Book Title: Jain_Satyaprakash 1954 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઢાર નાતરાં બહેન કહે: “અરે, હું સગા ભાઈને વરી ? ભાઈને ભરથાર માની ભોગવ્યે? માર પાપ કયે દિવસે છૂટશે ?'
કુબેરદત્તાએ અનુતાપ ને શેકમાં ઘર ત્યજ્યાં. તે તાપસીને વેશ સજી તપ કરવા જંગલમાં ચાલી ગઈ કરેલાં પાપ દેવા ભયંકર એવું તપ આરંભ્ય, ધ્યાન સેવવા માંડયું, જ્ઞાન ઉપાર્જવા માંડયું.
પુરુષને પણ પિતાના પાપની શરમ લાગી. પણ સ્ત્રી જેવું એનું હૈયું આદ્ર નહેતું. વાતને વિસરવા એ મથવા લાગ્યો. પણ લોકનંદા અને પીછો પકડી બેઠી ! ઘેર ઘેર વાતો ચાલી, કે જમાને તો જુઓ, ભાઈ-બહેન વર્યા ! ભાઈ–બહેને ઘર સંસાર માંડ્યો ! ધિફ હો એ જીવને, જેણે બેનને વરીને બેન ભોગવી !
કુબેરદત્તને ચકલે-ચોટે ચાલવું ભારે પડવા લાગ્યું. એક દહાડો લોકનિંદાથી કંટાળી ગામ છોડીને એ પણ ચાલી નીકળે, અને દેશ ફરતે, પરદેશ ફરતે આવ્યો મથુરા નગરીમાં !
મથુરામાં ન કઈ સણું છે, ન કોઈ વહાલું છે. રાતવાસે રહેવા માટે ગણિકાના આવાસ તરફ ચાલ્યો. જમનાને તીરે એક સુંદર આવાસ છે. નગરની પ્રખ્યાત ગણિકા ત્યાં રહે છે. કુબેરદત્ત માગ્યું તેટલું સુવર્ણ આપીને એને ત્યાં રહ્યો. એક બીજાને એકબીજાને સંગ ગોઠી ગયો. ન જાણે એક બીજાને પ્રેમની કેવી ગાંઠ બંધાણી કે એકબીજા વિના ઘડીભર સૂનાં રહેતાં નથી. ગણિકાએ એને સાચે ભરથાર માન્ય છે, કુબેરદત્તે પણ એને સાચી ભાર્યા લેખી છે. પૂર્વ જન્મની પ્રીત !
વરસનાં અંતર મોટાં છે-પણ કહ્યું છે ને કે જાળવે તેની નિત્ય જુવાની ! ગણિકા જુવાની જાળવાની કળામાં નિપુણ છે. કોઈ વાતે ખામી આવવા દેતી નથી.
[૩]
વનમાં વસેલાં સાધ્વી કુબેરદત્તા ભારે તપસ્વી ને જ્ઞાની બન્યાં છે. એ ઉપદેશ આપતાં પવીપટ પર વિચારી રહ્યાં છે. પોતે તર્યા છે. અનેક તાય છે.
એક વાર એમને કુબેરદા સાંભરે છે ! એની ભાળ કાઢે છે. ખબર પડે છે, કે એ તે. મથુરા નગરીમાં વસે છે ! ગણિકાને ત્યાં રહે છે,
પવિત્ર સાથી ભાઈને ઉદ્ધાર કરવા મથુરા નગરીમાં આવે છે. પ્રભાતને પહેરે છે. કુબેરદત્ત બજારમાં એક બાળ હિંચળનારી સ્ત્રીની શોધમાં ફરે છે. એની વહાલી ગણિકા પત્નીને પ્રસૂતિ આવી છે. પુત્ર જન્મ્યો છે. એ વહાલી પત્ની બે દિવસથી બિમાર છે. બાળકનું લાલનપાલન કરનાર કોઈ બાઈની જરૂર છે.
સાળીએ ભાઈને ઓળખ્યો, પણ ભાઈ બેનને પિછાણી શકો નહિ. એણે કહ્યું ? બાઈ! તું બાળકને હીંચોળવા માટે મજૂરીએ આવીશ?'
“હા, ભાઈ!' "શું મજુરી લઈશ ?' “મારું કામ જોઈને દામ આપજે ને! કંઈ હાથી-ઘડા નહિ માવ્યું?
કુબેરદત્તને આ સ્ત્રી સારી લાગી. એને કંઈ પણ કરાવ્યા વિના ધેર તેડી ગયે. જઈને પિતાના બાળકને રાખવા માટે સોંપી દીધું. પેલી સ્ત્રી તે પેટના જસ્થાની જેમ એને રમાડવા
For Private And Personal Use Only