખેતમજૂરો એવા છે જે લોકો પેઢીઓથી પચાસ-સો રૂપિયાનું દેવું ચૂકવે છે. ગરીબી અને ભૂખમરો પ્રતિક્રિયાત્મક હિંસાને જન્મ આપે છે. માનવજીવનના બે પક્ષ છે – એક ભૌતિક પક્ષ અને બીજો આધ્યાત્મિક પક્ષ. જૈવિક અને શારીરિક પક્ષ ભૌતિક પણ છે. ભાવાત્મક પક્ષ આધ્યાત્મિક પક્ષ છે. આધ્યાત્મિક પક્ષની બાબતમાં આજકાલ વધુ ધ્યાન અપાઈ રહ્યું છે. જેટલા ધર્મ છે, ધાર્મિક લોકો છે એ સર્વ આધ્યાત્મિકતામાં વધારે રસ લેવા લાગ્યા છે પણ ભૂખ્યો માણસ ધ્યાન કઈ રીતે કરે? જેમની પળેપળ રોટીની ચિંતામાં વીતી રહી છે, એ ધ્યાન ક્યારે અને કઈ રીતે કરશે? ગરીબ માણસની પાસે ધ્યાન, સ્વાધ્યાય આદિની વાત કરવી એ પણ એક પ્રકારની ક્રૂરતા છે. જ્યાં સુધી સામાજિક વિષમતા અને વૈષમ્યના અંતરને ઓછું ન કરી શકાય, સામાજિક સૌહાર્દની વાત માત્ર શાબ્દિક વાત જ રહી જશે. અમારી સાથે ચાલનારા ઘણી વખત “અહિંસા પરમો ધર્મ'નો નારો લગાવે છે એ મને ઠીક લાગતું નથી. મેં ઘણી વખત કાર્યકર્તાઓને કહ્યું કે હવે આ નારો બંધ કરો. દિલ્હી પ્રવાસનો ઉદ્દેશ ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198