Book Title: Jain_Satyaprakash 1953 07 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ! ! અમ अखिल भारतवर्षीय जैन घेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) - વર્ષ : ૨૮ || વિક્રમ સં. ૨૦૦૯: વીર નિ. સં. ર૪૭૯: ઈ. સ. ૧૯૫૩ “અંજ : ૨૦ | અષાડ સુદિ ૪: બુધવાર: ૧૫ જુલાઈ २१४ ધર્મ-શિક્ષણ અને સાધુઓ વક્તા: શ્રીયુત અમૃતલાલ કાલીદાસ દેશી. તાર્થ કર દે સમયે સમયે ધર્મનું પ્રવર્તન કરે છે, એટલે કે જનતાને ધર્મનું શિક્ષણ આપે છે અને એ જ કારણે તેઓ જગદગુરુ” કહેવાય છે. વળી લેકેને ધર્મનું આવું શિક્ષણ પરંપરાગત મળતું રહે તે માટે તેઓ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે અને તેમાં શ્રમણસમુદાયને અગ્રપદે સ્થાપે છે. એટલે લેકેને ધર્મશિક્ષણ આપવાની મુખ્ય જવાબદારી શમણુસમુદાયની છે. પ્રભુ મહાવીરના શ્રમણસમુદાયે આ દિશામાં પ્રચંડ પુરુષાર્થ કર્યો છે. તેણે ભગવાનની વાણુને સંગ્રહ કરનારા આગમગ્રંથે રહ્યા છે. તે પર નિર્યુક્તિઓ, ચૂર્ણિ, ભાણા અને ટીકાઓની રચના કરી છે. તથા તેના પરમાર્થને સ્પષ્ટ રીતે સમજાવવા માટે અનેક પ્રકરણ પ્ર લખ્યા છે. આ ઉપરાંત તેમણે સાહિત્યનાં વિવિધ અંગેને પણ વિકસાવ્યાં છે અને હસપૂર્ણ કથાઓ,પ્રબ, ચરિત્રો તથા રાસોની રચના કરી છે. એકલી ગૂર્જર ભાષામાં જ તેમણે ૧૩૦૦ ઉપરાંત રાસ રચ્યા છે, એ શું બનાવે છે? આ સાહિત્યનું સર્જન તેણે મુખ્યત્વે લોકભાષામાં જ કર્યું છે, જેથી સામાન્ય જનતા પણ ધર્મનું તત્ત્વ સમજી શકે અને તેને યથાશક્તિ આદર કરી શકે. સાહિત્યના સર્જન ઉપરાંત શ્રમણ સમુદાયે ઉપદેશની ધારા સતત વહેતી રાખી છે અને ક્ષામય ભવ્ય તીર્થોનું સર્જન કરી તથા સંધયાત્રાની પ્રવૃત્તિને વેગ આપી સામુદાયિક ધર્મ, શિક્ષણ આપવાનો પ્રયાસ કર્યો છે. હું સમજું છું ત્યાં સુધી અનુષ્કાને અને “ઉસની પાછળ પણ આજ ભાવના રહેલી છે. એટલે એ વાત સ્પષ્ટ છે કે, લોકોની ધર્મભાવનાને ગૃત રાખવાનું કાર્ય મુખ્યત્વે શ્રમણ સમુદાયનું છે અને અનેક પ્રકારના કપરા સગા વચ્ચે પણ તેણે એ પાર પાડયું છે. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28