Book Title: Mahaprajana Vani
Author(s): Mahapragna Acharya, Shubhkaran Surana
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 173
________________ ડૉ. મનચંદા મારી સામે બેઠા છે. તેઓ એમ્સના સુપ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ છે. એમણે કલ્પના કરી હતી કે જે રીતે ચિકિત્સામાં ફિઝિયોથેરપી કામ કરે છે એ જ રીતે ચિકિત્સાના ક્ષેત્રમાં પ્રેક્ષાથેરપીને ઉપયોગી બનાવી શકાય. આ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને હવે એને આગળ વધારવાની જવાબદારી સુરેશજી અને નરેશજીની છે. ગુજરાત રાજ્યની જેલોમાં આપણા પ્રશિક્ષકોએ કેદીઓને પ્રેક્ષાધ્યાનનું પ્રશિક્ષણ આપ્યું. એનું સારું પરિણામ એ આવ્યું કે ગુજરાતની જેલોમાં પ્રેક્ષાધ્યાનનું પ્રશિક્ષણ નિયમિત આપવામાં આવે છે. થોડા દિવસ અગાઉ અજમેરમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસદળના જવાનો વચ્ચે શિબિર થયો. હવે નસીરાબાદ અને બીજા શહેરોમાંથી પણ અહિંસા પ્રશિક્ષણની વાત અનિવાર્ય સમજીને પ્રશિક્ષણની માંગ થાય છે. અહિંસા પ્રશિક્ષણની આવી વ્યાપક માંગણી અને જરૂરિયાત અને પૂરી કરી શકીએ અને સમસ્યાગ્રસ્ત માણસને સમસ્યામુક્ત કરવામાં કાંઈ યોગદાન આપી શકીએ તો સમાજઉત્થાનની દિશામાં ઉલ્લેખનીય પ્રદાન ગણાય. નૈતિકતાનું પ્રશિક્ષણ, અહિંસાનું પ્રશિક્ષણ અને રોજગારનું પ્રશિક્ષણઆનો સંકલ્પ કરીએ અને ત્રિઆયામી કાર્યક્રમ થાય તો આચાર્ય તુલસીની સ્મૃતિ સાર્થક થશે. આપણા યુગની સમસ્યાઓ જુદી છે. આ સમસ્યાને સમજવા નૂતન દર્શનની ખોટ હતી. આચાર્ય તુલસીજીએ એ દર્શન આપણને આપ્યું. સમાજની સમસ્યાની તેમણે નાડ પારખી હતી. તુલસીજીએ દર્શાવેલ ઉપાયો થકી જ આપણે ગરીબો, શોષિતો, પીડિતોની પીડા સુધી પહોંચવાનું છે. વંચિતોની આ વ્યથાને આપણે દૂર કરવાની છે. આજે ધનકેન્દ્રી, ભોગવાદી વિચારસરણી અને જીવનશૈલીએ અમીરો અને ગરીબો વચ્ચે અંતર વધાર્યું છે. આર્થિક વિષમતા ખૂબ જોખમી છે. આર્થિક અસમાનતા ભવિષ્યમાં બહુ મોટા સંઘર્ષમાં પરિણમવાની સંભાવના છે. પાણી પહેલાં પાળ બાંધવી જરૂરી છે. આચાર્ય તુલસીની સ્મૃતિ ત્યારે જ સાચા અર્થમાં સાર્થક ગણાય જ્યારે આપણે એક પવિત્ર સંકલ્પ સાથે દઢ નિશ્ચય કરીએ. ૨૪ જૂન, હેરિટેજ સ્કૂલ, (ગુડગાંવ) મહાપ્રજ્ઞ વાણી -૬ ૧૭૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198