Book Title: Jain_Satyaprakash 1953 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. જૈન સત્ય પ્રકાશ ૧૭૨ ] પુસ્તકમાં આપેલી વંશાવલી ચાંદપા [વર્ષ ૧૮ શુદ્ધ વંશાવલિ ચંદ્રપ્રસાદ ચંડપ્રસાદ સામાજી શરીસિંહ સેમસિંહ આસ્ના–રાજા (અનેક) આસરાજ (અક્ષરાજ), લુનીગા, માલાદેવ, વસ્તુપાળ, તેજપાળ લુણિગ, મેલદેવ, વસ્તુપાળ, તેજપાળ ઉપરની ક્ષતિઓ એક યા બીજી રીતે આપણે ચલાવી લઈએ. પણ હવે પછી રજા થતી પાઠાફેર વાતે ખરેખર આપણું હૃદયને આઘાત પહોંચાડે તેવી છે, ને ગમે તેવો ઈતિહાસત્ત એને પડકારી શકે તેમ છે. આ પુસ્તકમાં પહેલી નજરે જે બેએક ફકરા નજર સામે તરી આવ્યા તે નમૂના ખાતર સંક્ષેપમાં નીચે આપું છું. લેખક મહાશય લખે છે કે– તે મંદિર બાંધનારાઓ માટે આમાંના સૌથી પહેલા માટે ( વિમળશાહ) આપણે. ડુંક જ જાણીએ છીએ. બીજા બે માટે (વસ્તુપાલ-તેજપાલ) આપણે ડુંક વધારે જાણીએ છીએ. પરંતુ સંતોષપૂર્વક જાણવા મળે છે કે તેઓ ઐતિહાસિક પુસા ન હતા, પરંતુ સામાન્ય માનવી હતા.” (પૃષ્ઠ ૪૭) આમાં ઐતિહાસિક પુરુષે ન હતા, પરંતુ સામાન્ય માનવી જ હતા, એ વિધાન સમજાતું નથી. ઈતિહાસમાં છે. એ પ્રસિદ્ધ પુરુષે છે. ને એકી અવાજે ઓઝા સાહેબ જેવા પુરાતત્ત્વવિદેએ પણ સ્વીકારેલા છે. વળી એ સામાન્ય માનવી હતા, એ જાણીને લેખકને સંતોષ થાય છે. એનો અર્થ કંઈ સમજાતે નથી. હવે આગળ ચાલતાં પૃ. ૪૪માં તેઓશ્રી લખે છેઃ અહીંના સ્થાનિક માણસમાં એક વાત પ્રચલિત છે, કે જ્યારે વિમળશાહ અહીં પ્રાંત-સૂબા તરીકે હતા ત્યારે તે લૂટારુંઓની ટોળીઓને અહીં રક્ષણ આપતાં અને લૂંટારૂ ઓની ટોળીઓ તેને આ માટે સારા પૈસા આપતી. આ રીતે તેણે સારે એ પૈસે પ્રાપ્ત કર્યો હતો, અને તે પૈસાથી તેણે મંદિર બનાવ્યું છે. આ વાત સાચી માની શકાય તેવી નથી. છતાં પણ વીતી ગયેલા સમયની વચ્ચે આપણે તેના પાપને ભૂલી જઈએ, કારણ કે તેણે આવું અદ્દભુત સ્મારક રચ્યું છે.” અહીં ગમે તે ઈતિહાસને અભ્યાસી એ વાત સંક્ષેપમાં કહી શકે તેમ છે, કે વિમલમંત્રીના ઈતિહાસને અહીં વિકૃત રીતે જોવામાં આવ્યું છે. સત્ય ઈતિહાસ એ છે, કે એ વખતે આ બે ભાઈઓ ને મંત્રી ને વિમલશાહ અણહિલવાડના રાજાઓના સેવક હતા. આપબળથી વિમળશાહ સેનાપતિ બન્યા. આ વખતે આબુ પહાડ ને તેને પ્રદેશ ગુજરાતના તાબામાં હતા. (અત્યારની દુઃખદ ચળવળ સાથે આને સંબંધ નથી). અહીં ચંદ્રાવતીમાં પરમાર ધંધુકરાજ રાજ્ય કરતે હતે. એ વારંવાર ભીમદેવની સત્તા સામે માથું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28