Book Title: Jyare Tyare
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 13
________________ ઘોડાને ખબર હોય છે કે જો હું ઘાસ સાથે જ દોસ્તી કરી લઉં તો પછી ખાઉં શું? ગૃહિણીને ખબર હોય છે કે જો હું ગૅસ સાથે જ દોસ્તી કરી લઉં તો પછી રસોઈ બનાવી શકું જ શી રીતે ? વિદ્યાર્થીને ખબર હોય છે કે જો હું આરામ સાથે જ દોસ્તી કરી લઉં તો પછી ભણી શકું જ શી રીતે ? પણ, જો હું પૈસા સાથે જ દોસ્તી કરી લઉં તો પછી દાનધર્મ કરીને મારા પરલોકને સદ્ધર કરી શકું જ શી રીતે ? આવું વિચારવા ય શ્રીમંત કપણ તૈયાર થતો નથી ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે. રામાયણનું યુદ્ધ શરૂ થતાં પહેલાં રાવણ પાસે બિભીષણ પહોંચી જ ગયો હતો ને? મહાભારતનું યુદ્ધ શરૂ થતાં પહેલાં દુર્યોધન પાસે કૃષ્ણ પહોંચી જ ગયા હતા ને? પણ રાવણે બીભિષણની સલાહ ન સ્વીકારી, દુર્યોધને કૃષ્ણની સલાહ ન સ્વીકારી અને રામાયણ-મહાભારતના યુદ્ધો સર્જાઈ ગયા ! કોઈ પણ પ્રકારનું પાપ કરતા પહેલાં અંતઃકરણ માણસ પાસે આવે જ છે પણ માણસ એની જ્યારે અવગણના જ કરતો જોવા મળે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે. હું કરું શું ? મારે પવિત્ર રહેવું તો છે જ પરંતુ ચારે ય બાજુ વાતાવરણમાં વિલાસ છે” “ધંધામાં મારે નીતિમત્તાનું ધોરણ જાળવી રાખવું તો છે જ પરંતુ બજારમાં વાતાવરણ જ અનીતિનું છે.” “મારે જીભ પર સંયમ રાખવો તો છે જ પણ એ અંગેનું કોઈ વાતાવરણ જ નથી” જાતની નબળાઈને છુપાવવા જાતજાતનાં બહાનાં કાઢતો માણસ જ્યારે પ્રભુભક્તિના સુંદર માહોલમાં ય પવિત્રતા ટકાવી રાખવામાં નિષ્ફળ જતો દેખાય છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે. ૩૯

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34