Book Title: Jiva Vichar Prakarana Kavya with Meaning
Author(s): Shantisuri, Dakshasuri
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

Previous | Next

Page 9
________________ આત્રી કરી શકીએ છીએ. , - આધુનિક વિજ્ઞાનશાસ્ત્રીઓની સજીવસૃષ્ટિ સર જગદીશચંદ્રબેઝનું જીવનકાર્યએ મથાળાને એક લેખ પ્રોફેસર કાંતિલાલ છગનલાલ પંડયા એમ. એ. એમણે વીસમી સદીના ત્રીજા પુસ્તકના પહેલા અંકમાં લખે છે, તેમાં સર જગદીશચંદ્ર, પ્રાણીઓ અને વનસ્પતિઓનાં લક્ષણેની એકતા પ્રયોગો દ્વારા સિદ્ધ કરી છે, તે સંબંધી કેટલીક હકીકતે આપી છે. તે ખાસ ઉપયોગી જાણી અહીં દાખલ કરી છે. ડેકેટર બોઝે, “વનસ્પતિઓનાં અને પ્રાણીઓનાં લક્ષણે ભિન્ન ભિન્ન ગણતાં હતાં તેમાનાં ઘણાં લક્ષણો બન્નેયમાં સમાન છે, તેમજ લોખંડ જેવી ધાતુઓમાં પણ સજીવ પદાર્થોનાં લક્ષણ છે.” એમ સિદ્ધ કર્યું છે. આપણું પેઠે તેઓ ટાઢથી કરી જઈ મુડદાલ થાય છે, હુંફથી તેજીમાં આવે છે, દારૂ જેવા માદક પદાર્થોથી વધારે ચંચળ થાય છે, અથવા ઘેનમાં પડે છે, ખરાબ હવાથી ગુંગળાઈ જાય છે અતિ શ્રમથી થાકી જાય છે, મારવાથી પીડાય છે, બેભાન કરનારી દવાથી મૂચ્છ પામે છે, ‘વિજળીથી વિશેષ ચંચળ થાય છે. વર્ષોથી સુસ્ત થાય છે, સુરજની રોશનીથી સ્કૃતિ પ્રગટ કરે છે, અને ઝેર કે બળાકારથી પ્રાણ ત્યજે છે, વૃદ્ધિ-ક્ષય, સુખ-દુઃખ, ટાઢ-તડકો, થાક–આરામ, નિદ્રા–પિઢણ સર્વ આપણું માફક તેઓ પ્રગટ કરે છે, અત્યાર સુધી માત્ર આપણે તેની ભાષા સમજતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 209