Book Title: Klesh Vina nu Jivan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 62
________________ ક્લેશ વિનાનું જીવન ૧૧૩ ૧૧૪ ક્લેશ વિનાનું જીવન જ છે એટલે વાત જ સમજવાની છે. કો'ક ફેરો પતંગ ગુલાંટ ખાય ત્યારે દોરો ખેંચી લેવાનો છે. દોરો હવે આપણા હાથમાં છે. જેના હાથમાં દોરી નથી એની પતંગ ગુલાંટ ખાય, તે શું થાય ? દોરી હાથમાં છે નહીં ને બૂમાબૂમ કરે છે કે મારી પતંગે ગુલાંટ ખાધી ! ઘરમાં અક્ષરે ય બોલ બોલવાનું બંધ કરો. ‘જ્ઞાની’ સિવાય કોઇથી બોલ બોલાય નહીં. કારણ કે “જ્ઞાની'ની વાણી કેવી હોય ? પરેચ્છાનુસારી હોય, બીજાઓની ઇચ્છાને આધારે એ બોલે છે. એમને શા માટે બોલવું પડે ? એમની વાણી તો બીજાઓની ઇચ્છા પૂર્ણ થવા માટે નીકળે છે. અને બીજા બોલે તે પહેલાં તો બધાંનું મહીં હાલી જાય, ભયંકર પાપ લાગે, સહેજે બોલાય નહીં. સહેજ પણ બોલો તો તેને કચકચ કહેવાય. બોલ તો કોનું નામ કહેવાય કે સાંભળ સાંભળ કરવાનું મન થાય, વઢે તો ય એ સાંભળવાનું ગમે. આ તો જરાક બોલે તે પહેલાં જ છોકરાં કહે કે, “કાકા, હવે કચકચ કરવાની રહેવા દો. વગર કામના ડખો કરો છો.’ વઢેલું ક્યારે કામનું ? પૂર્વગ્રહ ના હોય તો. પૂર્વગ્રહ એટલે મનમાં યાદ હોય જ કે ગઇકાલે આણે આમ કર્યું હતું ને આમ વઢયો હતો, તે આ આવો જ છે. ઘરમાં વઢે એને ભગવાને મૂર્ખ કહ્યો છે. કોઇને દુઃખ આપીએ તો ય નર્ક જવાની નિશાની છે. મલે !' આ આપણા હિંદુસ્તાનના સંસ્કાર ! ધણી કોને કહેવાય? સંસારને નભાવે તેને. પત્ની કોને કહેવાય? સંસારને નભાવે તેને. સંસારને તોડી નાખે એને પત્ની કે ધણી કેમ કહેવાય ? એણે તો એના ગુણધર્મ જ ખોઇ નાખ્યા કહેવાય ને ? ‘વાઇફ પર રીસ ચઢે તો આ માટલી ઓછી ફેંકી દેવાય? કેટલાક કપ-રકાબી ફેંકી દે ને પછી નવા લઇ આવે ! અલ્યા, નવા લાવવા હતા તો ફોડ્યા શું કામ ? ક્રોધમાં અંધ બની જાય તે હિતાહિતનું ભાન પણ ગુમાવી દે . આ લોક તો ધણી થઇ બેઠા છે. ધણી તો એવો હોવો જોઇએ કે બઈ આખો દહાડો ધણીનું મોઢું જોયા કરે. પ્રશ્નકર્તા : પરણ્યા પહેલાં બહુ જુએ છે. દાદાશ્રી : એ તો જાળ નાખે છે. માછલું એમ જાણે કે આ બહુ સારા દયાળુ માણસ છે તે મારું કામ થઈ ગયું. પણ એક વખત ખાઇ તો જો, કાંટો પેસી જશે. આ તો ફસામણવાળું છે બધું ! આમાં પ્રેમ જેવું ક્યાં રહું? ઘરના જોડે નફો થયો ક્યારે કહેવાય કે ઘરનાને આપણા ઉપર પ્રેમ આવે, આપણા વગર ગમે નહીં ને ક્યારે આવે, ક્યારે આવે એવું રહ્યા કરે. લોકો પરણે છે પણ પ્રેમ નથી, આ તો માત્ર વિષયાસક્તિ છે. પ્રેમ હોય તો ગમે તેટલો એકબીજામાં વિરોધાભાસ આવે છતાં પ્રેમ ના જાય. જ્યાં પ્રેમ ના હોય તે આસક્તિ કહેવાય. આસક્તિ એટલે સંડાસ ! પ્રેમ તો પહેલાં એટલો બધો હતો કે ધણી પરદેશ ગયો હોય ને તે પાછો ના આવે તો આખી જિંદગી એનું એમાં જ ચિત્ત રહે, બીજા કોઇ સાંભરે જ નહીં. આજે તો બે વરસ ધણી ના આવે તો બીજો ધણી કરે ! આને પ્રેમ કહેવાય ? આ તો સંડાસ છે, જેમ સંડાસ બદલે છે તેમ ! જે ગલન છે. તેને સંડાસ કહેવાય. પ્રેમમાં તો અર્પણતા હોય. - પ્રેમ એટલે લગની લાગે તે અને તે આખો દહાડો યાદ આવ્યા કરે. શાદી બે રૂપે પરિણામ પામે, કોઇ વખત આબાદીમાં જાય તો કોઇ સંસાર તભાવવાતા સંસ્કાર - ક્યાં ?! મનુષ્ય સિવાય બીજા કોઈ ધણીપણું નથી બજાવતા. અરે આજકાલ તો ‘ડાયવોર્સ લે છે ને ? વકીલને કહે કે, “તને હજાર, બે હજાર રૂપિયા આપીશ, મને ‘ડાયવોર્સ’ અપાવી દે.” તે વકીલે ય કહેશે કે, ‘હા, અપાવી દઇશ.” અલ્યા, તું લઈ લે ને ‘ડાયવોર્સ'. બીજાને શું અપાવવા નીકળ્યા છો ? પહેલાંના વખતનાં એક ડોશીમાની વાત છે. તે કાકાની સરવણી કરતાં હતાં. ‘તારા કાકાને આ ભાવતું હતું, તે ભાવતું હતું.’ એમ કરી કરીને ખાટલામાં વસ્તુઓ મૂકતાં હતા. મેં તેમને કહ્યું, ‘કાકી ! તમે તો કાકા જોડે રોજ લઢતાં હતાં. કાકા ય તમને ઘણી વાર મારતા હતા. તો આ શું ?” ત્યારે કાકી કહે, ‘પણ તારા કાકા જેવા ધણી મને ફરી નહીં

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76