Book Title: Jivvichar Prakaran Author(s): Shantisuri, Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana View full book textPage 8
________________ અજોડ અને વધારે વ્યવસ્થિત છે.” એમ ચોક્કસ અભિપ્રાય બંધાયો છે. બીજા અભ્યાસીઓ પણ અભ્યાસ પછી અભિપ્રાય આપવા બેસશે, તો લગભગ આ જાતનો અભિપ્રાય આપી શકશે. વસ્તુસ્થિતિ આવી હોવાથી, બહારની વાતો, આકર્ષક જાહેરાતો વગેરેથી લલચાઈને જ્ઞાની પુરુષોનાં વચનો તરફ દુર્લક્ષ્ય ન કરવા ખાસ ભલામણ કરીએ છીએ. યુરોપના વિદ્વાનો પોતાના વિજ્ઞાનના નકરા પ્રચાર, પ્રતિષ્ઠા માટે ખૂબ આકર્ષક જાહેર ખબરો ખૂબીથી, મોટા ખર્ચથી, યુક્તિ-પ્રયુક્તિથી અને લાગવગથી લાવે છે. તેથી આપણે ભુલાવો ખાઈને તે તરફ સહજમાં દોરવાઈ જઈએ છીએ. કારણકે આપણા ભાઈઓ પણ તેના ભોગ થઈ ચૂકેલા હોય છે, અને તેના વિશ્વાસમાં એવી જ રીતે દોરવાયેલ હોય છે. આમ ભુલભુલામણીની પરંપરા ચાલે છે. આ પ્રકરણમાંની કેટલીક બાબતો કોઈને સમજાય, કોઈને ગળે ન ઉતરે, પણ તેથી તેમાં સંશય રાખવાને કારણ નથી. કેમકે, આગળના ગ્રંથોમાં એ જ વસ્તુ વિશાળ પ્રતિપાદનથી સાબિત કરી આપેલી હોય છે. પછી શંકાને અવકાશ જ રહેતો નથી. એ વિશાળ શાસ્ત્રગ્રંથોના પરિશીલનથી જ બરાબર બુદ્ધિમાં ઊતર્યા પછી પૂર્વાચાર્યોએ આવાં પ્રકરણો લખ્યાં હોય છે. જો બુદ્ધિમાં ઉતર્યા ન હોય, તો તેઓ પણ લખે નહીં. તેઓના બીજા ગ્રંથો જોવાથી આ પ્રકરણો લખનારા અસાધારણ બુદ્ધિશાળી હતા અને સમર્થ વિદ્વાનો હતા, એવી ખાતરી કરી શકીએ છીએ. આધુનિક વિજ્ઞાનશાસ્ત્રીઓની સજીવસૃષ્ટિ : “સર જગદીશચંદ્ર બોઝનું જીવનકાર્ય” એ મથાળાનો એક લેખ પ્રોફેસરPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 154