Book Title: Jain_Satyaprakash 1948 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦ ] શેઠ શ્રી. કસ્તુરભાઈ લાલભાઈએ આપેલી જુબાની ( રર૭ ખર્ચવા ધારે છે તેને ઉલ્લેખ કરે છે. ધર્મશાળા અંગેના અંદાજ પત્રકમાં ધર્મશાળા અંગે તેમજ વાસણ ખરીદ અંગે તેટલો ખર્ચ કરવો જરૂરી છે, તેને તેમાં ઉલ્લેખ કરે છે. વગેરે વ. આવા અંદાજ પત્રક અમદાવાદમાં નવ ટ્રસ્ટીઓની કમીટી સમક્ષ રજૂ કરવામાં આવે છે. આ નવ ટ્રસ્ટીઓ ૨ કે ૩ સભ્યની પેટા કમીટી નીમે છે, જે કમીટી અંદાજપત્રકની એકેએક વિગત ઝીણવટથી તપાસે છે, અને જે બાબત તેમને વ્યાજબી ન જણાતી હોય તે અંદાજપત્રકમાંથી કાઢી નાંખે છે. ત્યારબાદ તે અંદાજપત્રક મંજૂર કરવામાં આવે છે અને હેડ કલાને મંજૂર થયેલ અંદાજપત્રક મુજબ ખરચ કરવાની પરવાનગી મળે છે. અંદાજપત્રકમાં મંજૂર થયેલ ખરચવાની રકમ ઉપરાંત એક પાઈનું પણ ખર્ચ હેડ કલાર્ક કરી શકતો નથી. વહીવટદાર ટ્રસ્ટીઓ પૈકી કઈ પણ બે ટ્રસ્ટીઓ પિતાની મુન્સફીથી રૂ. ૧૦૦ ઉપરાંતની રકમ ખરચ કરી શકતા નથી. ખરચની રકમ રૂ. ૧૦૦
ઉપર જવા સંભવ હોય તો તે માટે તેમણે આખી કમીટીની મંજૂરી મેળવવી પડે છે. સ : ધારો કે કઈ દેરાસર તમારી મંજૂર કરવામાં આવેલ ખર્ચ ઉપરાંત વિશેષ રકમ
ખરચે તો તેનું પરિણામ શું આવે? ક. લા. : તે હેડ કલાકને બરતરફ કરવામાં આવે. સ : બરતરફ કરવાને તેમને સત્તા છે. ક. લા. : અલબત્ત ! એટલું જ નહી પણ મણુંદજી કલ્યાણજીની પેઢી એક દેખતી સંરથા
છે, તે અવી સંસ્થા નથી કે જે વરસમાં એક જ વખત મળીને ફક્ત હિસાબ મંજૂર કરે. સવ : હું જે જવા માગું છું, તે હકુમતને અનુલક્ષીને છે. ક. લા. ! હું તે સમજાવું છું અમે મહિનામાં બે વખત મળીએ છીએ, તમો જશે કે
છેલ્લા ૨૦, ૩૦ કે જેટલા વાસના તમારે જરૂર હોય તેટલા વર્ષથી મીટીંગોના હેવાલની ચોપડીઓ રાખવામાં આવે છે. મીટીંમ બુકની અંદર દરેક નિર્ણ લખી લેવામાં આવે છે. અમુક ખર્ચ મંજૂર કરવામાં આવે કે તરત જ તે તે દેરાસરના અધિકારીઓને તે બાબતની જાણ કરવામાં આવે છે, અંદાજ પત્રકમાં ખર્ચની રકમ મંજુર કરવામાં આવ્યા છતાં વર્ષ દરમ્યાન કોઈ અણધાર્યા સંગે ઊભા થાય તેવી બાબતમાં કોઈ પણ જાતની મંજૂરી ના હોય તો તે બાબતની ખબર છે કલાર્ક ટ્રસ્ટીઓને અગાઉથી આપે છે. તે વસ્તુ કમીટી સમક્ષ રજૂ કરવામાં આવે છે. કમીટી તે માન્ય રાખે કે ના પણ રાખે. અને એ મુજબને કમીટીને નિર્ણય તે દેરાસરના અધિકારીઓને જણાવવામાં
આવે છે. સ: તમેને બરતરફની સત્તા છે. ક. લા. : જરૂર છે જ. ૨૦ : તમારા બંધારણમાં તમને બરતરફી અંગે કાયદેસર રીતે હક છે? હું દિલગીર છું
કે મેં તમારું બંધારણ વાંચેલ નથી, અને તેથી કરીને જ આ સવાલ પૂછું છું, ક. લા. - તેઓ અમારા નૈકરી છે. અને તેમને અમો છૂટા કરી શકીએ છીએ. પ્ર. ટે. ઃ જૈન સમાજમાં સમાન હેતુ ધરાવતી ઘણી ચેરીટીઓ હેવી જોઈ. એ બધી
ચેરીટીઓ એકમેક સાથે મળીને પોતાને વહીવટ ચલાવે એમ આપ છે ખરા ? નહિ? દાખલા તરીકે અમદાવાદની શિક્ષણસંસ્થાઓ હો. પણ જેને સંસ્થાઓ પોત
For Private And Personal Use Only