Book Title: Logassasutra Swadhyay
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Shrutratnakar Ahmedabad

View full book text
Previous | Next

Page 131
________________ લોગસ્સસૂત્ર સ્વાધ્યાય (૭)–૬. લોગસ્સ સૂત્રનાં પદો, સંપદા તથા અક્ષરો લોગસ્સ સૂત્ર ૧ શ્લોક તથા ૬ ગાથાના માનવાળું છે. તેમાં ૨૮ પદોમાં, ૨૮ સંપદા છે? અને અક્ષરો ૨૫૬ છે. તે નીચે મુજબ છે :– પ્રથમ શ્લોકમાં બીજી ગાથામાં ત્રીજી ગાથામાં ચોથી ગાથામાં પાંચમી ગાથામાં છઠ્ઠી ગાથામાં સાત્મી ગાથામાં ૪૧ ૩૭ ૨૫૬ એક મત એવો છે કે જે લોગસ્સ સૂત્રના ૨૬૦ અક્ષરો છે એમ જણાવે છે. પરંતુ તે મત દેવવંદનની વિધિમાં પ્રથમ સ્તુતિ બાદ લોગસ્સ સૂત્ર બોલાયા પછી બોલાતા “સબૂલોએ અરિહંતઈયાણ' સૂત્રના “સબૂલોએ એ ચાર અક્ષરોની ગણતરી લોગસ્સ સૂત્ર ભેગી કરે છે? અને તેથી તે ગણતરી મુજબ ૨૬૦ અક્ષરો વાજબી ઠરે છે. જિનસ્તવ-ભાવમંગલ - “હે ભગવન્! સ્તવ અને સ્તુતિરૂપ ભાવમંગલથી જીવ ક્યા લાભને પ્રાપ્ત કરે છે ?" એવા પ્રશ્નના ઉત્તરમાં ભગવાન જણાવે છે કે – હે ગૌતમ ! સ્તવ અને સ્તુતિરૂપ ભાવ મંગલથી જીવ જ્ઞાનબોધિ, દર્શનબોધિ અને ચારિત્રબોધિના લાભને પ્રાપ્ત કરે છે અને તે રીતે જ્ઞાનબોધિ, દર્શનબોધિ અને ચારિત્રબોધિનો લાભ થતાં તે જીવ કલ્પવિમાનમાં ઉત્પન્ન થવા પૂર્વક મોક્ષમાં જાય છે. (૭)–૮. કાયોત્સર્ગ આદિના સમયમાં (લોગસ્સસૂત્રનું) સ્મરણ કાયોત્સર્ગ આદિના અને અસ્વાધ્યાયાદિના સમયમાં જયારે વાચિક પરાવર્તન ન થઈ શકે ત્યારે અનુપ્રેક્ષાથી જ શ્રુતની સ્મૃતિ વગેરે થાય છે. પરાવર્તનાથી સ્મૃતિનું વધારે ફળ છે. મન શૂન્ય ૨. નામથયારૂનું સંય, સમ.......... –દે. ભા. પૃ. ૩૨૦ 3. तत्र द्वे शते षष्ठ्यधिके नामस्तवदण्डके –દે. ભા. પૃ. ૩૨૦ सव्वलोए इत्यक्षरचतुष्कप्रक्षेपात् –દે. ભા. પૃ. ૩૨૦ थयथुइमंगलेणं भंते ! जीवे किं जणेइ ?, नाणदंसणचरित्तबोहिलाभं संजणइ, नाणदंसणचरित्तबोहिलाभसंपन्नेणं जीवे अंतकिरियं कप्पविमाणोववत्तियं आराहणं आराहेइ ॥१४॥ –ઉત્તરાયણસૂત્રબૃહવૃત્તિ, ૨૯મું અધ્યયન, ૫. ૫૭૪ આ. Jain Education International For Private & Personal Use'Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182