Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
વિધિ-વિધાન, કલા, મંત્ર, તંત્ર, પર્વ અને તીર્થ
૨૯૯
કૃતિના પ્રારંભમાં એક અને અંતમાં પ્રશસ્તિરૂપે છ શ્લોક છે. પહેલા શ્લોકમાં સમ્યગ્દર્શનનન્દી વગેરેની વિધિરૂપ સામાચારીનું કથન કરવાની પ્રતિજ્ઞા કરવામાં આવી છે. તે પછી તેમાં નીચે જણાવેલ વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે :
દેશવિરતિ-સમ્યક્ત્વારોપનન્દીની વિધિ, કેવલ દેશવિરતિનન્દીની વિધિ, શ્રાવકોનાં વ્રતોના કરોડો ભંગો સાથે શ્રાવકનાં વ્રતો અને અભિગ્રહોનાં પ્રત્યાખ્યાનોની વિધિ, ઉપાસકની પ્રતિમાઓનાં અનુષ્ઠાપનોની વિધિ, ઉપધાનની નન્દીની વિધિ, ઉપધાનની વિધિ, માલારોપણની નન્દીની વિધિ, સામાયિક અને પૌષધ લેવાની તથા તે બંનેને પારવાની વિધિ, પૌષધિક દિનકૃત્યની વિધિ, બત્રીસ પ્રકારનાં તપનું કુલક, તપનાં યન્ત્રો, કલ્યાણક, શ્રાવકનાં પ્રાયશ્ચિત્તોનું યન્ત્ર, પ્રવ્રજ્યાની વિધિ, લોંચની વિધિ, ઉપસ્થાપનાની વિધિ, રાત્રિક અદિ પ્રતિક્રમણથી ગર્ભિત સાધુ દિનચર્યા, યોગના ઉત્શેપ અને નિક્ષેપપૂર્વક યોગનન્દીની વિધિ, યોગના અનુષ્ઠાનની વિધિ, યોગના તપની વિધિ, યોગક્ષમાશ્રમણની વિધિ, યોગનાં કલ્પ્યાકલ્પ્સની વિધિ, ગણી અને યોગીના ઉપહનનની વિધિ, અનધ્યાયની વિધિ, કાલગ્રહણની વિધિ, વસતિ અને કાલના પ્રવેદનની વિધિ, સ્વાધ્યાયના પ્રસ્થાપનની વિધિ, કાલમંડલપ્રતિલેખનની વિધિ, વાચનાચાર્યના સ્થાપનની તથા તેના વિદ્યાયન્ત્રલેખનની વિધિ, આચાર્ય અને ઉપાધ્યાયની પ્રતિષ્ઠાની વિધિ અને મહત્તરાના સ્થાપનની વિધિ.
પ્રસંગવશ આ ગ્રંથમાં વર્ધમાન વિદ્યા, સંસ્કૃતમાં છ શ્લોકોનું ચૈત્યવંદન, મિથ્યાત્વના હેતુઓનું નિરૂપણ કરનારી આઠ ગાથાઓ, ઉપધાવિધિવિષયક પીસ્તાલીસ ગાથાઓ, તપના વિશે પચીસ ગાથાઓનું કુલક, સંસ્કૃતના છત્રીસ શ્લોકોમાં રોહિણીની કથા, તેત્રીસ આગમોનાં નામ વગેરે વાતો પણ આવે છે.
પ્રશ્નોત્તરશત અથવા સામાચારીશતક
આના કર્તા સોમસુંદરગણી છે. તેમાં સો અધિકાર આવે છે અને તે અધિકારો પાંચ પ્રકાશોમાં વિભક્ત છે. આ પ્રકાશોના અધિકારોની સંખ્યા ૩૭,
૧. આ ગ્રન્થ સામાચારીશતક નામથી ‘જિનદત્તસૂરિ જ્ઞાનભંડાર' સંસ્થાએ સન્ ૧૯૩૯માં પ્રકાશિત
કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org