Book Title: Kevalibhukti Vyavasthapana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૮૪
કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૨૨-૨૩ આશય એ છે કે મોહની આકુળતા વગર આત્માના અસંગભાવમાં રહેવું એ સ્વભાવસમવસ્થિતિ છે, અને કેવલી વીતરાગ છે, તેથી મોહની આકુળતા વગર પોતાના અસંગભાવમાં રહેનારા છે; અને અસંગભાવમાં રહેનારા હોવા છતાં કાયાથી ગમનાદિ ચેષ્ટા કરે છે, એ રૂપ પુદ્ગલની પ્રવૃત્તિથી જેમ અસંગભાવનો વ્યાઘાત થતો નથી, તેમ દેહના ધારણ અર્થે ભક્તિની ક્રિયા કરે, તેનાથી પણ કેવલીના અસંગભાવનો વ્યાઘાત થતો નથી, માટે કેવલી કવલભોજન કરે છે એમ સ્વીકારવામાં કોઈ દોષ નથી. રશા અવતરણિકા -
શ્લોક-૪માં દિગંબરે કહેલ કે ભક્તિ વગર પણ પરમઔદારિક શરીર રહી શકે છે, તેથી કેવલી ભક્તિ નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
परमौदारिकं चाङ्गं भिन्नं चेत्तत्र का प्रमा ।
औदारिकादभिन्नं चेद्विना भुक्तिं न तिष्ठति ।।२३।। અન્વયાર્થ -
પરમૌવારિવં ચા મિત્રે ૨=અને પરમદારિક અંગ=શરીર, જો ભિન્ન છે ઔદારિકાદિ શરીથી ભિન્ન છે, તત્ર વા પ્રમા=(તો) તેમાં શું પ્રમાણ છે અર્થાત્ કોઈ પ્રમાણ નથી. વારિવાર્ ગમä વેન્કઔદારિક શરીરથી જો અભિન્ન છે અર્થાત્ પરમઔદારિક શરીર દારિક શરીરથી જો અભિન્ન છે (તો) મુવિંર વિના=ભોજન વગર જ તિતિ=રહી શકે નહિ. ગરવા શ્લોકાર્ધ :
અને પરમઔદારિક શરીર ઔદારિકાદિ શરીરથી જે ભિન્ન છે, (તો) તેમાં શું પ્રમાણ છે ? અર્થાત્ કોઈ પ્રમાણ નથી. ઔદારિક શરીરથી જો અભિન્ન છે અર્થાત્ પરમઔદારિક શરીર ઔદારિક શરીરથી અભિન્ન છે, (તો) ભોજન વગર રહી શકે નહિ. Il૨૩II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146