Book Title: Kaladham Delwada
Author(s): Shrutnidhi
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ દેલવાડાનાં દેરાં આવેલા ભાંડાગારમાં મોજૂદ છે. એને હાલ મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા ૨૫૦૦વર્ષ પુરાણી માનવામાં આવે છે. વિમલમંત્રીએ ચંપકવૃક્ષ નીચેથી કાઢેલી પ્રતિમા તે આ જ એવી પણ માન્યતા છે : પણ સ્કંધ પરની કેશવલ્તરીને કારણે મુનિસુવ્રતદેવની નહીં પણ આદીશ્વરની એ પ્રતિમા હોવાનું મુનિ જયન્તવિજયજી તથા દા ઉમાકાન્ત શાહ દ્વારા જાહેર થઈ ચૂકયું છે. શ્યામ પથ્થરના આ વિશાળ જિનબિંબની શૈલી ૧૧મી શતાબ્દીનો પૂર્વાર્ધ બતાવતી હોઈ, તેમ જ તેનું માન મૂલ ગર્ભગૃહના માન સાથે બંધબેસતું હોઈ વિમલમંત્રીએ આ વસતિકામાં મૂલનાયક તરીકે અધિવાસિત કરી હશે તે જ આ પ્રતિમા હોવી ઘટે. આ મહાકાય પ્રતિમા જે ચંપકવૃક્ષ નીચેથી પ્રગટ થયેલી હોય તો એ વિશેષ મહિમાવંત ગણાય અને તો પછી એને અહીં ભંડારમાં સ્થાપિત કરવાને બદલે ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત કરવામાં શું હરત હોઈ શકે ? મંત્રીશ્વર વિમલે બંધાવેલું આદિનાથનું મૂળમંદિર કાળા પથ્થરનું હતું; આ પ્રતિમા પણ શ્યામશિલાની અને આદીશ્વરની જ છે, ૧૧મી સદી પૂર્વાર્ધની છે. એ વાત પણ આ મૂર્તિ મૂલનાયકની જ હોવાની હકીકતની પૂર્ણતયા પુષ્ટિ કરી રહે છે. ૧૪મી-૧૫મી સદીના પ્રબંધોમાં ભૂલનાયકની અસલી પ્રતિમા ધાતુની હોવાની વાત કહી છે; પણ પાછલા યુગના એ પ્રબંધકારોની અહીં કશીક ભૂલ થતી લાગે છે. વાસ્તવમાં તો ઈ. સ. ૧૩રરમાં જીર્ણોદ્ધારકોએ, ખંડિત થયેલી નાસિકાને કારણે આ પ્રતિમાને બદલી ભૂલનાયકની નવી મૂર્તિ ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત કરી; અને આ મોટા કદની અસલી પ્રતિમાનું વિસર્જન ન કરી દેતાં અહીં ભાંડાગારમાં સુરક્ષા અર્થે મુકાવી જણાય છે. વિમલવસહીની સામે પૂર્વમાં એની હસ્તિશાળા આવેલી છે : તેના વિષે હવે વિચારીએ. સાદા સ્તંભો વચ્ચે કાળા પથ્થરની ખંયુક્ત જાળીવાળી દીવાલો ધરાવતી આ લંબચતુરન્સ તલની, નીચા ઘાટની, હસ્તિશાળાને ચાર દ્વારા કરેલાં છે. પાયો નિર્બળ, છીછરો હોવાને કારણે એની દીવાલો કયાંક કયાંક ઝૂકી ગઈ છે. પૂર્વદ્વારે બે મોટા દ્વારપાળો મૂકેલા છે; અને અડીને જ (દ્વાર સમુખ) બે કાળા પથ્થરના સ્તંભોવાળું તોરણ ઊભું કરેલું છે. તેમાં અર્ધચન્દ્રાકાર ઈલ્લિકા ઘાટની વંદનમાલિકા હજુ સાબૂત છે. ઉપર ભારપટ્ટ પરના શ્યામ પાષાણના ઈલ્લિકાવલણમાં બેસાડેલી મૂર્તિઓમાંથી ઘણીખરી નષ્ટ થઈ ચૂકી છે. હસ્તિશાળાની જાળીના ખંડોની ભીંતોમાં બારીકાઈ ન હોવા છતાં કોઈ કોઈ દાખલાઓમાં ભૂમિતિના સાદા પણ સમર્થ નિયોજનને કારણે આકર્ષકતા જરૂર દેખાઈ આવે છે. રૂપકામની વાત કરીએ તો અહીંના તોરણના તંભોની મૂર્તિઓ ટોચાઈ જવાને કારણે હવે કલોપયોગી નથી રહી. સદ્ભાગ્યે એ સ્તંભની ઉપરની તુંડિકા (ટોડલા) પર પાછલી બાજુએ હોવાને કારણે એક ચમરાનાયિકાની મૂર્તિ ભંજકોથી બચી ગયેલી. મૃણાલવલ્લીને સન્નિવેશિત કરી, એના આશ્રયે દ્વિભંગમાં સહસા સંસ્થિર બની, કોમળ દક્ષિણ કરાંગુલીઓ વતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130