Book Title: Klesh Vina nu Jivan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 58
________________ ક્લેશ વિનાનું જીવન ૧૦૫ ૧૦૬ ક્લેશ વિનાનું જીવન કે બે કલાક પછી ફરી બોલવાનું છે, એટલે એની કચકચ ના કરીએ. આ તો તમારે અભિપ્રાય ફરી બદલવાનો ના હોય તો જુદી વાત છે. અભિપ્રાય આપણો બદલાય નહીં તો આપણું કરેલું ખરું છે. ફરી જો ‘વાઇફ' જોડે બેસવાના જ ના હો તો ઝઘડ્યા એ ખરું છે. પણ આ તો આવતી કાલે ફરી જોડે બેસીને જમવાના છે. તો પછી કાલે નાટક કર્યું તેનું શું ? એ વિચાર કરવો પડે ને ? આ લોકો તલ શેકી શેકીને વાવે છે તેથી બધી મહેનત નકામી જાય છે ઝઘડા થતા હોય ત્યારે લક્ષમાં હોવું જોઇએ કે આ કર્મો નાચ નચાવે છે. પછી એ ‘ના’નો જ્ઞાનપૂર્વક ઉકેલ લાવવો જોઇએ. પ્રશ્નકર્તા : દાદા, આ તો ઝઘડા કરનાર બન્ને જણાએ સમજવું જોઇએ ને ? દાદાશ્રી : ના આ તો ‘સબ સબ કી સમાલો.” આપણે સુધરીએ તો સામેવાળો સુધરે. આ તો વિચારણા છે, ને ઘડી પછી જોડે બેસવાનું છે તો પછી કકળાટ શાને ? શાદી કરી છે તો કકળાટ શાને ? તમારે ગઇકાલનું ભુલાઇ ગયું હોય ને અમને તો બધી જ વસ્તુ ‘જ્ઞાન'માં હાજર હોય. જો કે આ તો સવિચારણા છે તે “જ્ઞાન” ના હોય તેને પણ કામ આવે. આ અજ્ઞાનથી માને છે કે એ ચઢી વાગશે. કોઇ અમને પૂછે તો અમે કહીએ કે, ‘તું ય ભમરડો ને એ ય ભમરડો તે શી રીતે ચઢી વાગશે ? એ કંઈ એના તાબામાં છે ?” તે એ ‘વ્યવસ્થિત’ના તાબામાં છે. અને વાઇફ ચઢીને ક્યાં ઉપર બેસવાની છે ? તમે જરા નમતું આપો એટલે એ બિચારીના મનમાં ય ઓરિયો પૂરો થાય કે હવે ધણી મારા કાબૂમાં છે ! એટલે સંતોષ થાય એને.. શંકા, એ ય વઢવાડતું કારણ ! ઘરમાં મોટા ભાગની વઢવાડો અત્યારે શંકાથી ઊભી થઈ જાય છે આ કેવું છે કે શંકાથી સ્પંદનો ઊંડે ને એ સ્પંદનોના ભડકા જાગે. અને જો નિઃશંક થાય ને તો ભડકા એની મેળે શમી જાય. ધણી-ધણિયાણી બેઉ શંકાવાળાં થાય તો પછી ભડકા શી રીતે શમે ? એકને તો નિઃશંક થયે જ છૂટકો. માબાપની વઢવાડોથી બાળકોના સંસ્કાર બગડે. માટે બાળકોના સંસ્કાર ના બગડે એટલા માટે બન્ને જણાએ સમજીને નિકાલ લાવવો જોઇએ. આ શંકા કાઢે કોણ ? આપણું ‘જ્ઞાન’ તો સંપૂર્ણ નિઃશંક બનાવે તેવું છે ! આત્માની અનંત શક્તિઓ છે !! એવી વાણીતે તભાવી લઈએ ! આ ટીપોય વાગે તો આપણે તેને ગુનેગાર નથી ગણતા. પણ બીજું મારે તો તેને ગુનેગાર ગણે. કૂતરું આપણને મારે નહીં ને ખાલી ભસભસ કરે તો આપણે તેને ચલાવી લઇએ છીએ ને જો માણસ હાથ ઉપાડતો ના હોય ને એકલું ભસભાસ કરે તો નભાવી લેવું ના જોઇએ ! ભસ એટલે ‘ટુ સ્પીક.” “બાર્ક” એટલે ભસવું. ‘આ બૈરી બહુ ભસ્યા કરે છે એવું બોલે છે ને ? આ વકીલો ય કોર્ટમાં ભસતા નથી ? પેલો જજ બેઉને ભસતા જોયા કરે ! આ વકીલો નિર્લેપતાથી ભસે છે ને ? કોર્ટમાં તો સામસામી ‘તમે આવા છો, તમે તેવા છો, તમે અમારા અસીલ પર આમ જુઠ્ઠા આરોપ કરો છો’ ભસે. આપણને એમ લાગે છે કે આ બેઉ બહાર નીકળીને મારંમારા કરશે. પણ બહાર નીકળ્યા પછી જોઇએ તો બેઉ જોડે બેસીને ટેસ્ટથી ચા પીતા હોય ! પ્રશ્નકર્તા : એ ‘ડ્રામેટિક’ લક્ષ્યા કહેવાય ? દાદાશ્રી : ના. એ પોપટમસ્તી કહેવાય. ‘ડ્રામેટિક’ તો ‘જ્ઞાની પુરુષ' સિવાય કોઇને આવડે નહીં. પોપટો મસ્તી કરે તો આપણે ગભરાઇ જઇએ કે બેઉ હમણાં મરી જશે, પણ ના મરે. એ તો અમથા અમથા ચાંચો માર્યા કરે, કોઇને વાગે નહીં એવી ચાંચો મારે. અમે વાણીને રેકર્ડ કહી છે ને? ‘રેકર્ડ’ વાગ બાગ કરતી હોય કે ‘મણિમાં અક્કલ નથી. મણિમાં અક્કલ નથી.ત્યારે આપણે ય ગાવા લાગવું કે ‘મણિમાં અક્કલ નથી'. મમતાતા આંટા, ઉકેલાય કઇ રીતે ? આખો દહાડો કામ કરતાં કરતાં ય ધણીનું પ્રતિક્રમણ કર્યા કરવાનું. એક દહાડામાં છ મહિનાનું વેર કપાઈ જાય, અને અર્ધો દહાડો થાય તો માનો ને ત્રણ મહિના તો કપાઇ જાય છે ! પરણ્યા પહેલાં ધણી જોડે

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76