Book Title: Jayanand Kevali Charitra
Author(s): Bhuvanvijay
Publisher: Jain Dharmopkaran Samstha

View full book text
Previous | Next

Page 492
________________ ડેલું. ચૌદમા સંગ . આગમના સમ્યક્ પ્રકારે અભ્યાસ કર્યા વિના તથા તે આગમના ઉપદેશ કરનાર સદ્ગુરૂ મળ્યા વિના દયાના એક અંશ પણ જાણી શકાતા નથી. જો કે દ્રવ્યનાં નિધાન, ઔષધિએ અને મણિની ખાણા પૃથ્વીપર અનેક ઠેકાણે હોય છે; પરંતુ તેને દેખાડનાર સિદ્ધપુરૂષ વિના કાઇપણ તેને પામી શકતું નથી. એજ પ્રમાણે દયામૂળ ધર્મની પ્રાપ્તિ પણ જિનાગમ કે સદ્ગુરૂ વિના અલ્પ ક વાળા સત્પુરૂષોને પણ પ્રાયે થઈ શકતી નથી. દયાને પ્રકાશ કરનારૂ સમ્યક્ પ્રકારનું શાસ્ત્ર જે આસ પુરૂષે કહેલું છે, તેને સત્પુરૂષો અરિહંતના મતને વિષે જ પામી શકે છે. અન્ય મતમાં તે છેજ નહિ. તે શાસ્ત્ર આધેય હાવાથી આધાર વિના રહી શકે નહિ; તેથી સમ્યક્ પ્રકારે સક્રિયા કરનાર ગુરૂ જ ઉત્કૃષ્ટ ચેાગવાળા શ્રુતના આધારરૂપ છે. ત્રણ જગતને વિષે શ્રી જિનેશ્વરના દેવના આગમ વિના બીજી' કાંઈપણ સારભૂત નથી; કેમકે તેમાંજ દેવ, ગુરૂ અને ધમ એ ત્રણ તત્ત્વનુ' તથા જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રયીનું તાત્ત્વિક સ્વરૂપ સમાયેલુ છે. અન્ય શાસ્ત્રને વિષે તેમાંનું કાંઈપણ નથી. સંપૂર્ણ ભાવપૂર્ણાંક તે દેવાદિક ત્રણને. અને જ્ઞાનાદિક ત્રણને લાભ થાય ત્યારે જ જીવ કેવળજ્ઞાનરૂપ સંપત્તિને પામે છે. ચેાગનુ સ્વરૂપ દયા જ છે, યાગનું તત્ત્વ દયાજ છે, અને ચેાગમાગ ને પ્રકાશ કરનાર પણ દયા જ છે. આ પ્રમાણે જ તત્ત્વજ્ઞાની પુરૂષો ચેાગનું સ્વરૂપ પ્રગટ કરે છે. સમ્યક્ પ્રકારની દયા વિના મુડનમાત્ર કરાવવાથી કાંઇ આત્માની સિદ્ધિ સાધી શકાતી નથી, મૌન ધારણ કરવાથી પણ સિદ્ધિ થતી નથી, નગ્ન રહેવાથી સિદ્ધિ થતી નથી, તેજ પ્રમાણે વલ્કલ પહેરવાથી, માથે જટા ધારણ કરવાથી, શરીરે ભસ્મ ચાળવાથી, અગ્નિહોત્રાદિક કરવાથી, કં મૂળ અને ફળના આહાર કરવાથી, ઉપવાસાદિક અનશન તપ કરવાથી, મૃગાદિકના ચ ધારણ કરવાથી, ખીજા પ્રચ'ડ સાહસેા કરવાથી, ધ્યાન ધરવાથી, જપ કરવાથી, નિયમ પાળવાથી, વેદ ભણવાથી, આગમ ભણવાથી, યજ્ઞ વિગેરે કરવાથી, દેવપૂજાદિક કરવાથી, આતાપનાદિક કલેશ સહન કરવાથી, એકાદશી વિગેરેનુ વ્રત કરવાથી, ઉત્કટ વિદ્યાઓનું સાધન કરવાથી, પૃથ્વીપર શયન કરવાથી, સંન્યાસપણું ગ્રહણ કરવાથી; સાધુપણું. અંગીકાર કરવાથી, ઔદ્ધાદિકની દીક્ષા લેવાથી, ભિક્ષાટનાદિક કરવાથી, કે પદ્માદિક આસના સાધવાથી આત્માની સિદ્ધિ સાધી શકાતી નથી. પરમતના શાસ્ત્રમાં પણ કહ્યું છે કે— દયારૂપી મહાનદીને કાંઠે સર્વ ધર્મારૂપી તૃણના અકુરાએ રહેલા છે, માટે જે

Loading...

Page Navigation
1 ... 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514