Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 19 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
欢迎脚脚脚火烧
શ્રી શંખેશ્વર હાલારી તીર્થમાં ભવ્ય દીક્ષાઓ શ્રીજૈનશાસન(અઠવાડીક
પ્રવચન – પંચાવનમું
પ્રકીર્ણક ધર્મોપદેશ
ગતાંકથી ચાલુ...
(શ્રી જિનાજ્ઞા વિરુધ્દકે સ્વ. પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરુદ્ધ કાંઇપણ લખાયું હોય તો ત્રિવિધે ક્ષમાપના. —અવ)
पिय- मायऽवच्चभज्जासयण घणा सबलतित्थिमंतिनिवा । नायर अहमपमाया परमत्थभयाणि जीवाणं ॥ આપણે સાવધ નહી હોઇએ તો આપણું કાખ નહિ થાય. આપણને મોક્ષે જવાની ઈચ્છા થઇ છે ? આ સંસાર રહેવા જેવો નથી તેમ લાગે છે? સંસારનું સુખ જ પાપ કરાવનાર છે, દુર્ગતિમાં લઇ જનાર છે, બધાં પાપનું અને દુ:ખનું મૂળ છે-તેમ લાગે છે? જીવ દુર્ગતિમાં કેમ જાય છે? સુખમાત્રના ભિખારી બનેલા મોટેભાગે દુર્ગતિમાં જ જાય. પુણ્ય યોગે સુખ મળે તો તેનો ભય લાગે છે કે તેમાં પ્રેમ થાય છે ? દુ:ખ પાપથી જ આવે છે તો મજેથી પાપ કરે તે દુ:ખને બોલાવે છે ને ? દુનિયાની સુખ અને સંપતિને જ સારી માનનારા મરીને ક્યાં જાય ? આ મૂળ વાત યાદ નહિ હોય તો કામ નહિ થાય. તમને સુખ-સંપતિ મળી છે તેમાં જ મા છે તો તમારું થશે શું ? તમને પૂછે કેઆમાં જ મજા કરો છો તો મરીને જશો ક્યાં તો તમને
ગમે ? પૈસ ને તો
છોડવાનું કહ્યું છે ને ?
પરિગ્રહ નામનું પાપ કહ્યું છે ને ?
પ્ર.- પુણ્યથી (સુખ) મળે તો ભોગવવું પડે ને ? ઉ.- ભોગવવું પડે છે કે ભોગવો છો ? દુ:ખ આવે તો તે પણ ભોગવવું પડે ને ? કેમ નથી ભોગવતા ? જેમ સુખ ભોગવી તેમ દુ:ખ ભોગવો.
આ દુનિયાનું સુખ ભોગવવું ખરાબ છે, ભોગવવાથી નુકશાન થાય તેવુ છે, હદયપૂર્વક ભોગવવું
વર્ષ: ૧૪ ૭ અંક ૪૬ . તા. ૨૦-૮-૨૦૦૨
સં. ૨૦૪૩, ભાદરવા વદિ-૧૨,શનિવાર, તા. ૧૯-૯-૧૯૮, श्री संघ्नभाणान उपाश्रय, वाडेश्वर, मुंज - ४००००
પૂ. આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ
પડે તો કમને ભોગવે તો તે બચી જાય પણ મજેથી ભોગવે છે તે તો માર્યા જવાના છે. સુખ ભોગવવું પડે માટે ભોગવે તેવા કેટલા મળે ? દુ:ખ ભોગવવું પડે માટે ભોગવો છો પણ સુખ તો અમારે સારી રીતે ભોગવવું છે-આવી ઈચ્છા છે ને ? સુખ સારી રીતે મજેથી ભોગવે તે બધા મરી મરીને ક્યાં જાય ? દુ:ખ રોઇને ભોગવે તે ય મરીને ક્યાં જાય ? આમ જાણવા છતાં ય મોટોભાગ સુખી મજેથી અને દુ:ખને રોઈને ભોગવે છે. જગતના જીવોની આ જે કુટેવ છે તે કુટેવ છોડાવવા માટે ધર્મન ઉપદેશ આપીએ છીએ. જે આ વાત સમજે તે દુ: રોતા રોતા ભોગવે ખરા ? સુખને પાપ કરીને મેળ ખરા ? સુખ મેળવવા અનીતિ કરે ? ચોરી કરે ?
સમતિ જીવો આવા જ હોય. દુનિયાનું સુખ ભોગવવું પડે તો મજેથી ન ભોગવે પણ દુ:ખપૂર્વક ભોગવે. માને કે - સંસાર છૂટતો નથી. સંયમનું બ આવતું નથી માટે આ પાપ કરવું પડે છે. ખાવું પડે તેનુ પણ દુ:ખ હોય છે. આજે તો ખાવા-પીવાને માટે કેટલ પાપ ચાલુ છે ? ખાવાના લોભે રાતેય નથી છોડતા. અભક્ષ્ય પણ નથી છોડતા. ખાવાના શોખ ખાતર શું શું કરે છે તેનું વર્ણન થાય તેવું છે ?
નહિ સમજનારા તો ડગલે ને પગલે પાપ કરે છે. ધર્મી તો મરી જાય તો ય આવું કરે નહિ. ખરેખર ધર્મીજીવોએ સુખ છોડી દીધા અને દુ:ખ ઊભા કરી કરીને વેઠયા છે. શ્રી તીર્થંકર દેવો શું કામ સાધુ થયા હજારોને જીવાડી શકે તેવાને ય ભીક્ષાધર્મ માગતા શું કામ કર્યા ? ઘણા રોઈરોઈને જીવે છે, ઘરમાં ય તિરસ્કારઅપમાન પામીને જીવે છે તેને ય સાધુપણું લેવાનું મન
૧૯
DEO
q