Book Title: Kalyan Mandir Stotra
Author(s): Saryu R Mehta
Publisher: Asiatik Charitable Trust

View full book text
Previous | Next

Page 251
________________ 234 કલ્યાણમદિર સ્તોત્ર भक्या नते मयि महेश ! दयां विधाय दुःखांकुरोद्दलनतत्परतां विधेही / / 39 સુખકારી શરણામન પ્રભુ! હિતકારી જન દુઃખિયા તણ, હે યેગીઓમાં શ્રેષ્ઠ! સ્થળ કરુણ અને પુણ્ય જ તણા; નમતો પ્રભુ ! હું ભક્તિથી તે મહેશ ! મારા ઉપરે, તત્પર થશે દુઃખ અંકુરને ટાળવા કરુણા વડે. 39 પૂર્વે જે કાર્ય કર્યું ન હતું તે ભાવપૂર્વક પ્રભુનાં શરણમાં જવાનું ઉત્તમ કાર્ય આ ભવમાં કરીને આચાર્યજી શ્રી પ્રભુને વિનંતિ કરે છે કે, “હે નાથ! દુઃખી જનોને સુખ આપનાર ! શરણું લેવા ગ્ય, દયાળુપણાની પવિત્ર વસતિરૂપ, યેગીઓમાં શ્રેષ્ઠ, હે સમર્થ ઈશ્વર! હું ભક્તિ વડે આપને નમું છું. કૃપા કરીને મારાં દુઃખનાં અંકુરને જડમૂળથી ઉખેડી નાખવાને તત્પર થાઓ.” આ ભવમાં આચાર્યજીએ પ્રભુ પ્રતિની સાચી પ્રીતિ કેળવી છે, તેમની શ્રદ્ધા કરી છે અને તેમના પ્રતિ અર્પણભાવ કરી, તેમને પિતાનાં હૃદયમાં સ્થાપિત કર્યા છે; સાચા ભાવથી સાંભળ્યા, નીરખ્યા અને પૂજ્યા છે, તેથી તેમને પ્રભુને યથાર્થ પરિચય થયો છે. અને એ પરિચય દ્વારા પ્રભુના કેવા સ્વરૂપનો * લક્ષ થયે છે તે અહીં વર્ણવ્યું છે. સૌ પ્રથમ આચાર્યજીને પ્રભુ એ દુઃખીજનેને સુખ આપનાર જણાયા છે. જે કઈ જીવ દુઃખમાં ફસાયે હોય, અને સાચા હૃદયથી જે તે પ્રભુનું સ્મરણ કરે છે તે તેની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275