________________
અજોડ અને વધારે વ્યવસ્થિત છે.” એમ ચોક્કસ અભિપ્રાય બંધાયો છે. બીજા અભ્યાસીઓ પણ અભ્યાસ પછી અભિપ્રાય આપવા બેસશે, તો લગભગ આ જાતનો અભિપ્રાય આપી શકશે.
વસ્તુસ્થિતિ આવી હોવાથી, બહારની વાતો, આકર્ષક જાહેરાતો વગેરેથી લલચાઈને જ્ઞાની પુરુષોનાં વચનો તરફ દુર્લક્ષ્ય ન કરવા ખાસ ભલામણ કરીએ છીએ. યુરોપના વિદ્વાનો પોતાના વિજ્ઞાનના નકરા પ્રચાર, પ્રતિષ્ઠા માટે ખૂબ આકર્ષક જાહેર ખબરો ખૂબીથી, મોટા ખર્ચથી, યુક્તિ-પ્રયુક્તિથી અને લાગવગથી લાવે છે. તેથી આપણે ભુલાવો ખાઈને તે તરફ સહજમાં દોરવાઈ જઈએ છીએ. કારણકે આપણા ભાઈઓ પણ તેના ભોગ થઈ ચૂકેલા હોય છે, અને તેના વિશ્વાસમાં એવી જ રીતે દોરવાયેલ હોય છે. આમ ભુલભુલામણીની પરંપરા ચાલે છે.
આ પ્રકરણમાંની કેટલીક બાબતો કોઈને સમજાય, કોઈને ગળે ન ઉતરે, પણ તેથી તેમાં સંશય રાખવાને કારણ નથી. કેમકે, આગળના ગ્રંથોમાં એ જ વસ્તુ વિશાળ પ્રતિપાદનથી સાબિત કરી આપેલી હોય છે. પછી શંકાને અવકાશ જ રહેતો નથી. એ વિશાળ શાસ્ત્રગ્રંથોના પરિશીલનથી જ બરાબર બુદ્ધિમાં ઊતર્યા પછી પૂર્વાચાર્યોએ આવાં પ્રકરણો લખ્યાં હોય છે. જો બુદ્ધિમાં ઉતર્યા ન હોય, તો તેઓ પણ લખે નહીં. તેઓના બીજા ગ્રંથો જોવાથી આ પ્રકરણો લખનારા અસાધારણ બુદ્ધિશાળી હતા અને સમર્થ વિદ્વાનો હતા, એવી ખાતરી કરી શકીએ છીએ.
આધુનિક વિજ્ઞાનશાસ્ત્રીઓની સજીવસૃષ્ટિ : “સર જગદીશચંદ્ર બોઝનું જીવનકાર્ય” એ મથાળાનો એક લેખ પ્રોફેસર