Book Title: Klesh Vina nu Jivan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 74
________________ [૧૦] આદર્શ વ્યવહાર અંતે, વ્યવહાર આદર્શ જોઈશે ! આદર્શ વ્યવહાર સિવાય કોઇ મોક્ષે ગયો નથી. જૈન વ્યવહાર એ આદર્શ વ્યવહાર નથી. વૈષ્ણવ વ્યવહાર એ આદર્શ વ્યવહાર નથી. મોક્ષ જવા આદર્શ વ્યવહાર જોઇશે. આદર્શ વ્યવહાર એટલે કોઇ જીવને કિંચિત્ માત્ર દુઃખ ના થાય તે. ઘરના, બહારના, આડોશી-પડોશી કોઇને પણ આપણા થકી દુઃખ ના થાય તે આદર્શ વ્યવહાર કહેવાય. જૈન વ્યવહારનો અભિનિવેશ કરવા જેવો નથી. વૈષ્ણવ વ્યવહારનો અભિનિવેશ કરવા જેવો નથી. બધો અભિનિવેશ વ્યવહાર છે. ભગવાન મહાવીરનો આદર્શ વ્યવહાર હોય. આદર્શ વ્યવહાર હોય એટલે દુશ્મનને પણ ખૂંચે નહીં. આદર્શ વ્યવહાર એટલે મોક્ષે જવાની નિશાની. જૈન કે વૈષ્ણવ ગચ્છમાંથી મોક્ષ નથી. અમારી આજ્ઞાઓ તમને આદર્શ વ્યવહાર તરફ લઇ જાય છે, એ સંપૂર્ણ સમાધિમાં રખાવે તેવી છે, આધિ, વ્યાધિ, ઉપાધિમાં સમાધિ રહે તેવું છે. બહાર બધો ‘રિલેટિવ' વ્યવહાર છે અને આ તો “સાયન્સ' છે. “સાયન્સ’ એટલે ‘રિયલ’ ! આદર્શ વ્યવહારથી આપણાથી કોઇને ય દુઃખ ના થાય. તેટલું જ જોવાનું, છતાં પણ આપણા થકી કોઈને દુઃખ થાય તો તરત જ પ્રતિક્રમણ કરી લેવાનું, આપણાથી કંઇ એની ભાષામાં ના જવાય. આ જે વ્યવહારમાં પૈસાની લેવડ-દેવડ વગેરેમાં વ્યવહાર છે એ તો સામાન્ય રિવાજ છે, તેને અમે વ્યવહાર નથી કહેતા, કોઇને ય દુઃખ ના થવું જોઇએ તે જોવાનું ને દુઃખ થયું હોય તો પ્રતિક્રમણ કરી લેવું તેનું નામ આદર્શ વ્યવહાર ! ૧૩૮ ક્લેશ વિનાનું જીવન અમારો આદર્શ વ્યવહાર હોય. અમારા થકી કોઈને ય અડચણ થઇ હોય એવું બને નહીં. કોઇના ચોપડે અમારી અડચણ જમે નહીં હોય. અમને કોઇ અડચણ આપે ને અમે પણ અડચણ આપીએ તો અમારામાં ને તમારામાં ફેર શો ? અમે સરળ હોઇએ, સામાને ઓટીમાં ઘાલીને સરળ હોઇએ. તે સામો જાણે કે ‘દાદા, હજી કાચા છે.' હા, કાચા થઇને છૂટી જવું સારું, પણ પાકાં થઈને એની જેલમાં જવું ખોટું. એવું તે કરાતું હશે ? અમને અમારા ભાગીદારે કહ્યું કે, ‘તમે બહુ ભોળા છો.” ત્યારે મેં કહ્યું કે, ‘મને ભોળો કહેનાર જ ભોળો છે.' ત્યારે તેમણે કહ્યું કે ‘તમને બહુ જણ છેતરી જાય છે.” ત્યારે મેં કહ્યું કે, “અમે જાણી બૂઝીને છેતરાઇએ છીએ.” અમારો સંપૂર્ણ આદર્શ વ્યવહાર હોય જેના વ્યવહારમાં કોઇ પણ કચાશ હશે તે મોક્ષને માટે પૂરો લાયક થયો ના ગણાય. પ્રશ્નકર્તા : જ્ઞાનીના વ્યવહારમાં બે વ્યક્તિ વચ્ચે ભેદ હોય ખરો ? દાદાશ્રી : એમની દ્રષ્ટિમાં ભેદ જ ના હોય, વીતરાગતા હોય. એમના વ્યવહારમાં ભેદ હોય. એક મિલમાલિક ને તેનો ડ્રાયવર અહીં આવે તો શેઠને સામે બેસાડું ને ડ્રાયવરને મારી જોડે બેસાડું, એટલે શેઠનો પારો ઊતરી જાય ! અને વડા પ્રધાન આવે તો હું ઊઠીને એમનો આવકાર કરું ને એમને બેસાડું, એમનો વ્યવહાર ના ચૂકાય. એમને તો વિનયપૂર્વક ઊંચે બેસાડું, અને એમને જો મારી પાસેથી જ્ઞાન ગ્રહણ કરવું હોય તો મારી સામે નીચે બેસાડું, નહીં તો ઊંચે બેસાડું. લોકમાન્યને વ્યવહાર કહ્યો અને મોક્ષમાન્યને નિશ્ચય કહ્યો, માટે લોકમાન્ય વહેવારને તે રૂપે ‘એક્સેપ્ટ' કરવો પડે. અમે ઊઠીને એમને ના બોલાવીએ તો તેમને દુઃખ થાય, તેની જોખમદારી અમારી કહેવાય. પ્રશ્નકર્તા : મોટા હોય તેને પૂજ્ય ગણાય ખરું. દાદાશ્રી : મોટા એટલે ઉંમરમાં મોટા એવું નહીં, છતાં માજી મોટાં હોય તો એમનો વિનય રખાય અને જ્ઞાનવૃદ્ધ થયાં હોય તેમને પૂજ્ય ગણાય.

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76