Book Title: Jain_Satyaprakash 1954 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી. જેને સત્ય પ્રકાશ “ભગવાન ' એમ કહીને સ્વાર્થ-સંપત્તિ તેમજ “પરાર્થ-સંપત્તિ ' એમ ઉભયસંપત્તિનું કથન કરાયું છે, કેમકે ઐશ્વર્યાદ એ પિતાને તેમજ પરને ઉપકારી છે.
“સઘર' આ ક્રિયાપદ ફરીથી વપરાયું છે તેથી કંઈ વાંધો આવતો નથી. કેમકે સ્વાધ્યાય, ધ્યાન, તપ, ઔષધ, ઉપદેશ, સ્તુતિ, પ્રયાણ અને તેના ગુણેના કીર્તનમાં, પુનરુક્તિ કંઈ દેષને પાત્ર ગણાતી નથી.
પાઠાંતર વિચાર–નીર્થ કર એ જ વૃષભ છે, કેમકે એઓ સંયમને ભાર વહન કરે છે. સુભાવપૂર્વક–ઉપયોગ પૂર્વકનું ચલન “લલિત” કહેવાય છે. ડાબા અને જમણું પગના અથવા આગલા અને પાછલા પગનો ક્રમપૂર્વક ઉપાડ તે “વિક્રમ” છે. ક્રિપદને અંગે તે એક જ પગ ઉપાડ વિક્રમ છે.
અન્ય વ્યાખ્યા હરિભદ્રસૂરિકૃત ટીકા (પત્ર ૫) માં કહ્યું છે કે કેટલાક વિદ્વાને આ પ્રથમ પઘરૂપ સ્તુતિની જુદી રીતે વ્યાખ્યા કરે છે તે ત્યાં પણ પુનરુક્તિને સન્મ બુદ્ધિએએ વિચાર કરવો ઘટે. આ અન્ય વ્યાખ્યા શી છે તે જાણવું બાકી રહે છે.
પ્રથમ પદ્ય દ્વારા જે સ્તુતિ કરાઈ છે તેથી તીર્થ કરેને અંગે આદિ કે અંત થી એ. દર્શાવાયું છે, અર્થાત અત્યાર સુધીમાં અનંત તીર્થકર થઈ ગયા છે એ વાત સૂચવાઈ છે.
પ્રથમ પદ્ય દ્વારા સામાન્ય નમસ્કાર કરી આસન્ન ઉપકારી અને વર્તમાન શાસનના અધિપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની સ્તુતિ કરાઈ છે એ આપણે હવે વિચારીશું.
vમો એટલે આચાર વગેરે નુતના–સકળ શાસ્ત્રોના ઉત્પત્તિસ્થાન રૂપ એ આચાર વગેરેને અર્થ મહાવીર સ્વામીએ કહ્યો છે એથી એમનો આ રીતે નિર્દેશ કરાયો છે.
અતિ એટલે અપશ્ચિમ. પઝિમ' શબ્દ સારે ન ગણાય એથી “અપછિમ' એવે પ્રસંગ કરાયો છે અથવા પશ્ચાતુપર્વ પ્રમાણે મહાવીર સ્વામી અપરિઝમ છે એટલે કે પહેલા છે અને ષભદેવ પશ્ચમ છે-છેલ્લા છે. અથવા જેમના પછી આ અવસર્પિણી કાળમાં અહીં ભરતક્ષેત્રમાં અન્ય તીર્થ કર થયા નથી અને થનાર નથી એવા આ મહાવીર સ્વામી છે એટલે એ દૃષ્ટિએ એઓ “અપશ્ચિમ ” છે.
આયાર વગેરેને અર્થ તે ઋષભદેવ વગેરે તીર્થકરોએ પણ કહ્યો છે. એમનાથી મહાવીર સ્વામીની ભિન્નતા દર્શાવવા માટે “તીર્થકરમાં અપશ્ચિમ” એમ કહ્યું છે.
ગુe સ્ટોના અને અર્થ લેકેના ગુરુ એ થાય છે. “લોક થી સામાન્ય સંજ્ઞા જી અથવા સમદર્શનાદિથી વિભૂષિત સંયત અને સમજવાના છે. આ લેકેને શાસ્ત્રને બેધ મહાવીરસ્વામીથી થાય છે. એ અપેક્ષાએ એઓ એમના “ગુરુ” છે–એમને એ
મા એટલે મહાત્મા અથત અચિંત્ય શક્તિરૂપ સ્વભાવવાળા મહાવીરવામ મહાત્મા છે, કેમકે એમનામાં અકર્મવીર્યરૂપ સામર્થ્ય છે અને એમનામાં સર્વજ્ઞતાદિ વિશિષ્ટ લબ્ધિરૂપ સામર્થ્ય છે. એ અનંતજ્ઞાનરૂપ શકિતથી વિભૂષિત છે.
મrrી એટલે મહાવીર. કષાયાદિ ઉપર એમણે પૂરેપૂરો વિજય મેળવેલ હોવાથી એઓ મેટા વીર છે.
હવે અતિશના સૂચનરૂપ સ્તુતિ ત્રીજા પદ્યમાં કરાઈ છે તે આપણે વિચારીશું. માં એટલે કલ્યાણ,
For Private And Personal Use Only