Book Title: Jain Shwetambar Conference Herald 1915 01
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 28
________________ શ્રી જેન છે. કે હેર, આધારે લખેલાં હોય તેના કરતાં તેઓના મગજ ઉપર present day social reforms ના જે સંસ્કારોની છાપ પડેલી હતી તેનાથી ખેંચાઈ લખેલાં છે. સમર્થ ઈતિહાસકારો yeye mladi fat's angol (Historical facts) a 7412 Niall feelings, sentiments and prejudices થી ખેંચાઈ જઈ શકે તેના પુરાવા તરીકે મી. દત્ત અને બંકીમ બાબુના બ્રાહ્મણો પરના આક્ષેપો બ્રાહ્મણ વકીલે (advocates) બહુ સારી રીતે આપી શકે એમ હું માનું છું. મહાવીર અને બુદ્ધના સમયની બ્રાહ્મણસ્થિતિ હજુ સુધી નિષ્પક્ષપાતપણે ચિત્રાએલી હોય એમ હું માનતા નથી. એમ માનું છું કે, મધ્યકાળમાં બ્રાહ્મણોએ શુદ્રો પ્રત્યે દાખવેલા સંકુચિત પરિણામો-અધ્યવસાયની જે અસર મી. દત અને બંકીમના સમયમાં દષ્ટિગોચર મિશ્નરીઓના પ્રયત્નઠારા થઈ તેની છાપ તેઓ ( આ બન્ને પુરૂષ ) ઉપર પડેલી હેઈ તેઓએ બુદ્ધ અને મહાવીરના સમયમાં પણ એવા જ પ્રકારની સ્થિતિ હતી એમ જણાવ્યું છે. જે તેઓની સામે બ્રાહ્મણવર્ગને ઈતિહાસી વકીલ હેય તે તેઓને બ્રાહ્મણમાર્ગ પર કરેલી ટીકાઓ facts કરતાં sentimental તરીકે સ્વીકાર્યા વિના બીજો છુટકે ન રહે. તમને એક નવાઈ જેવો મારો ખ્યાલ લાગશે કે, બ્રાહ્મણેએ જૈને ઉપર આક્ષેપ કરતાં જે એમ કહેલું જણાવવામાં આવે છે કે, મારમાર કરતો હાથી આવતો હોય તે પણ જૈનમંદિરમાં ન જવું; તેથી એમ સાબીત થાય છે કે, બ્રાહ્મણ પિતાને તેથી વધારે દુભાએલા માને છે. હું બ્રાહ્મણવર્ગને કહું છું કે, તમને ખરી રીતે જૈનોએ દુભાવ્યા નથી; જે તમને ખરેખર કેઈએ પણ દુભાવ્યા હોય તે તે presentday socialreformers છે. તમે પુષ્ટ ૪૨ ઉપર મીસીસ એની બેસંટના ભારતની ધર્મભાવના વિષેના વિચારે ટકે છે. એ વિચારો એક ભારતવાસી તરીકે મને બહુ મીઠાં લાગે છે; પણ મારે તમને કહેવું જોઈએ કે, મીસીસ બેસંટના વિચારોને પણ તે એક પ્રમાણ (authority) તરીકે ન ગણું, કારણ કે તે એક લેખક છે, પણું ઇતિહાસકાર નથી. જો કે આ તમાએ પૃષ્ટ ૪૦૨ ઉપર ટાંકેલ મીસીસ બેસંટના વિચારો અત્યારની શોધખોળાપર રચાયેલા ઈતિહાસ જોતાં કેટલાક દરજજે સત્ય છે એમ મારે કહેવું જોઈએ. પણ તમને એક પરસ્પર વિરોધ આવે તેવી સ્થિતિ, જુદા જુદા ઇતિહાસકારો અને લખનારાઓના વિચારોની ગુંથણ કરતાં ઉભી થઈ છે એ લક્ષમાં આવ્યું છે? તમે પુષ્ટ ૩૮૮ ઉપર ઈ. સ. પૂર્વેના ૭ મા સૈકાની સ્થિતિ ટકે છે અને ૪૨ પૃષ્ઠ પર મીસીસ બેસંટના વિચારોમાંની સ્થિતિ ટાંકે છો એ Parnyeologically પરસ્પર વિરોધી લાગતી નથી ? તમારા બહુ મેહેનતવાળા આ વિષયના સંબંધમાં વિચારે લખતાં જેટલું લખવા ધારીએ તેટલું લખી શકાય તેમ છે, પરંતુ હું તેટલું લખી શકું તેમ નથી. મેં માત્ર થોડાક મુદ્દાઓ ઉપર લખ્યું છે. મેં જે લખ્યું છે તે મને જે અનુકુલ નથી લાગ્યું તે સંબંધી લખ્યું છે. તમારા લેખમાં મને અનુકુલ એવું પણ ઘણું છે. પરંતુ અનુકુલતા બતાવવાથી જે મુદાઓમાં અવકાશની જરૂર છે તે મુદ્દાઓ એમને એમ પસાર થવા દેવા એ યોગ્ય ન કહેવાય. ' મેં મી. દત્ત જેવા સર્વોપરી ઇતિહાસકાર ઉપર sentimentalism ની અસર

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60