Book Title: Jain_Satyaprakash 1954 03 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ! ૪ અમ્ | 'अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) OIL) 7 ઃ ૨૧ || વિક્રમ સં. ર૦૧૦:વીર નિ.સં. ૨૪: ઈ. સ. ૧૯૪ | બં: ૬ | ફાગણ સુદિ ૧૧ સેમવાર ૧૫ માર્ચ માં २२२ કથા સુણી સુણી ફૂટયા કાન લેખકઃ પૂજ્ય મુનિરાજ શ્રીમહાપ્રભવિજ્યજી ગામડાના એક મંદિરમાં એક સંન્યાસી રહેતું હતું. તે સવારે હમેશાં કથા વાંચતે અને રાતે ભજનની ધૂન લગાવત. ભજનમાં જેટલા માણસે આવતા એટલા કથામાં નહોતા આવતા. આવનારાઓમાં કેટલાક બુદ્રાઓ નિયમિત આવતા કયારેક એ કાં ખાતા તે કયારેક અરસપરસ વાતચીત કરી કથાનો સમય પૂરો કરતા. સંન્યાસી ઘણે સરળ હતે, ભગવાનને ભક્ત અને નિસ્પૃહી પણ એટલે જ. એક દિવસે જ્યારે એ રોજના કાર્યક્રમ પ્રમાણે કથા વાંચી રહ્યા હતા ત્યારે મંદિર પાસેથી એક ઘોડેસવાર પસાર થઈ રહ્યો હતો. એને ઉતાવળ હતી છતાં કથા સાંભળવાનું એને મન થયું. એ સંન્યાસી સામે બેસીને કથા સાંભળવા લાગે. ત્યાગ અને વૈરાગ્યની કથા સાંભળી એ ખૂબ પ્રભાવિત થયે; ત્યાં સુધી કે એને એનું ચાલુ જીવન ડંખવા લાગ્યું. એને એની ફરજ બજાવવાની હતી એટલે કથા સાંભળી એ તરત જ નિયત સ્થાને પહોંચી ગયે. બીજા દિવસથી એણે પિતાના અવનકમમાં ફેરફાર કર્યો. કથામાં સાંભળેલા કેટલાક નિયમ એણે આચારમાં મૂક્યા, અને એ નિયમ પાળવામાં ખૂબ તકેદારી રાખવા માંડયો. લગભગ એક વર્ષને ગાળો વીતી ગયે, ત્યારે એ જ માર્ગે થઈને એ ઘોડેસવાર નીકળે. એ જ મંદિર, એ જ સંન્યાસી, એ જ શ્રોતાઓ એણે ફરીથી જોયા. એને વિચાર થયેલ કે, “કેમ કેઈના ઉપર આ કથાની અસર થતી નથી ? શું કથાનો દેષ છે, સંન્યાસીને કે શ્રોતાઓને?” એને જણાયું કે કથામાં તે દેષ ન હોય. સંન્યાસી નિસ્પૃહી છે, એને પેટપૂર મળે એટલે બસ. ખરેખર આમાં દોષી કે For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28